SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ એક પુલ પાસે કેટલાક તોફાની લોકો તેમને લૂંટવા બેઠા હતા. સૈનિકટુકડીના આગેવાનને આવી પરિસ્થિતિમાં આગળ જવું વ્યાજબીન લાગતાસૌને ત્યાં જ રોકાઈ જવા કહ્યું. એટલામાં ત્યાં એક શીખ સરદાર પોતાની ટુકડી લઈનીકળ્યા. શીખસરદારની પત્ની પૂજ્ય ગુરુદેવને ઓળખતી હતી. તેણે પોતાના પતિને પૂજાશ્રીજીની મદદકરવા જણાવ્યું. સરદારજીએમદકરી અને સૌ સહીસલામત ભારત પહોંચી ગયા. આ ઘટનામાં પણ આપત્તિમાં ફસાયેલા પૂજ્ય ગુરુદેવ તથા તેમના કાફલાને દેવકૃપાથી ગેબી સહાય સમયસર મળી રહી એ વાત તેમની આધ્યાત્મિક સિદ્ધિની સાક્ષી પૂરે છે. સાચા સાધુસંતની સેવા કરનારપરકુદરતરાજી રહે છે. મહાત્માઓની ઉપેક્ષા અવહેલના કરનારને કુદરત પણ ક્ષમા આપતી નથી. વિ.સં. ૧૯૯૨માં પૂજ્ય ગુરુદેવ સનખતરાનગરમાં અંજનશલાકાની પ્રતિષ્ઠા કરાવી પાછા ફરતા પશરુર નામના ગામમાં રોકાયા હતા. સખત ગરમી પડતી હતી. પૂજ્ય ગુરુદેવ તથા ભક્તો પણ થાકીને લોથપોથ થઈ ગયા હતા. બધાને જોરદાર તરસ લાગી હતી, પરંતુ એ ગામમાં કોઈએ આવકાર ન આપ્યો. પાણીની વ્યવસ્થા પણ ન થઈ. લાચાર થઈ સૌને આગળવિહાર કરવો પડ્યો. પૂજ્યશ્રીજી તો ગામ છોડી ગયા અને ત્યાં અકળ ઘટના બની. પશરગામના કૂવાઓનું પાણી ખારું થઈ ગયું. ગામના લોકો દુઃખી થઈગયા. શ્રદ્ધાળુ લોકોને મનોમંથન કરતા પોતાની ભૂલની પ્રતીતિ થઈ. લગભગ છ વર્ષ પછી સંવત ૧૯૯૮ માં ફરી એકવાર વિહાર કરતા પૂજ્ય ગુરુદેવ એ ગામમાં પધાર્યા. ગામ લોકો આ વખતે ગાફેલ ન રહ્યા. તેમના વાણીવર્તનમાં પરિવર્તન આવી ગયું હતું. ગામલોકોએ ભેગા થઈ શ્રદ્ધાપૂર્વક પૂજ્યશ્રીજીનું સ્વાગત કર્યું. ભક્તિભાવથી તેમની સ્તુતિ કરી યથાયોગ્ય ભક્તિ કરી. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવત્યાંથી આગળ વિહાર કરી ગયા. પશરુર ગામમાં અલૌકિક ઘટના બની. પૂજ્યશ્રીજીના મંગલ પ્રવેશ બાદ કૂવાના ખારાં પાણી તત્કાળ સાકર જેવા મીઠાં થઈ ગયાં. કૂવાઓની જળસપાટી પણ ઊંચી આવી. આસપાસની નદીઓમાં પાણી વહેવા લાગ્યાં. ગામલોકો સૌ આ ઘટના જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. એકવાર પૂજ્ય ગુરુદેવ મુંબઈની ચોપાટી પર પ્રવચન આપી રહ્યા હતા. પ્રવચન પુરું થતાં એક ભાઈ પૂજ્યશ્રીજી પાસે આવ્યા. ભાવપૂર્વક વંદના કરી ચરણસ્પર્શ કર્યા અને પછી બોલ્યા, ગુરુદેવ! આપ મને ઓળખો છો?' ના, ભાઈ! હું તમને નથી ઓળખતો, પૂજ્ય ગુરુદેવે જવાબ આપ્યો. ત્યારે પેલા ભાઈ લાગણીવશ બોલ્યા, “હે પ્રાણવલ્લભ! આપ તો મારા પ્રાણદાતા છો. આપની કૃપાપ્રસાદીથી જ મારા પ્રાણ બચ્યા છે. હું સહીસલામત છું. હું મેરઠ જિલ્લાની ! વતની છું. વકીલાતનો વ્યવસાય કરું છું. એકવાર મારી ભૂલના કારણે એક ગુના સબબ મને ફાંસીની સજા કરવામાં આવી હતી. આ વાતની જાણ થતાં મારી પત્ની બેબાકળી થઈ ગઈ. મારી પત્નીને આપના વિષે જાણકારી મળી અને તે આપની પાસે દોડી આવી. - વલોવાતાં હેયે તેણે પોતાનાં દુઃખની દાસ્તાન આપને કહી સંભળાવી અને આવા સિંકટમાંથી ઉગારવા તેણે આપને પ્રાર્થના કરી. તેની કરુણ કહાનીસાંભળી આપશ્રી ગળગળા થઈ ગયા. આપશ્રીએ ત્યારે અંતરથી આશીર્વાદ આપ્યા.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy