________________
૧૯૮] કર્મનો ઉપક્રમ અને કર્મનું સાધ્યાસાધ્યપણું. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
સાધ્યાસાધ્ય રોગની જેમ કર્મ પણ સોપકર્મી અને નિરૂપકર્મી છે.
नणु तन्न होवचियं तहाणुभवओ कयागमाईया । तप्पाओगं तं चिय तेण चियं सज्झरोगो व्व ॥। २०५४ ।।
अणुवक्कमओ नासइ कालेणोवक्कमेण खिप्पंति । काणेवाsसज्झो सज्झासज्यं तहा कम्मं ॥। २०५५ ।।
કર્મ જેવું બાંધ્યું હતું તેવું ઉપક્રમ્યા પછી અનુભવાતું નથી, તેથી અકૃતાગમાદિ દોષો થાય છે, એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે. કેમકે જીવે સાધ્ય રોગની જેમ પૂર્વે ઉપક્રમ યોગ્ય જ કર્મ બાંધ્યું હોય છે. જેમ સાધ્ય રોગ ઉપક્રમ સિવાય, લાંબે કાળે નાશ પામે છે અને ઉપક્રમથી શીઘ્ર નાશ પામે છે, પણ અસાધ્ય રોગ તો મરણ થએ જ નાશ પામે છે. તેવી રીતે કર્મ પણ સાધ્ય અથવા અસાધ્ય એમ બંન્ને પ્રકારનાં હોય છે.૨૦૫૪-૨૦૫૫.
શિષ્ય :- પૂર્વ જન્મમાં જીવે જેવું કર્મ બાંધ્યું હોય છે, તેવું કર્મ ઉપક્રમ પછી નથી હોતું, એટલે જેમકે સો વર્ષ પર્યંત ભોગવવા યોગ્ય આયુકર્મ જીવે બાંધ્યું હોય છે, અને ઉપક્રમ પછી અન્તર્મુહૂર્યાદિ અલ્પ સ્થિતિવાળું અનુભવે છે, આ પ્રમાણે અન્યથા પ્રકારે અનુભવ થતો હોવાથી જીવને પૂર્વે કહેલા અકૃતાગમ વિગેરે દોષો પ્રાપ્ત થાય છે.
ગુરૂ :- સાધ્ય રોગની જેમ જીવે પૂર્વ જન્મમાં કર્મ એવું જ બાંધ્યું હોય છે, કે જેથી તેનો ઉપક્રમ થઈ શકે. જેમ કોઈને કોઈ પ્રકારનો વ્યાધિ થયો હોય, તે વ્યાધિ ઔષધાદિ ઉપક્રમ વિના લાંબા કાળે નાશ પામે છે અને ઔષધાદિ ઉપક્રમથી શીઘ્રપણે-અલ્પકાળમાં જ નાશ પામે છે; પરંતુ જે અસાધ્ય વ્યાધિ હોય છે, તે તો સેંકડો ઔષધાદિ ઉપક્રમો વડે પણ નાશ પામતો નથી.
તેવી રીતે અમુક કર્મ પણ બાંધતી વખતે ઉપક્રમ યોગ્ય બાંધ્યું હોય છે, તો તે ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત ન થાય તો જેટલી સ્થિતિનું બાંધ્યું હોય તેટલી સ્થિતિપર્યંત ભોગવ્યા સિવાય ક્ષય પામતું નથી અને ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત થાય તો શીઘ્રપણે અન્તર્મુહૂર્યાદિ અલ્પકાળમાં જ પ્રદેશોદયવડે ભોગવાઈને નાશ પામે છે, પરંતુ જે કર્મ નિકાચિતપણે બાંધ્યું હોય છે, તે કર્મ બાંધતી વખતે જ એવું અસાધ્ય બાંધ્યું હોય છે કે તેને સેંકડો ઉપક્રમ લાગે, તોપણ તે જેટલા કાળપર્યંત ભોગવવાનું હોય, તેટલા કાળપર્યંત ભોગવ્યા વિના નાશ પામતું નથી. ૨૦૫૫.
પ્રમાણથી કર્મનું સોપક્રમપણું સિદ્ધ કરે છે.
Jain Education International
सज्झासज्यं कम्मं किरियाए दोसओ जहा रोगो । सज्झमुवक्कामिज्जइ एत्तो च्चिय सज्झरोगो व्व ॥। २०५६ ।।
सज्झामयहेऊओ सज्झनियाणासओऽहवा सज्यं ।
सोवक्कमणमयं पिवपिव देहे देहाड़भावाओ ।। २०५७ ।।
રોગની જેમ કર્મ પણ દોષરૂપ હોવાથી ક્રિયાવડે સાધ્ય અથવા અસાધ્ય હોય છે, જે કર્મ સાધ્ય હોય છે, તેનો સાધ્યરોગની જેમ ઉપક્રમ થાય છે. સાધ્યરોગના હેતુભૂત હોવાથી અથવા
For Private & Personal Use Only
www.jainelibrary.org