SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ માતા!તુમ ચિંતામત કરો. દેવગુરુધર્મપસાથે સબકુછ અચ્છા હો જાયેગા...!' આપનો આશીર્વાદરૂપીવાસક્ષેપ લઈને તે મારી પાસે આવી અને આપની આશિષથી ચમત્કાર સર્જયો. મારા ઉપર લાગેલો આરોપ ખોટો સાબિત થયો. મારી ફાંસીની સજા રદ થઈ ગઈ. મને નવજીવન પ્રાપ્ત થયું. ધન્યવાદ ગુરુદેવ! આપની કૃપાનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી!” “ધન્યવાદમારો નહીં દેવગુરુ પરમાત્માનો માન, ભલા ભાઈ!” મેરઠના વતનીની વાત સાંભળી પૂજ્ય ગુરુદેવ નિર્લેપભાવે બોલ્યા હતા. પૂજ્યશ્રીજી આવા નિઃસ્પૃહી અલૌકિક સંત હતા. પૂજ્યગુરુદેવના મહાપ્રયાણપછી મુંબઈમાં એક અલૌકિક ઘટના બની હતી. પૂજ્યશ્રીજીની પાલખીગૌડીજીના મંત્રિના મુખ્ય દરવાજેથી નીકળી, જ્યારે વિશાળ ચોગાનમાં પહોંચી, ત્યારે એક ચમત્કાર સર્જયો. એક મહાન તપસ્વી દિવ્યાત્માનું ભવ્ય સ્વાગત કરી ગગન પણ જાણે ધન્યતા અનુભવી રહ્યું હોય, તેમ આકાશમાં પૂજ્ય ગુરુદેવના મસ્તક પર જ એકમેઘધનુષ્યના સપ્તરંગોની આભારચાઇલોકો ચકિત થઈ ગયા. અનેક ભક્તોના ભોમિયા, માર્ગદર્શક, જીવનના પથપ્રદર્શકધર્માત્માને સ્વર્ગમાં લઈ જવા જાણે દિવ્ય વિમાન આવ્યું હોય એવી અનુભૂતિ લોકોના અંતરમાં થઈ. એકયુગવીર મહાત્માના સ્વર્ગારોહણની એ ઘટનાની સાક્ષી બનેલી અલબેલી મુંબઈનગરી એ દિવસે ધન્ય ધન્ય થઈ ગઈ. કહે છે કે સંત કબીરના મહાપ્રયાણ પછી એમના પાર્થિવ દેહના સ્થાને સુંદર પુષ્પોનો ઢગલો થઈ ગયો હતો! જગતના સંતો, મહાત્માઓ તથા દિવ્યાત્માઓના જન્મ તથા મૃત્યુ સાથે ઘણી વાર અલૌકિક ઘટનાઓ બનતી રહી છે. અંતિમ વર્ષોમાં લગભગ ૮૦વર્ષની વયે પૂજ્ય ગુરુદેવને મોતિયા આવ્યા હતા. સાદડી મુકામે તેમની આંખો પર કરેલા ઓપરેશનને ઝાઝી સફળતા સાંપડી નહોતી. તેમની આંખોની રોશનીનહીંવત્ થઈ ગઈ હતી. ત્યારબાદપૂજ્યશ્રીજી વિહાર કરી મુંબઈપધાર્યા. અહીંયાં વિખ્યાત ડૉક્ટરડગનની હોસ્પિટલમાં તેમના નેત્રપટલ પર ઓપરેશન કરવામાં આવ્યું. હજારો ભક્તોની પ્રાર્થના, બાધા, માનતા, આખડી તથા સાધુ સાધ્વીઓની શુભકામનાઓ પૂજ્ય ગુરુદેવની નેત્રજ્યોતિ માટે કરવામાં આવી હતી. અને ખરેખર એનું ચમત્કારિક પરિણામ પણ પ્રાપ્ત થયું. પૂજ્યશ્રીજીનું ઓપરેશન સફળ થયું. ડૉ. ડગને પૂજ્ય ગુરુદેવ વિશે કહેલું.. ‘અકથ્ય વાત છે! આપની આંખોમાં આટલી રોશની આવી જશે, એવી મને આશા નહોતી, કારણ આપની વૃદ્ધાવસ્થા છે, આંખોની સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. આપને બિલકુલદેખાતું નહોતું, છતાં આવું આશ્ચર્યજનક પરિણામ પ્રાપ્ત થશે એવી મને મુદ્દલ આશા નહોતી. મને લાગે છે પૂજ્ય ગુરુદેવ પ્રભાવી પુણ્યાત્મા છે....!' - પાલિતાણામાં જેમાસનાં સંક્રાંતિ પર્વ પર પૂજ્યશ્રીજીની નિશ્રામાં મળેલી સભામાં સંગીતકાર કવિશ્રી ઘનશ્યામભાઈએ પોતાનો સ્વાનુભવ રજૂ કર્યો હતો. “સંવત ૨૦૦૮ની જેઠ માસની સુદ છઠની ઉલ્લાસપૂર્ણ સાંજે હું મારા મિત્રો સાથે પાલીતાણાથીદૂર નિર્જન પર્વતની વનરાજીની અનુપમ શોભા નિહાળતો,આનંદમસ્તીમાં લીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy