SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠા થવાની હતી. મહા મહિનાની કડકડતી ઠંડીમાં પણ લોકોની અપાર ઉત્સાહછલકાતો હતો. આસપાસના ગામના ભાવિકો તથા દૂર દૂરથી ભક્તજનો આવ્યા હતા. દિગંબર જૈન હાઇસ્કૂલના મેદાનમાં આત્મવલ્લભનગરની રચના થઈ હતી. વિવિધ વ્યવસાયના વેપારીઓએ ધાર્મિક પુસ્તકો પૂજા વિધિનો સામાન, કપડા, જર-ઝવેરાતની દુકાનો લગાવી હતી. રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી હતી. ચોમેર વાતાવરણમાં હર્ષોલ્લાસ બાપેલા હતો. એટલામાં આકાશમાં અચાનક જ કાળાં વાદળો ઘેરાઈ આવ્યાં. ચોમેર અંધકાર છવાઈ ગયો. વીજળીઓ થવા લાગી અને હમણાં જ મેઘરાજા ભયંકર રીતે તૂટી પડશે એવી પ્રતીતિ સૌને થવા લાગી. પ્રતિષ્ઠાના ઉત્સવ આડે આવેલી આ કુદરતી આપત્તિથી સૌ ભક્તો ચિંતાતુર થઈ | ગયા. તેમના ઉત્સાહ ઉમંગ પર ઠંડું પાણી ફરી વળ્યું. સઘળા લોકો પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા. મુસ્લિમ બિરાદરો પણ પૂજ્યશ્રીજી પ્રત્યેની શ્રધ્ધાના કારણે ખુદાની બંદગીરવા લાગ્યા. સઘળા ભક્તો નિરાશ થઈ પૂજ્ય ગુરુદેવ પાસે ગયા અને હતાશ હૈયે પૂછવા લાગ્યા, ‘ગુરુદેવ! શું આપણા ઉત્સાહમાં ભંગ પડશે? પ્રતિષ્ઠાનો વરઘોડો મુલત્વી રાખવો પડશે?' પરંતુ પૂજ્યશ્રીજીએ તો નચિંત ભાવે સ્મિત રેલાવતા ટૂંકો જવાબ આપ્યો... “ચિંતા છોડો! સબકુછ અચ્છા હો જાયેગા.” હૈયે હામ અને અંતરમાં પૂજ્ય ગુરુદેવનું નામ તેમના વચન પર શ્રદ્ધા રાખી સૌ ભક્તો પાછા વળ્યા. ત્યાં તો થોડીવારમાં જ વાતાવરણમાં ફેરફાર થવા લાગ્યો. હવામાન બદલાઈ ગયું. વાદળો થોડીવાર ગરજીને શાંત થઈ ગયાં. પવન ફૂંકાયો, વાદળો દૂર ચાલ્યાં ગયાં. સૂરજ પાછો ચમકવા લાગ્યો. વરસાદની સંભાવના ટળી ગઈ. સૌ ભક્તોના ચહેરા પર ખુશીનું હાસ્ય દોડવા લાગ્યું. નિયત સમયે ધામધૂમપૂર્વક રથયાત્રા નીકળી. ગામના કેટલાક ચુસ્ત મુસ્લિમો મજીદ આગળથી રથયાત્રા પસાર થવા દેવા અંગે આનાકાની કરતા હતા, પરંતુ આ પ્રત્યક્ષ ચમત્કારનજરોનજરે નિહાળી તેમને પણ પૂજ્ય ગુરુદેવમાં ઓલિયાની શક્તિના દર્શન થયાં અને તેમનો વિરોધ શમી ગયો. આમ બડૌત ગામની પ્રતિષ્ઠા ખૂબ શાનદારરીતે સંપન્ન થઈ. ૧૯૪૭ના ભારત પાકિસ્તાનના ભાગલા ટાણે પૂજ્ય ગુરુદેવ ગુજરાંવાલામાં રોકાયા હતા. ઉપાશ્રયમાં તેમની સાથે ૨૫૦ જેટલા શ્રાવકોએ પણ આશરો લીધો હતો. ગુજરાંવાલામાં પણ ધર્મઝનૂની લોકોના ટોળાં ચારે બાજુલૂંટફાટકલેઆમ કરતા કરતા હતા. પૂજ્ય ગુરુદેવ એ સમય દરમ્યાન ઉપાશ્રયમાં ભક્તોને સાંત્વના આપતા હતા. તથા સૌ જપતપ આરાધના કરવામાં સમય પસાર કરતા હતા. - પૂજ્યશ્રીજીની આધ્યાત્મિક શક્તિના કારણે આવાઝનૂની ટોળાં હુમલો કરવાના ઇરાદે જ્યારે મંદિર તથા ઉપાશ્રયના પટાંગણમાં ઘૂસી આવતા, ત્યારે એ લોકોના પગમાંથી શકિત હણાઈ જતી. એ લોકો આગળ વધી શકતા નહીં. વળી તેમના ઉશ્કેરાયેલા મન શાંત થઈ જતા અને થોડીવારમાં જ એ લોકોને ખાલી હાથે પાછા ફરી જવું પડતું હતું. જ્યારે થોડાક સૈનિકો સાથે પૂજ્યશ્રીજી તથા ભક્તો ભારત આવવા નીકળ્યા, ત્યારે રસ્તામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy