________________
૨૪૨] સત્તાને જુદી માનનારાઓનું ખંડન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વગેરે પણ વિશેષક (ભેદ પાડનાર) છે એટલે કે સત્તા સામાન્ય પણ ગોત્વાદિ થકી બુદ્ધિ અને વચનમાં ભેદ પાડે છે, અને ગોવાદિક પણ સત્તાદિથી ભેદ પાડે છે. આથી ફલિતાર્થ એ થયો કે સામાન્ય પણ અન્ય વિશેષની જેમ બુદ્ધિ અને વચનમાં ભેદ પાડનાર હોવાથી વિશેષ જ છે. અને એ જ પ્રમાણે વિશેષ પણ સામાન્ય છે, આ પ્રમાણે થશે. ૨૧૯૩ થી ૨૧૯૭.
વળી “ત્રિપદાર્થસત્વરી સત્તા” એટલે દ્રવ્ય, ગુણ ને કર્મ, એ ત્રણ પદાર્થમાં વિદ્યમાનતા કરનાર હોય તે સત્તા. એ વચનવડે સત્તા સમવાય “સત્ત્વ” એટલે વિદ્યમાનતા માનવામાં આવે છે, તે પણ અયોગ્ય છે, કારણ કે
सत्ताजोगादसओ सओ व सत्तं हवेज्ज दव्वस्स । ૩મસમો ન ઢપુસ વ સંડો ૪ વિંડ સત્તા ઝં? ર૧૮ पइवत्थु सामन्नं जड़ तो गं न यावि सामन्नं । अह दब्बेसु तदेगं तहवि सदेसं न सामन्नं ॥२१९९।। अह पइवत्थुमिहेगं च तहवि तं नत्थि खरविसाणं व । न य तदुवलक्खणं तं सव्वगयण्णत्तओ खं व ॥२२००॥ सामन्नविसेसकयं जइ नाणं तेस किंनिमित्तं तो ? । अह तत्तो च्चिय तम्हा तं परहे उत्ति गंतो ॥२२०१॥ तम्हा वत्थूणं चिय जो सरिसो पज्जओ स सामन्नं ।
जो विसरिसो विसेसो स मओऽणत्यंतरं तत्तो ॥२२०२।। સત્તાના યોગથી વસ્તુનું સતપણું માનવામાં આવે છે, તે સત્પણું સ્વરૂપ વિદ્યમાનનું છે, કે અવિદ્યમાનનું છે ? સ્વરૂપે અવિદ્યમાનનું તો નહિ કહી શકાય, કેમકે આકાશપુષ્ય જેવી અવિદ્યમાન વસ્તુનું સપણું ઘટી શકે નહિ; અને જો સ્વરૂપે વિદ્યમાન વસ્તુનું સત્પણું માનવામાં આવતું હોય, તો પછી સત્તાવડે શું કાર્ય છે? કેમકે સત્તા વિના પણ વસ્તુનું સતપણું માનેલ જ છે, વળી જો એ સત્તારૂપ સામાન્ય દરેક વસ્તુમાં હોય, તો તે સત્તા દરેક વસ્તુ સ્વરૂપ હોવાથી એક નહિ કહેવાય; અથવા દરેક વસ્તુ સ્વરૂપની જેમ દરેક વસ્તુમાં રહેલ હોવાથી તે સામાન્ય નહિ કહેવાય, અને જો ઘણાં દ્રવ્યોમાં રહેલું છતાં તે એક છે, એમ કહેવામાં આવે, તો તે સામાન્ય સાવયવી થશે, કેમકે પરમાણુંની જેમ અનવયવની વૃત્તિ ઘણાં દ્રવ્યોમાં હોઈ શકે નહિ, અને જો તેને સાવયવી માનવામાં આવે તો તે સામાન્ય નહિ કહેવાય, કેમકે અવયવનો ભેદ થતાં તેનાથી અભિન્ન એવા અવયવીનો પણ ભેદ થાય છે. સામાન્ય દરેક વસ્તુમાં વર્તે છે છતાં એક છે, એમ કહેવામાં આવે, તો ગધેડાના શીંગડાની જેમ તે જણાતું ન હોવાથી અવિદ્યમાન છે. વળી આકાશની જેમ તે સર્વગત અને વ્યક્તિથી અન્ય હોવાને લીધે તે કોઈનું ઉપલક્ષણ નથી. વળી જો સામાન્ય વિશેષ કૃત જ્ઞાન હોય તો તે પદાર્થોમાં તે જ્ઞાન ક્યા નિમિત્તે થાય છે? જો તે પદાર્થોથી થતું હોય, તો તે પરહેતુક થયું, એકાન્તિક ન થયું. માટે વસ્તુનો જ જે સદેશ પર્યાય તે સામાન્ય અને વિદેશ પર્યાય તે વિશેષ છે, એ બન્ને તો વસ્તુથી અભિન્ન છે. ૨૧૯૮ થી ૨૨૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org