SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] કર્તા વિગેરેની કારણતાની સિદ્ધિ. [૨૧૭ અથવા તે સ્વરૂપ પ્રાપ્તિને યોગ્ય છે, સ્વરૂપ પ્રાપ્તિનું કારણ સમીપ છતાં પણ તે કાર્યનો આકાશ માટે આરંભ થતો નથી. તેથી કાર્ય કરાતી વખતે બાહ્ય નિમિત્તની અપેક્ષા એ કાર્ય પણ પોતાનું કારણ છે; અન્યથા વિપર્યય કે અભાવ પ્રાપ્ત થાય. ૪. જેને એ કાર્ય આપવા યોગ્ય હોય, તે ગ્રાહક પણ તેનું સંપ્રદાન કારણ છે, કેમકે તેને માટે કરાય છે, તેના વિના તે ન કરાય. ૫. પિંડનો અપાય થવાથી પૃથ્વી, કાંકરાનો અપાય થવાથી પિંડ, અને ઘટના અપાયે ચક્રચાપાક તે પણ અપાદાન કારણ છે. ૬. પૃથ્વી, આકાશ, ચક્ર, સ્વરૂપ વગેરે સંનિધાન કારણ છે, કેમકે તેમના વિના તેની (કાર્યની) સિદ્ધિ થતી નથી. ૨૧૧૨ થી ૨૧૧૮. “જે કર્તા વડે કરાય તે કર્મ' જેમકે ઘટ કરવા માટે કુંભકારના વ્યાપારરૂપ ઘટ પ્રત્યેની ક્રિયા તે કર્મ. એ કર્મ અથવા ક્રિયા ઘટરૂપ કાર્યનું બીજું કારણ છે. શિષ્ય ઃ- ભગવન્ ! કુંભાર જ ઘટ કરતો જણાય છે, પણ આપ કહો છો તે ક્રિયા ઘટ કરવામાં કંઈ જણાતી નથી. એટલે તે કેવી રીતે ઘટનું કારણ માની શકાય ? ગુરુ :- હા, કુંભાર જ ઘટ કરે છે, પણ તે ચેષ્ટારહિત ઘટ કરી શકતો નથી, તેથી ઘટ કરવામાં કુંભારની જે ચેષ્ટા થાય છે, તે ચેષ્ટા જ ક્રિયા છે અને તે ક્રિયા ઘટ પ્રત્યે કારણ છે. અથવા કરાતો ઘટ તે જ કર્તાને ઈષ્ટ હોવાથી કર્મ છે અને તે કર્મ કારણ છે. શિષ્ય :- પ્રભો ! આપ બીજું કારણ ઘટ કહો છો તો ઘટ તો કાર્ય છે, એટલે એ ઘટ, એ ઘટનું જ કારણ છે એમ કેવી રીતે હોઈ શકે ? કારણ કે જેમ અતિ તીક્ષ્ણ એવી સોય, પણ પોતાને વીંધી શકતી નથી તેમ તે પણ પોતાનું કારણ થઈ શકે નહિ. ગુરુ :- વિચક્ષણ ! વિચાર કર્યા વિના સહસા આ આમ છે એ કહેવું, એ બુદ્ધિનો દુરુપયોગ કરવા જેવું છે. તેથી હું કહું છું તે બરાબર લક્ષપૂર્વક સાંભળ, વિચાર કર અને પછી જો તારી બુદ્ધિમાં તે ન ઉતરે તો શંકા કર. ઘટ એ ઘટરૂપ બુદ્ધિનો હેતુ હોવાથી ઘટનું કારણ છે, કેમકે સર્વ કોઈ પ્રથમ બુદ્ધિમાં નિશ્ચય કરીને પછી જ કાર્ય કરે છે, તેથી બુદ્ધિવડે નિશ્ચિત કરેલો ઘટ, કરવા ઈચ્છેલા માટીમય ઘટનું, ઘટબુદ્ધિના આલંબન વડે કારણ છે. અનુત્પન્ન ઘટ અવિદ્યમાન હોવાથી ઘટબુદ્ધિનું આલંબન કેવી રીતે થાય ? એવી શંકા પણ તારે ન કરવી, કેમકે દ્રવ્યરૂપે તો તે ઘટ સર્વકાળે વિદ્યમાન હોય છે. શિષ્ય :- આપ કહો છો, તે સત્ય છે, પરંતુ અહીં માટીમય કાર્ય સ્વરૂપ ઘટના કારણનો વિચાર કરવાનો છે, કેમકે તે જ અહીં પ્રસ્તુત છે અને આપે કહેલ બુદ્ધિમાં અધ્યવસિત ઘટ, તે તો આનાથી અન્ય છે, એટલે તેને તેનું કારણ કહેવું, એ પ્રસ્તુત નથી. ગુરુ :- ભવિષ્યમાં થવાના કાર્યમાં, થયેલા કાર્યની જેમ ઉપચાર કરવાના ન્યાયે એ બન્નેનો એક જ અધ્યવસાય હોવાથી, તેનું કારણપણું કહેવામાં કંઈ દોષ નથી. કારણ કે જેમ સ્થાસ કોસ કરતી વખતે કુંભારને પૂછવામાં આવે કે તું “શું કરે છે ?” આના ઉત્તરમાં એ કહેશે કે “હું ઘટ કરુ છું” આ પ્રમાણે બુદ્ધિમાં નિશ્ચિત કરેલા ઘટની સાથે ઉત્પન્ન થતા ઘટની એકતા છે, તેથી બુદ્ધિમાં નિશ્ચિત ઘટને ઘટનું કારણ કહેવામાં કાંઈ દોષ નથી. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy