SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬]. પાંચમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જ પરલોકમાં અંગીકાર કર. અર્થાત્ આ ભવમાં વિવિધ ગતિના હેતુભૂત વિચિત્ર ક્રિયા કરનારા મનુષ્યો જણાય છે, તો પરલોકમાં પણ તેઓ તે ક્રિયાને અનુરૂપ ફળ ભોગવનાર થશે જ. ૧૭૭૯ થી ૧૭૮૨. પુનઃ સુધર્મ ગણધરની શંકાનો ઉત્તર કહે છે : अह इह सफलं कम्मं न परे तो सव्वहा न सरिसत्त । अकयागम-कयनासा कम्माभावोऽहवा पत्तो ॥१७८३।। कम्माभावे य कओ भवंतरं ? सरिसया व तदभावे । निक्कारणओ य भवो जड़ तो नासोऽवि तह चेव ॥१७८४।। कम्माभावेऽवि मई को दोसो होज्ज जइ सभावोऽयं । जह कारणाणुरूवं घडाइ कज्जं सहावेणं ॥१७८५॥ આ લોક સંબંધી કર્મ સફળ છે, પણ પરલોક સંબંધી કર્મ સફળ નથી; (એમ કહેતો હોય) તો સદશ્યપણું સર્વથા નહી ઘટે. તેથી અકૃતઆગમ-કૃતનાશ તથા કર્મનો અભાવ પ્રાપ્ત થશે. વળી કર્મના અભાવે ભવાન્તર નહીં થાય, ભવાન્તરના અભાવે સદશ્યતા પણ નહીં થાય; અને જો નિષ્કારણ ઉત્પત્તિ માનવામાં આવે, તો નાશ પણ તેમજ થશે. (કદી તું એમ કહેશે કે –) કર્મના અભાવે પણ ઉત્પત્તિ થશે, એમાં શું દોષ છે ? કેમકે એવો જ સ્વભાવ છે, જેમ કારણાનુરૂપ ઘટાદિ કાર્ય સ્વભાવથી થાય છે, તેમ તે પણ સમજવું (આ સ્વભાવવાદનું ખંડન આગળની ગાથામાં સમજાવાશે) ૧૭૮૩ થી ૧૭૮૫. સુધર્મ - આ ભવમાં થતું ખેતી આદિ ક્રિયારૂપ કર્મ જ સફળ છે, પરભવ સંબંધી જે દાનાદિ ક્રિયારૂપ કર્મ તે નિષ્ફળ છે, એટલે પરલોકમાં જીવ વિદેશ પણ નથી. ભગવંત - જો એમ હોય, તો જીવોનું સદેશપણું સર્વથા નહિ ઘટે, કારણ કે તે સદેશપણું પણ કર્મથી જ થાય છે, અને પરભવ સંબંધી ક્રિયારૂપ કર્મ તો તું નિષ્ફળ માને છે, એટલે તેની નિષ્ફળતામાં સદેશપણાનો જ અભાવ થાય છે. સુધર્મ - કર્મના અભાવે પણ જીવ સદશ થાય, જેમ માટીમાંથી એક સરખા ઘડા થાય છે. ભગવંત - જો એમ હોય, તો તે સાદેશ્યપણું અકૃતિ- નિતુક થાય, અને દાનહિંસાદિ ક્રિયાના ફળરૂપ કર્મનો નાશ થાય અથવા દાનહિંસાદિક ક્રિયા નિષ્ફળ માનવાથી મૂળથી કર્મબન્ધ પણ ન થાય. એ પ્રમાણે કર્મના અભાવે કારણનો અભાવ થવાથી ભવાનાર જ ક્યાંથી થાય? અને ભવાન્તર ન થાય, તો પછી સાદેશ્યપણું તો ક્યાંથી જ થાય ? સુધર્મ :- જેમ જડ પદાર્થોનાં કાર્યોને કારણો સરખાં જ થાય છે, તેમ કર્મના અભાવે પણ ભવાન્તર સદેશ થાય છે. ભગવંત :- જો એમ હોય, તો ભવાન્સર તથા ભવનો નાશ પણ કારણ સિવાય જ માનવો જોઈએ. અને પછી તપ-નિયમાદિ અનુષ્ઠાનનો પ્રયાસ નિરર્થક થાય. વળી જેમ તું નિષ્કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy