SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઢગલાઓથી રાજમાર્ગ લાલગુલાબી થઈ ઊઠ્યો હતો. ભવિષ્યમાં પૂજ્યશ્રીજીની પુણ્યભૂમિના દર્શનથી લોકો કૃતાર્થ થઈ શકે એટલે તેમના અગ્નિસંસ્કાર ભાયખલા જૈન મંદિરના પટાંગણમાં કરવાનું નક્કી થયું. એ માટે સરકારી મંજૂરી માંગવામાં આવી. મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી મોરારજીભાઈ દેસાઈએ તત્ક્ષણમંજૂરી આપી દીધી. ખરેખર આ સમગ્ર ઘટના પરથી અંદાજલગાવી શકાય કે પૂજ્યશ્રીજીની લોકચાહના કેટલી અજોડ હતી. પૂજ્યશ્રીજીના સ્વર્ગવાસના પગલે દેશ-વિદેશથી તાર-ટપાલમાં શોક સંદેશાઓની વણઝાર લાગી ગઈ હતી. અનેક અગ્રણીઓએ શોકાંજલિઓ અર્પી હતી. ભારતના વિવિધ ભાષાના લગભગ તમામ અખબારોએ મુખ્ય પૃષ્ઠ પર તેમને યુગદ્રષ્ટા... પંજાબના તારણહાર... સેવામૂર્તિ મહામાનવ... ગરીબોના બેલી... મધ્યમવર્ગના ઉત્કર્ષ કર્તા... જૈન સમાજના ભાગ્યવિધાતા...આર્યસંસ્કૃતિના યોગદાન કર્તા. શિક્ષણના પુરસ્કર્તા ક્રાંતિકારી શાંતિદૂત જેવા બિરૂદોથી સન્માનિત કરી તેમના જીવનવૃત્તાંતના મુખ્ય અંશો સાથે બિરદાવતા અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા. વિદેશના અખબારોએ પણ પૂજ્યશ્રીજીના નિધનની નોંધ લઈ અહેવાલો છાપ્યા હતા. ‘આવા યુગદ્રષ્ટા યુગે યુગે અવતરતા રહે જેમના થકી આત્મસાધના તથા ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં પ્રકાશ પથરાતો રહે..!' એવા શબ્દોથી પૂજ્યશ્રીજીને નવાજી એક અખબારે હૃદય સ્પર્શીશ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂજ્ય ગુરુદેવના સ્વર્ગારોહણના પ્રસંગ પર અનેક મહાનુભાવોએ શોક સંદેશા પાઠવ્યા હતા. તત્કાલિન મુખ્યમંત્રી શ્રી મોરારજીભાઈદેસાઇએ પોતાના શોકસંદેશામાં જણાવ્યું હતું... ‘એમનાં જીવન તથા કાર્ય પ્રણાલિનો મારા જીવન પર ખૂબ સરસ પ્રભાવ પડચો હતો... જૈનોની દાનવૃત્તિને તેમણે શિક્ષણ ભણી પણ વાળી હતી... ગરીબ વિદ્યાર્થીઓની સહાયતામાં તેમણે જાતિ અથવા ધર્મના ભેદભાવ રાખ્યા નહોતા... સામાજિક સુધારા અંગે પણતેમના વિચારો પ્રગતિશીલ રહ્યા હતા. તેમણે ખાદી ધારાગ કરી હતી... આવા આચાર્યશ્રીના જીવનમાંથી અનેક લોકોએ પ્રેરણા મેળવી હતી... એમના દેહવિલય પછી પણ એમની પ્રેરણાઓ કાર્યાન્વિત રહેશે...' ‘જલી જાતી છોને જીવન ધૂપસળી મહેંકતી મહેંકતી આ....’ પૂજ્યાચાર્ય પંજાબ કેસરી શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.નું સમગ્ર સેવા પરાયણ યોગનિષ્ઠ કર્મઠ જીવન ઉપરોક્ત પંક્તિને સાર્થક કરી જાય છે. નિઃસ્વાર્થ, નિર્લેપ મહાન યુગદ્રષ્ટા,અપ્રતિમ લોકચાહનાના સ્વામી પૂજ્ય ગુરુદેવ ભક્તોના હૃદય સમ્રાટ હતા, આજેપણ છે અને ભવિષ્યમાં પણ એમનું સ્થાન અણનમ અકબંધ રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy