________________
૨૩૨]
વિનાશ વસ્તુનું લક્ષણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અનુત્પન્ન વસ્તુ જણાતી નથી, તેથી ઉત્પન્ન થતી વસ્તુઓનો ઉત્પાદ એ તે પદાર્થનું લક્ષણ છે તેવી જ રીતે વિગમ એટલે નાશ તે પણ નાશ પામતી વસ્તુઓનું લક્ષણ છે. - હવે વિનાશ વસ્તુનું લક્ષણ કેવી રીતે હોઈ શકે? તેનો તથા જેઓ વિનાશને સર્વથા વસ્તુ જ નથી માનતા, તેનો ખુલાસો કરે છે.
लक्खिज्जइ जं विगयं विगमेण विणा व जं न संभूई । विगमोवि लक्खणमओ विच्छओ वत्थुणोऽणण्णो ॥२१६५॥ अंगुलिरिजुता निययप्पसूह-वक्कत्तणासओ समयं । लखिज्जइ नेयरहा तह सव्वे दवपज्जाया ॥२१६६॥ उप्पायस्स हि जुत्ता लक्खणया नासओ विणासस्स । नासोवलक्खियं वा वत्थुमभावो खपुष्पं व ॥२१६७॥ नासो भावो संभूइहेउओ वत्थुणो धुवतं व ।
अहव समुप्पाओ इव वत्थुप्पभवाइभावाओ ।।२१६८।। જે નાશ પામેલું જણાય છે, તે વિનાશ વડે જણાય છે. વળી વિનાશ વિના વસ્તુની ઉત્પત્તિ નથી; તેથી વિનાશ પણ નાશ પામતી વસ્તુનું લક્ષણ માનેલ છે, કેમ કે તે નાશ તે વસ્તુથી અનન્ય છે. જેમ ઋજુતાની ઉત્પત્તિ અને વક્રતાનો નાશ થવાની સાથે જ અંગુલીની સરળતા જણાય છે, તેમ સર્વ દ્રવ્યપર્યાયો પોતાનો ઉત્પાદ ઘતાં અને સ્વ વિપક્ષભૂતપર્યાયનો નાશ થતાં જ જણાય છે. (અહીં શંકા થાય કે) ઉત્પાદને વસ્તુનું લક્ષણ કહેવું યોગ્ય છે, પણ અવિદ્યમાન એવા વિનાશને વસ્તુનું લક્ષણ કહેવું યોગ્ય નથી. અથવા નાશયુક્ત પદાર્થ અવિદ્યમાન હોવાથી આકાશપુષ્પની જેમ અભાવરૂપ હોવો જોઈએ. (ના એમ નહિ) વિનાશ એ વસ્તુની ઉત્પત્તિનો હેતુ હોવાથી ધ્રુવપણાની જેમ ભાવરૂપ છે અથવા વસ્તુની પ્રકૃષ્ટતા થવામાં હેતુભૂત હોવાથી ઉત્પાદની જેમ ભાવરૂપ છે. ૨૧૬૫-૨૧ ૬૮.
જેમ ઉત્પાદવડે ઉત્પન્ન થયેલ વસ્તુ જણાય છે, તેમ નાશ પામેલ વસ્તુ વિનાશ વડે જણાય છે. વળી જેમ ઉત્પાદ સિવાય વસ્તુની ઉત્પત્તિ નથી, તેમ વિનાશ વિના પણ વસ્તુની ઉત્પત્તિ નથી, કારણ કે માટીનું પૂર્વ સ્વરૂપ નાશ પામ્યા વિના ઘટની ઉત્પત્તિ થતી નથી તેવી જ રીતે સર્વ વસ્તુમાં સમજવું, માટે વિનાશ પણ ઉત્પાદની જેમ ઉત્પત્તિનો હેતુ હોવાથી વસ્તુનું લક્ષણ છે; વળી જેમ ઉત્પાદ, ઉત્પન્ન થતી વસ્તુથી અભિન્ન છે, તેમ વિનાશ પણ નાશ પામતી વસ્તુથી અભિન્ન છે, માટે વિનાશ વસ્તુનું લક્ષણ છે.
આ જ વાત વધારે સ્પષ્ટપણે સમજવાને એક ઉદાહરણ લઈએ. જેમ અંગુલીરૂપ દ્રવ્યનો સરળતારૂપ પર્યાય, પોતાના ઉત્પાદ વડે અને વક્રતાના નાશ વડે જણાય છે, અન્યથા જણાતો નથી; કેમકે ગધેડાના શીંગડાની જેમ અનુત્પન્ન પદાર્થને લક્ષણ ન હોય, વળી સ્વપ્રતિપક્ષભૂત પર્યાયનો વિનાશ થયા વિના ઉત્પાદ પણ ન થાય; માટે જેમ અંગુલીનો સરળતારૂપ પર્યાય પોતાના ઉત્પાદ અને વક્રતાના વિનાશવડે જણાય છે, તેમ બીજા પણ સર્વ દ્રવ્યના પર્યાયો પોતાનો ઉત્પાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org