SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪]. આઠમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ मुत्ताइभावओ नोवलद्धिमंतिदियाइ कुंभो ब्व । उवलंभद्दाराणि उ ताइं जीवो तदुवलद्धा ॥१८९३।। तदुवरमेऽवि सरणओ तब्बाब्वारेऽवि नोवलंभाओ। इंदियभिन्नो नाया पंचगवक्खोवलद्धा वा ॥१८९४॥ जो पुण अणिंदिओ च्चिय जीवो सव्वापिहाणविगमाओ । सो सुबहुयं वियाणइ अवणोयघरो जहा दट्ठा ॥१८९५॥ અથવા જે ઈન્દ્રિયથી પ્રત્યક્ષ છે, તેને જ શું તમે પ્રત્યક્ષ કહો છો? એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે તે તો ઉપચારમાત્રથી જ પ્રત્યક્ષ છે. સત્ય-પ્રત્યક્ષ તો અતીન્દ્રિય પદાર્થને જણાવનાર અવધિ આદિ જ્ઞાનો છે અને તે જ સત્ય તત્ત્વ છે. કુંભની જેમ ઈન્દ્રિયો મૂર્તિમાન હોવાથી પોતે વસ્તુને જાણી શકતી નથી, પણ તે ઉપલબ્ધિનાં દ્વારો છે. વસ્તુને ઉપલબ્ધ કરનારજાણનાર તો જીવ છે. કારણકે ઈન્દ્રિયોનો ઉપરમ થયા છતાં પણ તે દ્વારા જાણેલ વસ્તુનું સ્મરણ થાય છે, અને ઈન્દ્રિયોનો વ્યાપાર હોવા છતાં પણ કોઈ વખત (અનુપયોગમાં) વસ્તુનો બોધ નથી થતો. એથી પાંચ બારીએથી જાણનાર તેથી ભિન્ન વ્યક્તિની જેમ ઈન્દ્રિયથી ભિન્ન કોઈ જ્ઞાતા છે. ખુલ્લા આકાશમાં જોનારની જેમ સર્વ આવરણ રહિત જે જીવ છે. તે અનિંદ્રિય હોવાથી સેન્દ્રિય જીવ કરતાં વધારે જાણે છે. ૧૮૯૨-૧૮૯૩-૧૮૯૪-૧૮૯૫. હે અલંપિત ! મારું પ્રત્યક્ષ અતીન્દ્રિય હોવાથી, તું ન માનતો હો, તો શું જે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે, તેને જ તું પ્રત્યક્ષ માને છે? જો એમ માનતો હોય, તો તે અયોગ્ય છે, કારણ કે ઈન્દ્રિયપ્રત્યક્ષને તો ઉપચારમાત્રથી જ પ્રત્યક્ષ કહેવાય છે જેમ અનુમાનની અંદર ધૂમાદિ બાહ્ય લિંગ દ્વારા અગ્નિ વગેરે વસ્તુ જણાય છે, તેવું આમાં નથી, તેથી ઉપચારથી પ્રત્યક્ષ જેવું જણાતું હોવાથી તે પ્રત્યક્ષ કહેવાય છે, પણ વસ્તુતઃ તે પરોક્ષ જ છે. અક્ષ એટલે જીવ, તે જીવ અનુમાનની જેમ અહીં પણ વસ્તુને સાક્ષાત્ નથી જોતો, પરંતુ ઈન્દ્રિય દ્વારા જુએ છે એટલે અતીન્દ્રિય પ્રત્યક્ષ તેજ ખરૂં પ્રત્યક્ષ છે, અને જીવ તેમાં જ વસ્તુને સાક્ષાત્ જુએ છે. * આકપિત - જોકે ઈન્દ્રિય પ્રત્યક્ષમાં જીવ સાક્ષાતુપણે વસ્તુને નથી જાણતો, પણ ઈન્દ્રિયો તો સાક્ષાતું જાણે છે, માટે ઈન્દ્રિયોનું પ્રત્યક્ષ કે પ્રત્યક્ષ છે - એમ કહેવામાં આવે, તો શું હરકત છે ? ભગવંત - ઘટની જેમ ઈન્દ્રિયો પુગલના સમૂહરૂપે મૂર્તિમાન તેમજ અચેતન હોવાથી વસ્તુને જાણી શકતી નથી, પણ તે બારીની જેમ શ્રોત્રાદિ ઈન્દ્રિયો જ્ઞાનનાં દ્વારો છે. વસ્તુનો જાણનાર તો આત્મા જ છે. તે ઈન્દ્રિયોથી ભિન્ન છે, કારણ કે ઈન્દ્રિયોનો ઉપરમ થયા છતાં પણ ઈન્દ્રિય દ્વારા જાણેલ વસ્તુનું સ્મરણ આત્માને થાય છે, અને કોઈક વખત જીવ અન્યમનસ્ક હોય, તો ઈન્દ્રિયોનો વ્યાપાર હોય, તે છતાં પણ વસ્તુનો બોધ નથી થતો, માટે પાંચ બારીઓથી વસ્તુ જોનાર જેમ બારીઓથી ભિન્ન છે, તેમ ઈન્દ્રિય દ્વારા વસ્તુને જાણનાર જીવ પણ ઈન્દ્રિયોથી ભિન્ન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy