SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૧૯૪૩ ના વૈશાખ વદ તેરસના રોજ રાધનપુર ખાતે પૂજ્યશ્રીજીને દીક્ષા આપવામાં આવી હતી. આ દીક્ષાનું મુહૂર્ત કાઢનાર જ્યોતિષીએ ત્યારે આગાહી કરી હતી કે “આ મંગલ મુહૂર્તમાં જે વ્યક્તિ દીક્ષા અંગીકાર કરશે, એ સંસારમાં અપાર યશપ્રાપ્તિ કરશે. લાખો લોકો તેની પૂજા કરશે. તે વ્યકિત ઉચ્ચ પદ પ્રાપ્તિ કરશે...!' અને ખરેખર પૂજ્યશ્રીજીએ એ મુહૂર્તમાં દીક્ષા લઈ અપાર લોકચાહના અર્જિત કરી એ ભવિષ્યવાણીને સાચી સાબિત કરી બતાવી. ભગવાનનાકે ગુરુ ભગવંતોના ભક્તો પાગલ દીવાના હોય છે, પરંતુ એ પાગલપણામાં અપાર શ્રદ્ધા, અસીમિત પ્રેમભાવ, સમર્પણને ન્યોછાવરની ભાવના છુપાયેલી હોય છે, એટલે એ દીવાનગી પ્રીતિકરરુચિકર સ્વીકાર્ય થયા સિવાય રહેતી નથી. શ્રીકૃષણના પ્રેમમાં બહાવરી મીરાં લોકલાજ છોડીમંદિર, ગલીઓ, બજારોમાં ભક્તિભાવથીનાચી હતી. મહાપ્રભુ ચૈતન્ય સ્વામી પણ શ્રીકૃષ્ણના પ્રેમમાં નાચ્યા હતા. આજે પણ સદ્ગુરુઓના વરઘોડામાં ભકતો મન મૂકીને નાચતા હોય છે. નૃત્ય હદયની ભાવનાની અભિવ્યક્તિ છે. ક્યારેક ભક્ત પોતાના ગુરુજીનું સાંનિધ્ય પ્રાપ્ત કરવા તેમની અમૃતવાણીનો ભરપેટલાભ લેવા ત્રાગું પણ કરતો હોય છે અને આવી જબરદસ્તીમાં અંતે તો વિજ્ય ભક્તનો જ થાય છે. ચાહે ભગવાન હોય કે પછી ગુરુ એજ પ્રેમવશ ભક્તની ભાવના સમક્ષ મૂકી જાય છે. પૂજ્યશ્રીજીના આવા જ એક સમર્પિત ઘેલા ભક્તની ઘટના અત્રે પ્રસ્તુત છે અને આ ઘટના પૂજ્યશ્રીજીનીબેમિસાલ લોકચાહનાની સાક્ષીરૂપ પણ છે. પૂજ્યશ્રીજી વિહાર કરતા કરતા રામનગર પહોંચ્યા. સાથે સ્થાવર મહાત્માઓ પણ હતા. તેમના જ્ઞાનસભર આત્મજાગૃતિ પ્રેરક વ્યાખ્યાન સાંભળવા જૈન-જૈનેતર ભક્તો વિશાળ સંખ્યામાં આવતા હતા.રામનગરપર પૂજ્યશ્રીજીના ગુરુદેવપૂજ્ય આત્મારામજીના પણ પૂજનીય ગુરુદેવ સર્વશ્રી બૂટેરાયજી મ.સા.નો વિશેષ પ્રભાવ હતો. રામનગરમાં જ તાર-ટપાલ વિભાગ સંભાળતા પોસ્ટ માસ્તર, શીખ, સરદાર કરતારસિંહજી રહેતા હતા. સરળ સ્વભાવના સત્સંગી ધર્મિષ્ટ આત્મા એકવાર પૂજ્યશ્રીજીનું વ્યાખ્યાન સાંભળવા ગયા. વ્યાખ્યાન સાંભળી તેઓ ભાવવિભોર થઈ ગયા. પ્રભાવિત થયેલા કરતારસિંહ ત્યારપછી નિયમિત પણે પૂજ્યશ્રીજીનાં વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા. સમગ્ર પરિવાર ભક્તિના રંગે રંગાઈ ગયો. આમ ને આમ વીસ દિવસ પસાર થઈ ગયા. વહેતા નીરને ચલતા સાધુમાં કોઈ અંતર ન હોય. પૂજ્યશ્રીજીની વિહારની ઘડી આવી. લોકો ઉદાસ થઈ ગયા. કરતારસિંહ તથા અન્ય ભાવિકોએ તેમને એક મહિનો ગામમાં રોકાઈ જવા વિનંતી કરી. પૂજ્યશ્રીએ વિનય દાખવી વધુ રોકાણ અંગે પૂછવા તેમને વયસ્કમુનિરાજ શ્રીકુશલવિજ્યજી મ.સા. પાસે મોકલ્યા. બાબાજીએ સાધુ ધર્મની મર્યાદા જણાવી વિહાર કરવાનો નિર્ણય જાહેર કરી દીધો. પૂજ્ય ગુરુદેવના પરમ ભક્ત બની ચૂકેલા લાગણીશીલ કરતારસિંહ તો બાબાજીના નિર્ણય સામે તેમના દ્વારે જ સપરિવાર અન્નજળ ત્યાગી ઉપવાસ પર બેસી ગયા. શ્રી કુશલવિજ્યજી મ.સા.એ તેમને ખૂબ સમજાવ્યા. હઠયોગ છોડી દેવાની વાત કરી. તેમને નોકરીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy