________________
ભાષાંતર] ત્રિવિધ પ્રત્યયનું સ્વરૂપ.
[૨૨૫ પ્રત્યયો હોય છે. આ અમારા ગુરુ સર્વ સંશયનો છેદ કરનારા હોવાથી સર્વજ્ઞ છે, એ અનુભવ સિદ્ધ છે. વળી ભય-રાગ અને દ્વેષથી રહિત છે, કેમકે તેનાં કોઇપણ ચિન્હ તેમનામાં નથી. કોઇએ ઉપકાર કર્યા વિના પણ બીજા પણ ઉપકાર કરવાને તત્પર અને ત્રિભુવનજનને પ્રમાણભૂત હોવાથી સામાયિકના ઉપદેશનાં તેમનાં વચનો શ્રદ્ધાયોગ્ય છે. (આ પ્રમાણે ગુરુપ્રત્યય હોય છે.)
સર્વ જીવોને ઉપકારી, પૂર્વાપરવિરોધ રહિત, સર્વ ગુણોને ગ્રહણ કરવાના ફળરૂપ આ શાસ્ત્ર છે. એ શાસ્ત્ર પ્રત્યય કહેવાય અને એવા જ સર્વ સ્વરૂપવાળું આ સામાયિક અધ્યયન છે. (આ પ્રમાણે શાસ્ત્રપ્રત્યય હોય છે.)
સંશયાદિના અભાવે અથવા કર્મના ક્ષયોપશમથી સ્વવિજ્ઞાનની જેમ (સામાયિક અધ્યયન) અમે જાણીએ છીએ. આ પ્રમાણે શિષ્યોને પણ સ્વપ્રત્યય આત્મપ્રત્યય થાય છે. ૨૧૪૧ થી ૨૧૪૫.
પ્રકારાન્તરે આત્મપ્રત્યય-ગુરુપ્રત્યય અને શાસ્ત્રપ્રત્યય એમ ત્રિવિધ પ્રત્યય છે. તેમાં પહેલો આત્મપ્રત્યય શ્રી જિનેશ્વરને હોય છે. કેમકે તેઓ કેવળી હોવાથી તેમને સર્વ વસ્તુ આત્મ પ્રત્યક્ષ છે અને તેથી તેઓ આત્માધારે જ સામાયિક ઉપદેશે છે. તથા ગણધરોને અને તેમના શિષ્યપ્રશિષ્યોને ત્રણ પ્રકારના પ્રત્યયો હોય છે. તેમાં શિષ્યોના આત્મપ્રત્યય સંબંધી પછી કહીશું, પહેલાં ગુરુપ્રત્યય અને શાસ્ત્રપ્રત્યય તેમને છે તેનું સ્વરૂપ કહીએ છીએ.
ગણધરોના ગુરુ તીર્થકર હોય છે, તેથી ગણધર મહારાજા એમ વિચારે છે કે આ અમારા જગબંધુ ગુરુ સર્વ સંશયનો છેદ કરનારા હોવાથી સર્વજ્ઞ છે, એમ પ્રત્યક્ષ અનુભવાય છે, વળી તેઓ ભય-રાગ-દ્વેષરહિત છે, કેમકે તેઓમાં ભયાદિના ચિન્હરૂપ શસ્ત્રગ્રહણ-સ્ત્રી સંનિધિમુખમલિનતા વગેરે જણાતા નથી. તેમજ બીજાએ પોતાના ઉપર ઉપકાર ન કર્યો હોય, તે છતાં કરુણાસિબ્ધ ભગવાન પરોપકારમાં તત્પર છે, અને તેથી ત્રણે ભુવનમાં તે પ્રમાણભૂત છે.
આ પ્રમાણે તીર્થકર મહારાજ સર્વજ્ઞ અને ભયાદિ રહિત હોવાથી તેઓ કદીપણ અસત્ય બોલે નહિ, માટે સામાયિકોપદેશમાં તેમનું વચન અમારે શ્રદ્ધા કરવા યોગ્ય છે. આ જ પ્રમાણે જંબૂ-પ્રભવાદિને તેમના શિષ્ય-પ્રશિષ્યોને પણ પોતપોતાના ગુરુને વિષે ગુણોભાવન પૂર્વક સામાયિક શ્રવણ કરવાનો પ્રત્યર્થ થાય છે. તેથી તેઓને ગુરુ પ્રત્યય કહેવાય છે.
હવે શાસ્ત્રપ્રત્યયનું સ્વરૂપ કહીએ છીએ-આ શાસ્ત્ર સર્વ જીવોને ઉપકારી છે, પૂર્વાપર વિરોધ રહિત છે અને સર્વ ગુણગ્રહણ કરવાના ફળરૂપ છે. આથી આ શાસ્ત્ર અમારે પ્રમાણભૂત છે. આ સામાયિક અધ્યયન પણ એવા જ સ્વરૂપવાળું છે. માટે તે અમારે શ્રવણ કરવું જોઇએ. આ પ્રમાણે શાસ્ત્ર ઉપરના પ્રત્યયથી શિષ્યો તે શ્રવણ કરવાને પ્રવર્તે છે, તેથી તેઓને તે શાસ્ત્રપ્રત્યય કહેવાય છે.
શિષ્ય - શાસ્ત્રને બરાબર જાણ્યા સિવાય તે સર્વસત્ત્વોપકારકાદિ ગુણવાળું છે, એમ પ્રથમ જ શિષ્યો કેવી રીતે જાણી શકે ? અને સર્વ શાસ્ત્ર જાણીને તેના ગુણો શિષ્ય જાણે છે, એમ આપ કહેતા હો, તો તે અયુક્ત છે. કેમકે એથી શાસ્ત્રની પ્રવૃત્તિમાં તે શાસ્ત્રના પ્રત્યયનો અધ્યવસાય નિષ્ફળ ગણાશે, કારણ કે પ્રથમ પ્રત્યય વિના પણ શાસ્ત્રમાં શિષ્યની પ્રવૃત્તિ થઇ, એમ સ્વીકારવું પડશે.
૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org