SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪] વસ્તુ માત્રની ભાવાભાવોભય સ્વભાવતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ શિષ્ય - જો એ પ્રમાણે હોય તો વસ્તુને ભાવાભાવરૂપ-ઉભય સ્વભાવની પ્રાપ્તિ થઈ અને એમ માનવું એ અયોગ્ય છે, કેમકે ભાવ અને અભાવ, તે છાયા આપની જેમ એકત્ર હોઈ શકે નહિ. ગુરુ - વસ્તુ માત્ર ભાવાભાવરૂપ-ઉભયસ્વરૂપવાળી છે, એકાન્ત ભાવરૂપ નથી, તેમ એકાન્ત અભાવરૂપ નથી. કારણ કે વસ્તુને સર્વથા અભાવરૂપ માનવામાં તે આકાશ પુષ્પ જેવી થાય અને એકાન્ત સર્વથા ભાવરૂપ માનવામાં સર્વ સાંકર્ય-એકત્વ-નિત્યત્વ વિગેરે દોષો પ્રાપ્ત થાય છે. જેમકે “સર્વ પ્રકારો વડે ઘટનો સર્વથા ભાવ છે.” આમ કહેવાથી જેમ ઘટરૂપે ઘટના સદ્ભાવ છે, તેમ પટ ખંભ-પૃથ્વી-પર્વતાધિરૂપે પણ ઘટનો સદ્ભાવ થાય, કેમકે વસ્તુને કથંચિત્ અભાવરૂપે ઉપરોક્ત વાક્યમાં નથી માનેલ એ જ પ્રમાણે બીજી વસ્તુઓ પૃથ્વી-પર્વતાદિનો પણ સર્વાત્મપણે સદ્ભાવ થવાથી પરસ્પરાનુપ્રવેશરૂપ સર્વ સાંકર્ય દોષ પ્રાપ્ત થશે. અથવા કોઈ એક ઘટાદિ વસ્તુમાં ત્રિભુવનગત સર્વવસ્તુનો પ્રવેશ થવાથી સર્વની એકતા થઈ જાય; અને તેથી કરીને એક આકાશાદિ વસ્તુમાં રહેલી સર્વ વસ્તુઓની એકતા વડે સર્વદા અવસ્થાન થવાથી સર્વનિયતા પ્રાપ્ત થાય. વળી આદિ શબ્દથી ઘટાદિ એક વસ્તુનો નાશ થતાં ત્રિભુવનાન્તર્ગત સર્વ વસ્તુનો નાશ થવાથી સર્વ શૂન્યતાનો પ્રસંગ આવે, અથવા સર્વ વસ્તુ સર્વત્ર વિદ્યમાન હોવાથી સર્વ પદાર્થોમાં સમગ્ર વિશ્વ આકાંક્ષા વિનાનું જ થઈ જાય. આ પ્રમાણે એકાન્ત ભાવરૂપ અથવા અભાવરૂપ વસ્તુ માનવાથી ઉપરોક્ત દોષો પ્રાપ્ત થાય છે, તેથી ભાવાભાવ-ઉભય સ્વરૂપ વસ્તુ માનવી એ જ યોગ્ય છે, એ રીતે માનવાથી કોઈ પ્રકારનો વિરોધ આવતો નથી કેમ કે ભાવ અને અભાવ બંને ભિન્ન ભિન્ન નિમિત્તવાળા છે. જો કદી જે નિમિત્તવડે ભાવ હોય, તેજ નિમિત્તે અભાવ હોય તો વિરોધ આવે, પરંતુ એમ નથી. કારણ કે દરેક વસ્તુ સ્વરૂપે ભાવરૂપ છે અને પરરૂપે અભાવરૂપ છે. શિષ્ય :- જો વસ્તુસ્વરૂપ એમ હોય, તો ઉત્પન્ન વસ્તુ પણ અભાવરૂપે હોવાથી અનુત્પન્ન કહેવાશે અને અભાવભૂત અનુત્પન્ન વસ્તુ અભાવરૂપે વિદ્યમાન હોવાથી છે - એમ કહેવાશે, અને એમ થવાથી “આ વસ્તુ ઉત્પન્ન થઈ, અથવા નાશ પામી” ઇત્યાદિ લોકવ્યવહાર કેવી રીતે પ્રવર્તશે ? ગુરુ - વસ્તુ ઉત્પન્ન થઈ અથવા નાશ પામી, એમ જે લોકમાં કહેવાય છે, તે સર્વ બે પ્રકારે છે; એક અર્પિત અને બીજું અનર્પિત તેમાં સ્વધર્મ વડે અવિશેષિત-સામાન્યરૂપ જે વસ્તુ તે અનર્પિત કહેવાય છે, અને તે જ વસ્તુ અન્યપર્યાયો વડે વિશેષિત હોય, તો અર્પિત કહેવાય છે. આ પ્રમાણે હોવાથી જ્યારે સામાન્યરૂપની અપેક્ષા વિના ઉત્પાદ-વ્યય આદિ કોઈ પણ પર્યાય વડે વિશેષિત વસ્તુને કહેવા ઈચ્છીએ, ત્યારે વસ્તુ ઉત્પન્ન થઈ અથવા નાશ પામી, ઈત્યાદિ વ્યપદેશથી સર્વ લોકવ્યવહાર પ્રવર્તે છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યય લક્ષણ કહ્યું, ધ્રુવ લક્ષણનું સ્વરૂપ પણ દ્રવ્ય લક્ષણના જેવું છે, તેથી જે દ્રવ્ય લક્ષણ, તે જ ધ્રુવલક્ષણ સમજવું, કેમકે ધૃવત્વ અને દ્રવ્યત્વ બન્ને એકાર્યવાચી છે. ૨૧૬૯ થી ૨૧૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy