SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 'લોક્રપ્રય હદય સમ્રાટ ઈ.સ. ૧૯૪૮માં દિલ્હીમાં બિરલા ભવન ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપવા જતાં, ભારતના અભૂતપૂર્વ લોકનાયક પૂજ્ય મહાત્મા ગાંધીજીની હત્યા થતાં જ સમગ્ર હિંદુસ્તાનમાં સન્નાટો વ્યાપી ગયો હતો. તેમના માનમાં દેશભરનાલોકોએ તન્નાગ પોતાના વેપાર, રોજગાર બંધ કરી શોક પાળ્યો હતો. લાખો આંખો રડી પડી હતી. અનેક પરિવારોના ઘેર ચુલા સળગાવાયા નહોતા. ચોમેર શોક ગ્લાનિનું વાતાવરાગ વ્યાપી ગયું હતું. રાષ્ટ્રવ્યાપી શોક જાહેર થયો હતો. બજારો બંધ રહ્યાં હતાં. દેશ-વિદેશના મહાનુભાવો તથા અહિંસાપ્રેમીઓએ શોક સંદેશા મોકલાવ્યા હતા. શા માટે? મહાત્મા ગાંધીજી એક સત્યપ્રિય, પરોપકારી સરળ રાષ્ટ્રિય નેતા હતા. એમની લોકચાહના અપાર હતી. એ દિવસે પણ હજારો ગુરુભક્તોએ દેવ દર્શન કરી પરમાત્મા પાસે તેમની આંખની રોશની પાછી આવે તે માટે પ્રાર્થના કરી હતી. કેટલાય ચાહકોએ બંદગી કરી હતી. અનેક શ્રદ્ધાળુ શ્રાવકોએ ઉપવાસ કર્યા હતા. માનતા માની હતી. કારણ? એ દિવસે એટલે આસો સુદ ત્રીજના દિવસે જૈન શાસનના દિવાકર સમાન પરોપકારીયુગવીર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.નું આંખનું ઓપરેશન થવાનું હતું. નિષ્ણાત ડૉ.ડગનની રાહબરી નીચે ગુરુદેવના નેત્રપટલનું સફળ ઓપરેશન પૂર્ણ થયું. ડૉ. ડગને સમયાંતરે પૂજ્યશ્રીજીની આંખના પાટા ખોલાવી વર્તમાનપત્ર તથા પુસ્તક વંચાવ્યા. પૂજ્ય ગુરુદેવે સારી રીતે વાંચ્યું. એમનીયન જ્યોતિ પાછી ફરી હતી. ડૉ.ડગન પાગ આવા ચમત્કારિક પરિણામથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ડૉ. ડગન બોલ્યા હતા.... ‘કમાલથઈ ગયો!અદ્ભૂત અક! આપની આંખોમાં આટલી રોશની આવી જશે એવી આશા નહોતી! આપની વૃદ્ધાવસ્થા છે. આંખોની સ્થિતિ ખરાબ હતી...છતાં પણ! મને લાગે છે પૂજ્ય ગુરુદેવ પ્રભાવી પુણ્યાત્મા છે!' આંખની રોશની પ્રાપ્ત થવામાં પૂજ્ય ગુરુદેવનું તપોબળતો કામ કરી જ ગયું હતું, તો સાથે સાથે તેમના અગણિત ભક્તોની પ્રાર્થના, પ્રતિજ્ઞા, બંદગી, ઉપવાસ માનતા તથા શુભકામનાનો પ્રભાવ પણ હતો. ઘણા સાધુ-સાધ્વી ભગવંતોની દુઆ શુભેચ્છાએ પોતાનો ભાગ ભજવ્યો હતો. મૂળ સાદડી નિવાસી મુંબઈમાં ચેમ્બુર ખાતે રહેતા પૂજ્ય ગુરુદેવના ભક્ત શ્રી દાનમલજી દેવચંદજી એ પૂજ્યશ્રીજીનામાનમાં ઉજવાતી૮૩મી જન્મ જયંતિના પ્રસંગે ત્રીજા દિવસે ભક્તોની સભામાં કહ્યું હતું. ‘શાસનદીપક આચાર્ય પ્રવર પૂજ્યપાદ ! હું એક સામાન્ય માણસ છું... આપના વ્યાખ્યાન સાંભળી મને ધર્મની પ્રાપ્તિ થઈ છે. આપશ્રી જ્યારે ડૉ. ડગનને ત્યાં નેત્ર ચિકિત્સા કરાવવા આવ્યા હતા ત્યારે મેં પ્રતિજ્ઞા કરી હતી.... જો આપની આંખોને જ્યોતિ પ્રાપ્ત થાય, તો હું મારા મોટા દીકરા રણજીતમલને આપના ચરણોમાં અર્પિત કરીશ...! હવે આપની આંખોને જ્યોતિ પ્રાપ્ત થઈ ગઈ છે... ગુરુદેવ! આપયુગયુગ જીવો!” ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy