SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨] અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ રીતે નથી જાણતો, તે તું સાંભળ. વિદ્યમાનના નિષેધથી અધનની જેમ અશરીરનો વ્યપદેશ છે. એટલે કે નશબ્દના નિષેધથી તેવા જ પ્રકારના અન્ય પદાર્થમાં તેનો પ્રત્યય થાય છે. તેથી અશરીર કહેવાથી મુક્તજીવ માનવો યોગ્ય છે, પણ ગધેડાના શીંગડાની જેમ અભાવ માનવો યોગ્ય નથી. ૨૦૧૫ થી ૨૦૧૮. વળી :- “નદ વરસશરીરરય પ્રિયા–પ્રિયયોરપતિરિત” “31શરીર વી વસંત પ્રિયા–પ્રિયે ન પૃશતઃ” ઈત્યાદિ જે વેદોક્ત શ્રુતિ છે. તે મોક્ષનો અભાવ, મોક્ષ અવસ્થામાં જીવનો સર્વથા નાશ, અને મુક્તાત્માને સુખનો અભાવ, એમ માનવાથી અયોગ્ય ઠરે છે; કેમકે એ જ શ્રુતિથી જીવકર્મના વિયોગરૂપ મોક્ષ, મોક્ષમાં શુદ્ધ જીવની વિદ્યમાનતા અને મુક્તાત્માને નિરૂપમ અનંત સુખ એ ત્રણે બાબતો સિદ્ધ થાય છે. પ્રભાસ - અશરીરનો સર્વથા નાશ થવાથી નાશ પામેલ જીવ ખરશૃંગની જેમ અભાવરૂપ થાય છે, એવાને સુખ-દુઃખનો સ્પર્શ ન થાય, એ સ્પષ્ટ જાણી શકાય એવું છે. તેથી ઓલવાઈ ગયેલા પ્રદીપની જેમ મોક્ષ પામેલ જીવનો સર્વથા નાશ માનવામાં શો દોષ છે ! ભગવંત - હે આયુષ્યનું પ્રભાસ ! તું એ વેદ પદોનો અર્થ બરાબર નથી જાણતો તેથી એવો અયોગ્ય અર્થ કરે છે, સાંભળ, તેનો અર્થ આ પ્રમાણે છે. એ પદમાં જ અવ્યય છે. તે નિષેધાર્થે છે. દિ અને વૈ અવ્યય પંચમી અર્થે છે, અને સશરીરરય પદનો અર્થ શરીરવાળા જીવને, પ્રિયપ્રિયચોરવતરિત એનો અર્થ સુખ-દુઃખનો નાશ. આ સર્વનો સમુદિત અર્થ આ પ્રમાણે થાય. જીવ શરીરવાળો હોવાથી તેને સુખ-દુઃખનો નાશ નથી તથા ૩rશરીરરી આદિનો અર્થ આ પ્રમાણે છે, શરીરરહિત એવી મોક્ષ અવસ્થામાં વસતા જીવને સુખદુઃખ સ્પર્શતા નથી. અર્થાતું જ્યાં સુધી જીવ શરીરયુક્ત છે ત્યાં સુધી તે સુખ અથવા દુઃખથી કદીપણ મૂકાતો નથી અને શરીરરહિત મુક્તાત્માને વેદનીય કર્માદિનો ક્ષય થવાથી સુખ-દુઃખ કદીપણ સ્પર્શતા નથી. આ પ્રમાણે એ પદોનો અર્થ થતો હોવાથી અશરીર શબ્દથી મુક્ત અવસ્થામાં રહેલા વિદ્યમાન જીવનું જ કથન કર્યું છે, પણ સર્વથા અભાવરૂપ નષ્ટજીવનું કથન નથી કર્યું, જેમ “ધનરહિત દેવદત્ત” આમાં વિદ્યમાન દેવદત્તને ધનનો નિષેધ કર્યો, પણ અવિદ્યમાન એવા ખરશૃંગને ધનનો નિષેધ નથી કર્યો, આથી કંઈ દેવદત્તનો અભાવ નથી સિદ્ધ થતો, તેમ અશરીરશબ્દથી જીવનો નાશ ન સમજવો, પણ શરીરરહિતપણે મુક્ત અવસ્થામાં લોકાને તે વિદ્યમાન છે. કારણ કે જેનો જ્યાં નિષેધ કરાય છે, તે નિષેધ તે અમુક સ્થાને વિદ્યમાન હોય એનો જ કરાય છે, પણ ખરશંગની જેમ સર્વથા અવિદ્યમાનનો નિષેધ નથી કરાતો. જેનો નિષેધ કરાય, તે અન્ય સ્થાનમાં વિદ્યમાન હોય, એમ કેમ માની શકાય ? એવી તને શંકા થતી હોય, તો જેમ “નબ્રાહ્મણ” એટલે જે બ્રાહ્મણ નહિ તે અબ્રાહ્મણ, આમ કહેવાથી બ્રાહ્મણ સિવાય અન્ય ક્ષત્રિયાદિ સમજાય છે. પણ સર્વથા અભાવ નથી સમજાતો, તેવી રીતે અહીં પણ “જેને શરીર નહીં, તે અશરીર” એમ કહેવાથી શરીરી જેવો અન્ય અશરીરી મુક્ત જીવ જ સમજાય છે, પણ તેનો સર્વથા અભાવ નથી સમજાતો. કારણ કે બન્નેમાં ઉપયોગધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy