SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 'ધર્મપ્રભાવળા-જીવન મંત્ર અનેક ઉપસર્ગો સહન કર્યા પછી કેવળજ્ઞાનને ઉપલબ્ધ થયેલા દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી જ્યારે કરુણાવશ આત્મજ્ઞાનનો એ મહાપ્રસાદ અજ્ઞાનમાં, અંધશ્રદ્ધા તથા અંધવિશ્વાસમાં આથડતા લોકોને વહેંચવા ગયા, ત્યારે પણ તેમને ઘણી જગ્યાએ લોકોએ હેરાન કર્યા, ભિક્ષાચરીન આપી, ગામમાં પ્રવેશવા ન દીધા, ક્યાંય અજાણ્યા ગોવાળે કાનમાં ખીલા ઠોકાતો ચંડકૌશિકે તેમને અમારી પ્રાણ હરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વીતરાગ પરમાત્મા ધર્મની કસ્તુરી વહેંચવાના કામમાંથી વિચલિત ન થયા. જગતના અન્ય આત્મજ્ઞાની મહાપુરુષોને પણ લોકોએ ખૂબ યાતનાઓ આપી છે. ઈસુ ખ્રિસ્તને ખીલા ઠોકી વધસ્તંભે લટકાવ્યા... અનલહકનો નાદ છેડનાર મંસૂરને ફાંસી દીધી. મહંમદ પયગંબરને મારી નાખવા પ્રયાસો કર્યા. સુકરાતને ઝેર આપ્યું. જેમ ભક્ત મીરાંબાઈને રાણાએ ઝેરનો પ્યાલો મોકલાવી મારી નાખવા પ્રયાસ કર્યો હતો, ઠીક એ જ પ્રમાણેનો વ્યવહાર ઘણા મહાપુરુષો સાથે થયો છે. પરંતુ કરુણાનિધિ, આત્મજ્ઞાની સંતો મહાત્મા સાધુ-ભગવંતોએ આવા દુન્યવી વ્યવહારો, ઉપસર્ગોથી ડરીને કદી પણ પોતાના ધર્મપ્રચાર દ્વારા આત્મજ્ઞાનના ખજાના લૂંટાવવામાંથી પાછી પાની કરી નથી. ધરમ બિના ધરમ બિના ધરમ બિના નર બાવરે તૂને હીરા જનમ ગંવાયારે, તૂને હીરા જનમ ગંવાયા.. આત્મજ્ઞાનના તૃષાતુર પરમાત્માના કોઈ મતવાલા મસ્ત સંતે સર્વથા ઉચિત વાત પોતાના ભજનમાં કરી છે. જીવનમાં શાશ્વત સુખનિજાનંદમાં છે. સાચું સુખ આત્મ ઓળખમાં છે. સાચી શાંતિ આત્મજ્ઞાન જ આપી શકે. જીવનનો ધ્યેય આત્મજ્ઞાન જ હોઈશકે અને આ દુર્લભ આત્મજ્ઞાનની પ્રાપ્તિ સારુઅહિંસા, અપરિગ્રહ, સત્ય, કરુણા, મૈત્રી, માધ્યસ્થી તથા પ્રમોદ ભાવના અને નિષ્કામ કર્મ જેવા સિદ્ધાંતોની સાચી સમજમુજબનું આચરણ એટલે જ ધર્મ. જે સાધુ ભગવંતોએ ધર્મનો સાચો અમીરસ ચાખ્યો છે,એ લોકો જ ધર્મની સાચી સમજણ સિદ્ધાંતોની સમજ દ્વારા આપી શકે અને આવા દયાળુ સંતપુરુષો જીવનમાં સતત સંઘર્ષ કરી વિવિધ ત્રિતાપો વેઠી, સાંસારિક પીડાઓનો સામનો કરી ધર્મની કસ્તુરી વહેંચતા છે. હજારો વર્ષોથી જૈન સાધુ ભગવંતો સર્વસ્વ ત્યાગી પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના આત્મકલ્યાણક સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર કરતા આવ્યા છે અને એમના એ ધર્મપ્રચારના પરિણામે આજે જૈન ધર્મનું અસ્તિત્વ ટકી રહ્યું છે. જૈન ધર્મની પ્રભાવના સારુ આવા સમર્થ નિઃસ્વાર્થ સાધુ-ભગવંતોએ જે તે કાળમાં ભારે પુરુષાર્થ કર્યા છે. આવા પ્રભાવી ધર્મ પ્રચારકોએ ઘણીવાર ધર્મ પર આવેલી આપત્તિઓને હટાવી શાસનની શોભા વધારી છે. શ્રાવકોની પ્રાણ રક્ષા પણ કરી છે અને જૈન ધર્મના સિદ્ધાંતોથી અન્ય લોકોને માહિતગાર પણ કર્યા છે. ૧૪૪૪ ગ્રંથોના રચનાકાર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી મ.સા.એ પોતાના પ્રભાવથી અનેક ક્ષત્રિયોને જૈન ધર્મ અંગીકાર કરાવ્યો હતો. આચાર્ય શ્રી માનતુંગ સૂરિજી મ.સા., આચાર્ય શ્રી ખપટાચાર્યજી, આચાર્ય શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy