SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંત] આઠમા ગણધરનો વાદ. [૧૩૫ ઈન્દ્રિયપ્રત્યક્ષ જ્ઞાનથી અતીન્દ્રિયપ્રત્યક્ષ કરતાં વધારે જોઈ શકાય છે, એમ તું કહેતો હોય તો તે પણ અયુક્ત છે, કારણ કે પાંચ બારીઓવાળા ગૃહમાં રહીને વસ્તુ જોનાર વ્યક્તિ કરતાં, ખુલ્લા મેદાનમાં રહીને વસ્તુ જોનાર વ્યક્તિ જેમ તે ગૃહવાળા મનુષ્ય કરતાં વધારે સારી રીતે વસ્તુ જોઈ શકે છે, તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાનવાળા જીવ કરતાં, અતીન્દ્રિય કેવળજ્ઞાન યુક્ત-શુદ્ધ સ્વરૂપવાળો જીવ જ અતિશય સારૂં જુએ છે. ૧૮૯૨-૧૮૯૩-૧૮૯૪-૧૮૯૫. ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ જ ન કહેવાય તે જણાવી હવે નરકોની સિદ્ધિ કરતાં કહે છે કે :न हि पच्चक्खं धम्मंतरेण तद्धम्ममेत्तगहणाओ । यत्तओ व सिद्ध कुंभाणिच्चत्तमेत्तस्स ।। १८९६ ॥ पुव्वोवलद्धसंबंधसरणओ वानलो व्व धूमाओ । अहव निमित्तंतरओ निमित्तमक्खस्स करणाइं ।। १८९७ ॥ केवल-मणो-हिरहियरस सव्वमणुमाणमेत्तयं जम्हा । नारगसब्भावम्मि य तदत्थि जं तेण ते संति ॥ १८९८ ॥ पावफलरस पगिट्ठस्स भोइणो कम्मओऽवसेस व्व । सन्ति धुवं तेऽभिमया नेरड्या, अह मई होज्जा ।। १८९९ ।। अच्चत्थदुक्खिया जे तिरिय - नरा - नारगति तेऽभिमया । तं न जओ सुरसोक्खप्पगरिससरिसं न तं दुक्खं || १९००।। ઘટની અનિત્યતાને સિદ્ધ કરનાર કૃતકપણા રૂપ હેતુની જેમ ધર્માન્તર વડે તેના કેટલાક ધર્મ માત્રનું જ ગ્રહણ થવાથી ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ નથી. અથવા પૂર્વોપલબ્ધ સંબંધના સ્મરણથી ધૂમવડે અગ્નિના જ્ઞાનની જેમ નિમિત્તાંતરથી ઈન્દ્રિયો જીવને (જ્ઞાનમાં) નિમિત્તરૂપ છે. કારણ કે કેવળજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન સિવાયનું સર્વ જ્ઞાન અનુમાનમાત્ર છે. નારકીનો સદ્ભાવ સિદ્ધ કરવારૂપ પ્રસ્તુત વિષયમાં તો તે અતીન્દ્રિય પ્રત્યક્ષથી નારકો જણાય છે, માટે નારકી વિદ્યમાન છે, એમ અંગીકાર કર. અવશેષ કર્મફળ ભોગવનારની જેમ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનાર કોઈક છે, તે નારકી છે. અત્યંત દુઃખી તિર્યંચો અને મનુષ્યો જ નારકી છે-એમ તને માન્ય હોય, તો તે અયોગ્ય છે, કેમકે દેવતાના ઉત્કૃષ્ટ સુખની માફક ઉત્કૃષ્ટ એવું દુઃખ તે બન્નેને નથી. ૧૮૯૬ થી ૧૯૦૦. અન્યલિંગથી સાધ્યની સિદ્ધિ કરવામાં સમર્થ એવું જે અનુમાન તે જેમ પ્રત્યક્ષજ્ઞાન નથી; તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ પ્રત્યક્ષ નથી ઉદાહરણ તરીકે કૃતકપણાથી ઘટની અનિત્યતા માત્ર સિદ્ધ કરનાર અનુમાન જેમ પ્રત્યક્ષ નથી તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ ચક્ષુ આદિ ઈન્દ્રિયના રૂપાદિને જ જાણવાની શક્તિરૂપ ધર્માન્તર વડે અનન્તધર્માત્મક વસ્તુના ફક્ત રૂપાદિ ધર્મનું જ જ્ઞાન થાય છે, તેથી તે પ્રત્યક્ષ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy