SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પ્રભાસ - અસ્તુ ભલે એ એમ થાય, પણ “મુક્તાત્મા ઈન્દ્રિયોના અભાવે આકાશની જેમ અજ્ઞાની છે” મારા એ પક્ષમાંનો ઈન્દ્રિયોના અભાવરૂપ હેતુ, ધર્મના સ્વરૂપને વિપરીત સિદ્ધ કરે છે, તેથી વિરૂદ્ધ છે, એમ આપ કહો છો, તે કેવી રીતે ? ૧૬૬] ભગવંત :- ઈન્દ્રિયો ઘટની જેમ મૂર્તાદિ સ્વભાવવાળી હોવાથી તે જાણી શકતી નથી. તે જાણવાનાં દ્વારો છે, ત્યાં જાણનાર તો આત્મા છે; કેમકે (ઈન્દ્રિયવડે જાણેલ અર્થનું) ઈન્દ્રિયોનો ઉપશમ થયા છતાં પણ આત્માને સ્મરણ થાય છે અને કોઈ વખત ઈન્દ્રિયોનો વ્યાપાર છતાં પણ આત્માને પદાર્થનું જ્ઞાન નથી થતું, માટે પાંચ બારીઓથી જોનાર વ્યક્તિની જેમ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. આ પ્રમાણે ઈન્દ્રિયોના અભાવરૂપ જે તારો હેતુ છે તે ધર્મીના સ્વરૂપને વિપરીત સિદ્ધ કરે છે અર્થાત્ તેથી વિરૂદ્ધ છે. ૧૯૯૨ થી ૧૯૯૬. જ્ઞાન એ જીવનો સ્વભાવ છે, તેથી ઈન્દ્રિયોના અભાવે મુક્તને જ્ઞાનનો અભાવ થાય તે બતાવે છે. नाणरहिओ न जीवो सरुवओऽणु व्व मुत्तिभावेणं । जं तेण विरुद्धमिदं अत्थि य सो नाणरहिओ य ।।१९९७ ।। किह सो नाणसस्र्वो नणु पच्चक्खाणुभूइओ नियए । परदेहम्मि वि गज्झो स पवित्त - निवित्तिलिंगाओ ।।१९९८। सव्वावरणावगमे सो सुद्धयरो हवेज्ज सुरो व्व । तम्मयभावाभावादण्णाणित्तं न जुत्तं से || १९९९॥ एवं पगासमइओ जीवो छिद्दावभासयत्ताओ । किंचिम्मेत्तं भासइ छिद्दावरणप्पईवो व्व ॥ २०००|| सुबहुतरं वियाण मुत्तो सव्वावरणविगमाओ । अवणीयधरो व्व नरो वियगावरणो पईवो व्व || २००१ || જેમ પરમાણુ મૂર્તભાવરહિત નથી, તેમ જીવ પણ સ્વરૂપથી જ્ઞાનરહિત નથી, માટે “મુક્તાત્મા જ્ઞાનરહિત છે.” એ કથન વિરૂદ્ધ છે. જીવ જ્ઞાન સ્વરૂપ છે; એની શી ખાત્રી ? (એમ પૂછવામાં આવે તો) તે પ્રત્યક્ષ અનુભવથી પોતાના અને પરના શરીરમાં પ્રવૃત્તિ-નિવૃત્તિના લિંગથી જણાય છે. વળી એ મુક્તાત્મા સર્વ આવરણના અભાવે સૂર્યની જેમ વધારે શુદ્ધ હોય છે, માટે ઈન્દ્રિયના અભાવે મુક્ત જીવને અજ્ઞાનપણું કહેવું યોગ્ય નથી. એ પ્રમાણે જીવ પ્રકાશમય-જ્ઞાનમય છે, પણ (સંસારી અવસ્થામાં) છિદ્રાવભાસકપણાથી, છિદ્રવાળા આવરણમાં (કટાદીકમાં) પ્રકાશતા પ્રદીપની પેઠે કિંચિત્માત્ર પ્રકાશે છે; પરંતુ સર્વ આવરણનો નાશ થવાથી, ઘરરહિત પુરૂષ, અથવા નિરાવરણ પ્રદીપની જેમ મુક્તાત્મા અતિશય (સર્વ) જાણે છે. ૧૯૯૭ થી ૨૦૦૧. Jain Education International ભગવંત :- પરમાણુ જેમ મૂર્તભાવ વિના નથી હોતા, તેમ જીવ પણ જ્ઞાન વિના નથી હોતો, કેમકે જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. તેથી “મુક્ત જીવ જ્ઞાનરહિત છે.” એ કથન સર્વથા વિરુદ્ધ છે. કારણ કે સ્વરૂપ સિવાય સ્વરૂપવાન કદિ પણ હોઈ શકે નહિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy