SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય રીતે ઘડપણની લાકડી સમાન સહારારૂપ ગણાતા પોતાના સંતાનને સાધુ બનાવવા, દીક્ષા અપાવવા કોઈપિતા ઝટરાજી થતા નથી, પરંતુ પૂજ્ય ગુરુદેવનીનેત્રજ્યોતિ સારુ આવા સમર્પિત ભક્ત પોતાના લાડલાને દીક્ષા અપાવે છે. આ ઘટનાનાની સૂની નથી. પૂજ્ય ગુરુદેવ તો લોકોના હૃદય પર શાસન કરતા લોકપ્રિય હૃદયસમ્રાટ બની ગયા હતા. અપાર લોકચાહના તેમણે હાંસલ કરી હતી. ઈ.સ. ૧૯૫૩માં શરૂ થયેલી દર્દનાક પ્રોસ્ટેટ ગ્રંથિની બીમારી દરમ્યાન પૂજ્યશ્રીજીના અનેક ભક્તોના દેશ-વિદેશમાંથી શુભેચ્છા વ્યક્ત કરતા પત્રો તથા તાર આવતા રહ્યા હતા. અસંખ્ય ભક્તોએ તેમના સારુ પ્રાર્થનાઓ કરી હતી. તેમના આરોગ્ય સારુ પ્રતિજ્ઞાઓ લેવાઈ હતી. ઉપવાસો થયા હતા, દાન દેવાયા હતા. સાધુ-સાધ્વીગણે પણ પ્રાર્થના,વ્રત જપતપ ઉપવાસ કર્યા હતા. પૂજ્ય ગુરુદેવની લોકપ્રિયતાનું આ પ્રમાણ છે. સમયનીવહેતી સરિતામાં લાખો કરોડો માનવીના નામ ભૂંસાઈ ગયાં છે. ભૂસાતા જાય છે અને અનેક અનેક નામોનો લોપ પણ થતો રહેશે, પરંતુ સાચા સંતો, નિઃસ્વાર્થ યુગવિભૂતિઓ, પરમાર્થના પૂજારી, તત્ત્વવેતાઓ, આત્મજ્ઞાનીઓ, યુગવીરો તથા જગતના કલ્યાણ દાતાઓના નામ તોયુગોયુગો સુધી લોકસ્મૃતિમાં કંડારાયેલા રહેશે. મોટા મોટા રાજવી પુરુષો, સત્તાધારીઓ, પદાધિકારીઓ, નેતાઓ, માલેતુજારો, ઉદ્યોગપતિઓ, નામ પ્રતિષ્ઠા ઝંખતાદાનેશ્વરીઓના નામ પરિવર્તનશીલ કાળ ખપ્પરમાં હોમાઈ જશે, પરંતુ જેમણકદી પણ સ્વપ્રશસ્તિ કે પ્રશંસા મેળવવા, માન પ્રતિષ્ઠા સારુ કામ નથી કર્યા, જેમણે રાષ્ટ્ર સમાજ તથા લોકોના આત્મકલ્યાણ સારુ આજીવન બલિદાનો આપ્યા છે, એવા અભણ કે ભણેલા વ્યાવહારિક દુનિયામાં તદ્દન નિષ્ફળ નીવડેલા સંતો-મહંતો, ફકીરી, મહાત્માઓ, સૂફીઓ, સાધુ-ભગવંતોનાનામ અજરામર થઈગયાછે. પરમાત્માશ્રી આદીશ્વરદાદા, પરમાત્માશ્રી પાર્શ્વનાથસ્વામી, પરમાત્મા શ્રી મહાવીર સ્વામી, ચૌવીસ તીર્થંકરો, ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામી, ગણધર ભગવંત શ્રી પુંડરિક સ્વામી તથા અન્ય ગણધરો...શ્રીરામ, શ્રીકૃષ્ણ, ગૌતમ બુદ્ધ, અશોજરથુષ્ટ્ર, મહંમદ પયગંબર, ઈસુ ખ્રિસ્ત, લાઓત્સ, કબીર, નાનક, મીરાં, એકનાથ, તુકારામ, નરસિંહ મહેતા... શ્રી રાજચંદ્રજી, આચાર્યશ્રીહરિભદ્રસૂરિજી, આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય, મસૂર, રાબિયા, સરમદ, બાયજીદ, સોક્રેટીસ, પૂજ્ય આત્મારામજી મ.સા.. યુગવિભૂતિઓની યાદી તો ઘણી લાંબી છે અને એ યાદીમાં અપ્રતિમ લોકચાહના પ્રાપ્ત કરનાર પૂજાચાર્ય શ્રીમદ્દવિજ્યવલ્લભ સૂરીશ્વરજી મ.સા.નું નામ યાવચંદ્ર દિવાકરોની જેમ અમર થઈ જશે એ નિઃશંક વાત છે. વિશ્વના લોકસમ્રાટ બનેલા લગભગ દરેક મહાપુરુષના જીવનમાં તેમના આત્માના પૃથ્વી પર આગમન સંબંધી કોઈક અલૌકિક ઘટના, ભવિષ્યવાણી કેઆગાહી જોડાયેલી જોવા મળે છે. શ્રીકૃષ્ણના જન્મ સાથે કારાવાસના તાળાં તૂટ્યાં, પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના જન્મ પૂર્વે માતા ત્રિશલાદેવીએ ચૌદ ચૌદ દિવ્ય સ્વપ્ન જોયાં. ગૌતમ બુદ્ધ ભગવાનના જન્માક્ષર જોઈ જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળકમાં તો મહાન ચક્રવર્તી રાજા થશે અથવા મહાન યોગી. પૂજ્યશ્રીજીના જીવનમાં આવી ઘટના તેમની તરુણાવસ્થામાં ઘટી હતી. (૩૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy