SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮] પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવ કારણો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અથવા સ્વરૂપ પ્રાપ્ત કરાવવાને યોગ્ય એવી જે ક્રિયા, તે ક્રિયા સ્વરૂપને પ્રાપ્ત કરાવતી હોવાથી તે પણ પોતાનું કારણ છે, આથી કરીને અવશ્ય કર્મનું કારણ પણું માનવું જોઈએ. કેમકે સર્વ કારણ સામગ્રી સમીપ છતાં પણ, ગમે તેમ નિરર્થક આકાશને માટે કાંઈ પ્રારંભ થતો નથી, પરંતુ અમુક કાર્યને માટે જ આરંભ થાય છે. એ સિવાય આરંભ થતો નથી માટે એ આરંભ અથવા ક્રિયા કાર્ય પણ પોતાનું કારણ છે. - જેમકે કુંભાર-ચક્ર-ચીવર વગેરે જે બાહ્ય નિમિત્ત છે તેને અપેક્ષીને, કાર્ય કરતી વખતે અંતરગબુદ્ધિએ વિચારેલું જે કાર્ય તે પોતાનું કારણ થાય છે, અન્યથા જો પ્રથમ બુદ્ધિવડે વિચાર્યા સિવાય કાર્ય કરાય, તો વિચાર વિના શૂન્ય મનથી કરેલા આરંભમાં તો કાર્યનો વિપર્યય થાય, એટલે કે ઘટરૂપ કાર્યનાં કારણો સમીપમાં છતાં ઘટ ન બનતાં, એ સિવાય બીજું કંઈ શરાવાળું વગેરે થાય અથવા કંઈ પણ કાર્ય ન થાય. માટે બુદ્ધિમાં નિશ્ચિત કરેલું કાર્ય પોતાનું કારણ થાય છે. આ પ્રમાણે જે જે યુક્તિથી ઘટે, તે તે યુક્તિથી બુદ્ધિમાને કર્મનું કારણપણું કહેવું. પૃથ્વી, મૃપિંડ, ચક્ર, આપાક વગેરે અપાદાનકારણ છે અને ચક્ર, પૃથ્વી, આકાશ, સ્વરૂપ વગેરે ઘટના સંનિધાન (આધાર) કારણો છે, કેમકે ઘટનો આધાર ચક્ર, ચક્રનો આધાર પૃથ્વી પૃથ્વીનો આધાર આકાશ છે અને આકાશનો આધાર સ્વરૂપ છે, કેમકે તે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. આ પ્રમાણે પૃથ્વી વગેરે ઘટના સંનિધાન કારણ છે, તેઓના અભાવે ઘટની સિદ્ધિ ન થાય. ૨૧૧૨ થી ૨૧૧૮. હવે ભાવકારણ કે તેના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ કહે છે. (२९०) भावम्मि होइ दुविहं अपसत्थ पसत्थयं च अपसत्थं । संसारस्सेगविहं दुविहं तिविहं च नायव्वं ॥२११९।।७३९॥ (२९१) असंजमो य एक्को अन्नाणं अविरई य दुविहं तु । मिच्छत्तं अन्नाणं च अविरई चेव तिविहं तु ॥२१२०॥७४०॥ (२९२) होइ पसत्थं मोक्खस्स कारणं एगविह दुविह तिविहं वा । तं चेव य विवरीयं अहिगार पसत्थएणेत्थं ॥२१२१।।७४१।। ભાવ કારણ બે પ્રકારે છે. એક અપ્રશસ્ત અને બીજાં પ્રશસ્ત; તેમાં સંસારનું જે કારણ તે અપ્રશસ્ત ભાવ કારણ છે, તે એક પ્રકારે, બે પ્રકારે અને ત્રણ પ્રકારે છે. તેમાં અવિરતિ એ એક પ્રકારે, અવિરતિ અને અજ્ઞાન એમ બે પ્રકારે, મિથ્યાત્વ અવિરતિ ને અજ્ઞાન એમ ત્રણ પ્રકારે છે. પ્રશસ્ત ભાવ કારણ મોક્ષનો હેતુ છે, તે પણ એક પ્રકારે, બે પ્રકારે અને ત્રણ પ્રકારે છે, તે તેનાથી વિપરીત સ્વરૂપે જાણવા, અહીં પ્રસ્તુતમાં પ્રશસ્ત ભાવ કારણનો અધિકાર છે. ૨૧૧૯ થી ૨૧૨૧. ઔદયિકાદિ ભાવરૂપ કારણ તે ભાવકારણ છે. તે ભાવકારણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. એમાંનું અપ્રશસ્ત ભાવકારણ સંસારનો હેતુ છે, તે એક પ્રકારે, બે પ્રકારે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy