SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (બાલન) એ પશ્ચિમના દેશોમાં જઈ જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. તા. ૨૨-૦૨-૧૯૫૩ના રોજ ધનજી સ્ટ્રીટમાં પૂજ્યશ્રીજીની અધ્યક્ષતામાં આયોજિત થયેલા કાર્યક્રમમાં જૈન ધર્મના સિદ્ધાંતોનો યુરોપ તથા અન્ય દેશોમાં પ્રચાર કરનારા હંગેરીના વતની ડૉકટર ફિલિપ્સ વાલિયા તથા જર્મનીના ડૉકટર વેઈન્ડનના ‘જૈન ધર્મની વિશેષતા’ વિષય પર ઉત્તમ પ્રવચન અપાયાં હતાં. પૂજ્ય ગુરુદેવે આ કાર્યક્રમમાં એ વિદ્વાનોની અનુમોદના કરતા જણાવ્યું હતું.... ‘પશ્ચિમના દેશોના આ બન્ને વિદ્વાનોએ જૈન ધર્મનું સરસ અધ્યયન કરી વિદેશની ધરતી પર તેના પ્રચારનું સુંદર કાર્ય કર્યું છે. મહુવાના શ્રી વીરચંદભાઈ ગાંધીએ અમેરિકાની શિકાગો ખાતેની ‘વિશ્વ ધર્મ પરિષદ' માં વ્યાખ્યાન આપી અનેક અમેરિકનોને જૈન ધર્મ પ્રત્યે આકર્ષિત કર્યા હતા. આજે તો અમેરિકા, જર્મની તથાયુરોપના ઘણા દેશોમાં જૈન ધર્મના પુસ્તકોનું વાચનમનન તથાસંશોધન થઈ રહ્યું છે. હું આ બન્ને વિદ્વાનોને જૈન ધર્મનો પ્રચાર કરવા બદલ ધન્યવાદ પાઠવું છું.... જૈન ધર્મ વિશ્વ ધર્મ છે. પશ્ચિમી પ્રજાને તેના સિદ્ધાંતોની સમજ મળી રહે તે માટે પાશ્ચાત્ય ભાષાઓમાં જૈન સાહિત્યનું સુંદર પ્રકાશન કરાવવું જોઈએ.’ જો દરિયાપાર જવાની ધાર્મિક મર્યાદાનું પાલન અનિવાર્ય ન હોત તો કદાચ આપણા લોકપ્રિય ચારિત્ર્ય નાયકે વિદેશની ધરતી પર જૈન ધર્મની ભારે પ્રભાવના અવશ્ય કરી હોત ! અંતિમ વર્ષોમાં મુંબઇના રોકાણ દરમયાન પૂજ્ય ગુરુદેવ ૮૩ વર્ષની ઉંમરે પ્રોસ્ટેટ ગ્રંથિની બીમારીના શિકાર થયા હતા. એમની આ બીમારી નવ માસ ચાલી હતી. ઘણા ઉપચારોકરાવ્યા, પરંતુ બીમારી જડ ઘાલી ગઈહતી. આ ઋગ્ણાવસ્થા દરમ્યાન પૂજ્યશ્રીના વિશાળ ભક્ત સમુદાયમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. આ સમય દરમ્યાન સમગ્ર દેશમાંથી અસંખ્ય ભાવિકો પૂજ્યશ્રીજીની સુખસાતા પૂછવા આવતા હતા. દેશ-વિદેશથી પણ તાર-ટપાલ દ્વારા શુભકામનાના સંદેશા પાઠવાતા રહ્યા. પૂજ્ય ગુરુદેવના શિષ્ય સાધુ-સાધ્વી પરિવારના સભ્યો પણ તેમની સેવા ચાકરીમાં ખડે પગે તૈયાર રહેતા હતા. સૌ પ્રાર્થના, પૂજાપાઠ, વ્રતનિયમ પૂજ્યશ્રીજીના સ્વાસ્થ્ય લાભ સારુ કરતા હતા. પૂજ્યશ્રીજીના વિરાટ વ્યક્તિત્વના કારણે તેમણે અદ્દભુત લોકચાહના અર્જિત કરી હતી. પૂજ્ય ગુરુદેવ માત્ર યુવાનો, વડીલો કે વયસ્ક લોકોમાં જ આદરપાત્ર લોકપ્રિય નહોતા. મહિલાઓમાં તેમનો પ્રભાવ જોરદાર હતો. પાટણમાં જ્યારે જ્ઞાનભંડારોના રક્ષણ માટે ભવન નિર્માણસા પૂજ્યશ્રીજીએટહેલ નાખી હતી, ત્યારે ઉપસ્થિત મહિલાઓએ પ્રતિસાદરૂપે તાત્કાલિક પોતાના અંગોપાંગ પર ધારણ કરેલા સોના-ચાંદીના અમૂલ્ય આભૂષણો ઉતારી આપ્યાં હતાં. કિશોર-કિશોરીઓના દિલમાં પણ પૂજ્યશ્રીજી પ્રત્યે અપાર ચાહના હતી. મુંબઇમાં સાધર્મીઓના ઉત્થાન માટે ઉત્કર્ષ ફાળો ઉઘરાવવાનો પ્રસંગ હતો. પૂજ્યશ્રીજીએ આ માટે દૂધ ગ્રહણ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગુરુભક્ત શ્રી ખીમજીભાઈ છેડાએ ૧૦૮ કાર્યકર્તાઓ સમક્ષ પ્રત્યેક વ્યક્તિએ બે હજાર રૂપિયા એકઠા કરવાની યોજના રજૂ કરી હતી. આ નિમિત્તે ભરાયેલીસભામાં રમીલા ચિમનલાલ નામની કિશોરીએ પણ પૂજ્ય ગુરુદેવ સારુ બે હજારનો ફાળો શેરીએ શેરીએ જઇ એકત્રિત કરવાની પ્રતિજ્ઞા લઈ ગુરુભક્તિનો પરિચય આપ્યો. જોકે તેણે જ્યારે એ સભામાં ઉપસ્થિત લોકોનો સંપર્ક કર્યો, તો તેના ફાળાની રકમ તરત જ એકઠી થઈ ગઈ ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy