________________
ભાષાંતર] વસ્તુ માત્રની ભાવાભાવોભય સ્વભાવતા.
[૨૩૩ તથા સ્વવિપક્ષભૂત પર્યાયનો નાશ થવાથી જ જણાય છે, અન્યથા જણાતા નથી, તેથી જેમ ઉત્પાદ વસ્તુનું લક્ષણ છે, તેમ વિનાશ પણ વસ્તુનું લક્ષણ જ છે, કેમકે પૂર્વ પર્યાય વિશિષ્ટપણા સિવાય વસ્તુનું લક્ષણ ઘટે નહિ.
અહીં જેઓ વિનાશને સર્વથા વસ્તુરૂપ માનતા નથી, તેઓ કદાચ એમ કહેવા માગે છે – ઉત્પાદને વસ્તુનું લક્ષણ કહેવું યોગ્ય છે, કેમકે ઉત્પન્ન થયેલ વસ્તુથી તે અનન્ય હોવાથી વિદ્યમાન છે; પરંતુ વિનાશ તો અવિદ્યમાનરૂપ હોવાથી તેને વસ્તુનું લક્ષણ કહેવું એ યોગ્ય નથી. કેમકે અવિદ્યમાન ખરશૃંગ, જેમ કોઈનું લક્ષણ થવાને યોગ્ય નથી, તેમ વિનાશ પણ લક્ષણ થવાને યોગ્ય નથી. અને જો વિનાશને પણ વસ્તુનું લક્ષણ માનવામાં આવે, તો તે વિનાશ અભાવરૂપ હોવાથી વિનાશ યુક્ત વસ્તુ પણ આકાશપુષ્પની જેમ અભાવરૂપ જ થશે. આ કથનના ઉત્તરમાં કહેવાનું કે ઉપરોક્ત માન્યતા અયોગ્ય છે, કારણ કે વિનાશ પણ ધૃવત્વની જેમ વસ્તુની ઉત્પત્તિનો હેતુ હોવાથી, ભાવરૂપ છે અથવા વસ્તુના પ્રકૃષ્ટપણામાં એટલે કે વસ્તુના પ્રૌઢતારૂપ પર્યાયની આદિમાં પ્રથમ વિનાશ વિદ્યમાન હોય છે, તેથી ઉત્પાદની જેમ તે પણ ઉત્પત્તિમાં હેતુ હોવાથી ભાવરૂપ છે. “જે કાંઈ વસ્તુની પ્રકૃષ્ટતા થવાની આદિમાં હોય છે, તે ઉત્પાદની જેમ ભાવરૂપ છે.” તેવી જ રીતે વિનાશ પણ વસ્તુની ઉત્પત્તિની આદિમાં હોય છે, માટે ભાવરૂપ છે.
नासोवलक्खियं पिय तदभावो च्चिय तहन्नहा भावो । आह नणु पत्तमेवं भावाभावोभयसभावं ॥२१६९।। एवं चिय तं वत्थु सब्बअभावे य तं खपुष्पं व । भावे व सब्बहा सव्वसंकरे-गत्त-णिच्चाई ॥२१७०।। उत्पन्नं विगयं वाणप्पियमविसेसियं सधम्मेहिं ।
तं चिय पज्जायंतरविसेसियमिहप्पियं नाम ॥२१७१।। (વસ્તુ) નાશ યુક્ત જણાતી હોવાથી તેટલા અંશે તે અભાવરૂપ છે અને અન્યથારૂપે તે જ વસ્તુ ભાવરૂપ છે. જો એમ હોય, તો વસ્તુને ભાવ અને અભાવ ઉભય સ્વભાવની પ્રાપ્તિ થાય. વસ્તુ સ્વરૂપ એ જ પ્રમાણે છે. એકાન્ત સર્વથા અભાવ માનવામાં વસ્તુ આકાશપુષ્પ જેવી ગણાય, અને સર્વથા એકાન્ત ભાવ માનવામાં, સર્વ સાંકર્ય-એકત્વ અને નિત્યત્વાદિ દોષ પ્રાપ્ત થાય. વસ્તુ ઉત્પન્ન થઈ અથવા નાશ પામી, એમ જે કહેવાય છે, તે સર્વ અર્પિત અને અનર્પિત એમ બે પ્રકારે છે. તેમાં સ્વધર્મ વડે અવિશેષિત તે અનર્પિત કહેવાય અને તે જ વસ્તુ અન્ય પર્યાય વડે વિશેષિત હોય તો અર્પિત કહેવાય છે. ૨૧૬૯ થી ૨૧૭૧.
પૂર્વોક્ત યુક્તિથી નાશ વડે વસ્તુ જણાય છે, તેથી તે નાશ યુક્ત કહેવાય છે, એ કારણથી વસ્તુ એટલા અંશે અભાવરૂપ કહેવાય, તેમાં કંઈ વિવાદ કરવા જેવું નથી, કેમકે કથંચિત્ વસ્તુને અભાવરૂપે જૈનો માને છે, પરંતુ ઉપર કહ્યું તેથી અન્યથા પ્રકારે એટલે ઉત્પાદ-ધ્રૌવ્યરૂપે તો વસ્તુ ભાવરૂપ જ છે.
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org