SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. આબાલવૃદ્ધ સૌ સમાજના સઘળા લોકોમાં પૂજ્યશ્રીજી કેવા લોકપ્રિય હતા એનું પ્રમાણ આ ઘટનામાં સાંપડે છે. ઈ.સ. ૧૯૫૩નો ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવે મુંબઇના ભાયખલા વિસ્તારમાં કર્યો હતો. આઝાદીના પર્વ નિમિત્તે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી યશવંતરાય ચૌહાણની અધ્યક્ષતામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્યશ્રીજીની લોકપ્રિયતાથી અભિભૂત થઈ આસભાના સંચાલકોએ તેમને મુખ્યવક્તાના રૂપમાં ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. પૂજ્ય ગુરુદેવે એ સભામાં આદર્શ વહીવટકર્તા કેવો હોવો જોઈએ તથા પ્રજાની એના પ્રત્યે કેવી અપેક્ષાઓ હોઈ શકે એ વિશે સ્પષ્ટતાપૂર્વક નીડરતાથી વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થતાં મુખ્યમંત્રીશ્રીયશવંતરાય ચૌહાણે પૂજ્ય ગુરુદેવના ઉમદા વિચારોની પ્રશંસા કરી અને સભામાં ઉપસ્થિત રહેવા બદલ પૂજ્યશ્રીજીનો આભાર વ્યક્ત કર્યો હતો. જૈન શાસનના આવા પ્રભાવક બહુમુખી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા, પ્રખર ચિંતકસમાજસેવક, ધર્મ પ્રભાવક લોકપ્રિય એવા આપણા ચારિત્રનાયક કલિકાલ કલ્પ, તિમિરતારિણી પૂજ્યાચાર્ય આચાર્ય ભગવંત શ્રીમદ્દવિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. આયુકર્મ પૂર્ણ થતાં તા. ૨૨-૦૯-૧૯૫૩ના રોજ મંગળવારની રાત્રેર-૩રક્લાકના સુમારે મહાપ્રયાણ કરી ગયા. પૂજ્ય ગુરુદેવના મહાપ્રયાણના સમાચાર ભારત, ઈંગ્લેન્ડ, અમેરિકા સર્વત્રટેલિફોન, તાર તથા રેડીયો દ્વારા પ્રસરી ગયા. પ્રાતઃકાળે જ્યારે પૂજ્યશ્રીજીના પાર્થિવનેગૌડીજી મહારાજના ઉપાશ્રયમાં લાવવામાં આવ્યો, ત્યારે તેમના અંતિમ દર્શન સારુ માનવ મહેરામણ ઉમટી પડ્યો. લોકોના ટોળેટોળાં આવતાં હતાં. ચિક્કાર ભીડ જામી હતી. પાયધુની તથા આસપાસની સડકો પર કીડિયારાની જેમ માનવમેદની ઉમટી હતી. પૂજ્યશ્રીજીના અંતિમ દર્શન સારુ સઘળા ફિરકાના સૌ શ્રાવકો ઉપરાંત હિંદુ, મુસ્લિમ, પારસી, શીખ, ઈસાઈ તમામ કોમના લોકો આવ્યા હતા. સઘળા ફિરકાના સાધુ-સાધ્વી ભગવંતો પણ આવ્યા હતા. પૂજ્યશ્રીજીના નિધનના સમાચારથી સમગ્ર મુંબઇ નગરી પર સન્નાટો છવાઈ ગયો હતો. તેમના માનમાં મુંબઈની શેરબજાર, ઝવેરી બજાર, સોની બજાર, રૂબજાર, કાપડ બજાર, મસ્જિદ બંદર રોડની બજારો સહિત શહેરની તમામ મુખ્ય બજારોએ રજા પાળી હતી. - નગરપાલિકાએ પણ પૂજ્યશ્રીજીનામાનમાં રજા જાહેર કરી હતી. ખૂબ અભૂતપૂર્વ અવિસ્મરણીય તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. બજારોમાં ઉમટેલી જનમેદનીના કારણે ક્યાંય તસુ ભારપગ મુકવાની જગ્યા બચી નહોતી. તમામ વર્ગના લોકો વેપારીઓ, અગ્રણીઓ, મહિલાઓ, આબાલવૃદ્ધ સૌ પૂજ્યશ્રીજીને અંતિમ વિદાય આપવા 'ઉમટી પડ્યા હતા. મુંબઇએ આવી અભૂતપૂર્વસ્મશાનયાત્રાઆ પૂર્વે નિહાળી નહોતી. ગુલાલના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy