SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] કર્મની સોપકમની સિદ્ધિ. [૧૯૯ સાધ્ય એવા નિદાનના (કારણના) આશ્રયભૂત હોવાથી કર્મ સોપક્રમ છે. તેમજ દેહાદિપણે દેહમાં વર્તતું હોવાથી સાધ્ય છે. ૨૦૧૬-૨૦૧૭. " કર્મ દોષરૂપ હોવાથી ઉપક્રમરૂપ ક્રિયાવડે સાથે અથવા અસાધ્ય હોય છે, કેમકે જે જે દોષરૂપ છે, તે તે જ્વરાદિ રોગની જેમ ઉપક્રમક્રિયાથી સાધ્ય અથવા અસાધ્ય હોય છે. માટે જે કર્મ સાધ્ય હેય છે, તેનો જ સાધ્ય રોગની જેમ ઉપક્રમ થાય છે. ઉપક્રમ થવો એટલે ફેરફાર થવો. અથવા ઉપક્રમવાળું કર્મ, સાધ્ય રોગના હેતુભૂત હોવાથી સાધ્ય છે. જેમ ગંડચ્છેદાદિ દ્વારાએ, ઉપક્રમ ક્રિયાના વિષયભૂત થયેલું વિકૃત શરીર સાધ્ય છે, તેમ કર્મ પણ સાધ્ય છે. અથવા ઉપક્રમવાળું કર્મ, સાધ્ય કારણજન્ય હોવાને લીધે સાધ્ય છે, (તે કર્મની ઉત્પત્તિનાં કારણ પણ એવા સોપક્રમી હોય છે.) કારણ કે જો તે સાધ્ય ન હોય તો તેને ઉપક્રમ લાગતો જ નથી. શિષ્ય - અહીં ઉપક્રમ જ સાધ્ય છે, તેથી ઉપક્રમનું સાધ્યપણું સિદ્ધ થયા વિના કર્મનું સાધ્યપણું સિદ્ધ નથી થતું અને તેનું સાધ્યપણું સિદ્ધ ન થવાથી કર્મજનક નિદાન-કારણનું પણ સાધ્યપણું સિદ્ધ નથી થતું, તેથી “સાધ્ય નિદાનજન્ય હોવાથી” એ હેતુનું “સાધ્ય” વિશેષણ અસિદ્ધ થવાથી હેતુ પણ અસિદ્ધ કરે છે. ગુરૂ - ‘ન તાજુમૂફ ઈત્યાદિ ૨૦પરમી ગાથામાં કહેલી યુક્તિઓથી કર્મનું સોપક્રમપણું સિદ્ધ છે, તેથી કર્મનું સાધ્યપણું સિદ્ધ થાય છે અને તેને લઈને સાધ્ય કર્મનું જનક-તેનું નિદાન પણ સાધ્ય છે, એમ સિદ્ધ થાય છે. શિષ્ય :- પૂર્વે કર્મનું સોપક્રમપણું સિદ્ધ કર્યું છે, તો પછી પુનઃ અહીં તે કહેવાનું શું કારણ છે ? ગુરૂ:- વિસ્તૃત કથનની અપેક્ષાવાળા શિષ્યજનોના ઉપકાર માટે ફરીથી અહીં તે કહ્યું છે અથવા કર્મનું નિદાન (કારણ) અધ્યવસાયસ્થાનો છે, તે અધ્યવસાયસ્થાનો વિચિત્ર પ્રકારનાં હોઈને અસંખ્યય લોકાકાશ પ્રદેશ રાશિપ્રમાણ છે. તેમાંના કેટલાક અધ્યવસાયસ્થાનો, નિરૂપક્રમ કર્મને ઉત્પન્ન કરે છે અને કેટલાંક સોયક્રમ કર્મને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે સાધ્ય કર્મને ઉત્પન્ન કરનાર નિદાનનું સાધ્યપણું સિદ્ધ કરવું, તેની સિદ્ધિ થવાથી તેનાં કાર્યભૂત કર્મનું સાધ્યપણું અને સોપક્રમપણું સિદ્ધ થાય છે. અથવા શરીર અને જીવમાં કર્મ વર્તતું હોવાથી ઉપક્રમ ક્રિયાના વિષયભૂત એવું એ કર્મ સોપક્રમ અને સાધ્ય છે. જીવની અંદર કર્મ અગ્નિ અને લોહના ન્યાયે રહેલ છે અને શરીરમાં જીવ આધાર-આધેયભાવે છે, તેથી કર્મ પણ તેમાં તે પ્રમાણે રહેલ છે. શિષ્ય - આધાર-આધેયભાવે શરીરવૃત્તિ જીવ છે. એ કથન તો યોગ્ય છે, પણ શરીરની વૃત્તિ શરીરમાં છે, એ કેમ માની શકાય ? ગુરૂ - સર્વ પદાર્થો સ્વભાવે તો પોતામાં જ રહેલા છે અને બીજી વસ્તુમાં તે આધારે રહેલ હોય છે. એ ન્યાયથી શરીરની વૃત્તિ શરીરમાં છે, એ કથન અયોગ્ય નથી; અથવા કાર્મણ શરીરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy