________________
૨૧૬] કર્તા વિગેરેની કારણતાની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
આ પ્રમાણે નામાદિ વડે દિશા વગેરે દરેક વિલક્ષણ હોવાથી ભિન્ન છે, પણ સત્ત્વ-યત્વાદિ સત્તા સામાન્ય વડે અભિન્ન છે. એ જ પ્રમાણે તંતુઆદિના શ્વેતાદિ ગુણો નામાદિ વડે ભિન્ન છે, તે છતાં જોયત્યાદિ વડે અભિન્ન છે. જેમ સત્તા સામાન્યથી અભિન્ન એવા દિશા વગેરેમાં નામાદિકના ભેદ વડે ભેદનો ઉપચાર કરાય છે, તેવી રીતે દ્રવ્યથી અભિન્ન એવા ગુણ વગેરેમાં પણ ભેદનો ઉપચાર કરાય છે.
જેમકે - પ્રાતઃકાળે મંદ મંદ પ્રકાશ હોય ત્યારે, પુષ્કળ પત્રવાળી તરુશાખા વડે આચ્છાદિત વાદળીનું કોઇને દર્શન થાય, તે વખતે “કંઇક શ્વેત જણાય છે” એ પ્રમાણે શ્વેતપણાનો નિશ્ચય થાય છે, પણ “વાદળી છે” એવું ભાન થતું નથી.
આ પ્રમાણે ભાન થવામાં ગુણ-ગુણીનો ક્વચિત્ ભેદ હોય છે. એકાન્ત અભેદ માનવામાં ગુણનું ગ્રહણ થતાં ગુણીનું પણ અવશ્ય ગ્રહણ થાય, માટે દ્રશ્યથી ગુણ વગેરેનો કથંચિત્ ભેદ છે અને કથંચિત્ અભેદ છે, એ જ પ્રમાણે કાર્યપણ નામાદિના ભેદવડે કારણથી ભિન્ન છે અને સત્ત્વ જોયત્વાદિ વડે અભિન્ન છે. પણ વૈશેષિક વગેરે એકાત્ત ભેદ જ કાર્ય-કારણ ભાવ માને છે, તે અયોગ્ય છે. ૨૧૧૧. છ પ્રકારે વ્યતિરિક્ત કારણ કહે છે.
कारणमहवा छद्धा तत्थ संततोत्ति कारणं कत्ता । कज्जस्स साहगतमं करणम्मि उ पिंड-दंडाई ॥२११२।। कम्मं किरिया कारणमिह निच्चिट्ठो जओ न साहेइ । अहवा कम्मं कुम्मो स कारणं बुद्धिहेउत्ति ॥२११३।। भब्वोत्ति व जोग्गोत्ति व सक्कोत्ति व सो सरूवलाभस्स । कारणसंनेज्झम्मिवि जं नागासत्थमारंभो ॥२११४॥ बज्झनिमित्तावेक्खं कज्जंचिय कज्जमाणकालम्मि । होइ सकारणमिहरा विवज्जया- भावया होज्जा ॥२११५।। देओ स जस्स तं संपयाणमिह तंपि कारणं तस्स । होइ तदत्थित्ताओ न कीरए तं विणा जं सो ॥२११६॥ भूपिंडावायाओ पिंडो वा सक्करादवायाओ। चक्कमहावाओ वाऽवायाणं कारणं तंपि ॥२११७॥ वसुहाऽऽगासं चक्कं सरूवमिच्चाइ संनिहाणं जं ।
कुंभस्स तंपि कारणमभावओ तस्स जदसिद्धी ॥२११८।। અથવા (વ્યતિરિક્ત) કારણ છ પ્રકારે છે. તેમાં (કુંભકારાદિ) સ્વતંત્ર કર્તા. (એ ૧ લું કારણ, ૨. કરણમાં દંડ-પિંડ વગેરે કાર્યનાં પ્રસાધકતમના કર્મરૂપ ક્રિયા, તે બીજું કારણ. ૩. ચેષ્ટારહિત (કાર્ય) સધાતું નથી તેથી કુંભ (ઘટ) રૂપ કર્મ એ ત્રીજું કારણ કેમકે ઘટકાર્યરૂપ બુદ્ધિમાં તે હેતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org