________________
૨૨૮]
પૂર્વાપર પદ વ્યાહતાદિનું સ્વરૂપ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
થાય છે ને તેથી દ્રવ્ય જણાય છે, માટે સામાન્યથી એ પણ દ્રવ્યનું જ લક્ષણ છે, અને વિશેષથી તેને સાદશ્યલક્ષણ કહેવાય છે.
એ જ પ્રમાણે આગળ પણ સર્વ લક્ષણોમાં સામાન્યથી દ્રવ્યલક્ષણતા અને વિશેષથી તે તે વિશેષલક્ષણતા જાણવી; જેમ કે :- એક જણાતો ઘટ જેવા આકારવાળો છે બીજા ઘટ પણ તેવા જ આકારવાળા છે. આ પ્રમાણે સર્વ મૂર્તિમાન પદાર્થોમાં જેનું જ્યાં “સાદેશ્ય” ઘટે, ત્યાં તે સર્વ સાદૃશ્યલક્ષણ છે.
બે
સામાન્ય બે પ્રકારનું છે, એક અર્પિત સામાન્ય અને બીજું અનર્પિત સામાન્ય, અર્પિત એટલે વિશિષ્ટ અને અનર્પિત અવિશિષ્ટ. તેમાં અવિશિષ્ટ સામાન્યલક્ષણ આ પ્રમાણે છે એક સિદ્ધાત્મા, બીજા સર્વ સિદ્ધાત્માઓના સત્ત્વ-જ્ઞેયત્વ-દ્રવ્યત્વ પ્રમેયત્વ-અમૂર્ત્તત્વ ક્ષીણકર્મત્વ-અનાબાધત્વ વગેરે સામાન્ય ધર્મોની સમાન છે. આ અવિશિષ્ટ સામાન્ય લક્ષણનું ઉદાહરણ છે. તથા એક-બે ત્રણ આદિ સમયસિદ્ધ સમાન સમયે સિદ્ધ થયેલા સિદ્ધોની તુલ્ય છે, અને એથી વિપરીત અસમાન સમયે સિદ્ધ થયેલા બીજા સિદ્ધો તેમનાથી અસમાન છે. અહીં એક જ સિદ્ધાત્માની બીજા સિદ્ધાત્માઓ સાથે સમાનતા અને અસમાનતા કહી છે, તે તેઓના સામાન્ય-વિશેષ ધર્મની અપેક્ષાએ કહી છે, પણ એ જ પ્રકારના ધર્મથી સમાનતા અસમાનતા નથી કહી કે જેથી વિરોધ આવે. અહીં એક સિદ્ધની બીજા સિદ્ધની સાથે જે સમાનતા તે સામાન્ય લક્ષણ જાણવું.
હવે આકારલક્ષણ કહે છે- જેથી મનોવિકલ્પિત વસ્તુ જાણી શકાય. તે બાહ્યચેષ્ટા-આકારલક્ષણ કહેવાય છે જેમ હાથ, મુખ અને નેત્ર વગેરેની સંજ્ઞાવડે રાજાદિકની આહારાદિ ઇચ્છા જણાય છે, તે સર્વ આકા૨લક્ષણ કહેવાય છે. અથવા ગતિ-ચેષ્ટા-ભાષણ-નેત્ર-મુખવિકાર અને ઇંગિતાકારવડે મનોભિપ્રેત વસ્તુ જણાય છે, તેથી તે આકારલક્ષણ કહેવાય.
પરસ્પર બે પદનો જ્યાં વિશેષણ-વિશેષ્યરૂપે સંબંધ થાય, તે ગત્યાગતિ કહેવાય છે. જેમકે “હે ભગવન્‚ જીવ દેવ છે ?' આ પ્રશ્નમાં જીવનું ઉદાહરણ આપીને દેવપણું પૂછાય છે, અને જીવપદથી દેવપદમાં અનુકૂળપણે ગતિ થાય છે, તેથી તે ગતિ કહેવાય છે. તથા ‘હે ભગવન્ દેવ જીવ છે ?' આ પ્રશ્નમાં દેવનું ઉદાહરણ આપીને જીવપણું પુછાય છે, અને દેવપદથી જીવપદમાં પ્રતિકૂળપણે આગતિ થાય છે તેથી આતિ કહેવાય છે. આ ગતિ અને આતિવડે જે લક્ષણ થાય તે ગત્યાગતિ લક્ષણ છે. ૨૧૫૨ થી ૨૧૫૬.
ઉપરોક્ત જે ગત્યાગતિ લક્ષણ તે ચાર પ્રકારે છે, તે ઉદાહરણ પૂર્વક કહે છે.
पुव्वा - वरो भए वाहयमव्वाहयं च तं तत्थ । जीवो देवो देवो जीवोत्ति विगप्पनियमोऽयं ।। २१५७ ।।
Jain Education International
जीवइ जीवो जीवो जीवइ नियमो मओ विगप्पोऽय । देवो भव्य भव्वो देवोत्ति विगप्पसो दोवि ।। २१५८ ।। जीवो जीवो जीवो जीवोत्ति दुगे विगप्पणे नियमो । जीवो जहोवओगो तहोवओगो य जीवोत्ति ।। २१५९ ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org