SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હિલોળા લેવા લાગ્યા. વિવિધ વ્યસનોની ચુંગાલમાં ફસાયેલા એ જીવોના પુણ્ય કર્મનો ઉદય થયો. તેમના અંતરમાં સાત્વિકતા જન્મી. બુદ્ધિમાં નિર્મળતા પ્રગટી. પરિણામે કેટલાય લોકોએ તે જ ઘડીએ માંસ મદિરાને તિલાંજલિ આપી દીધી. પરસ્ત્રીગમન નહીં કરવાની પણ પ્રતિજ્ઞા લીધી. માંસાહારી વ્યક્તિ જ્યારે માંસાહાર ત્યાગે છે, ત્યારે એ માંસ ખરીદવાનું બંધ કરે છે. આમ માંસનું વેચાણ ઓછું થતાં માંસનો ધંધો કરનારી વ્યક્તિ ઓછા નિર્દોષ જીવોની હિંસા કરવા મજબૂર બને છે અને એ રીતે માંસાહારનો ત્યાગ કરનારી વ્યક્તિ અહિંસાને પ્રોત્સાહિત કરે છે. દારૂ, શરાબ કે મદિરા પીનાર વ્યક્તિ તેના પરિવારમાં કલહકંકાસ કરી સૌને દુઃખી કરે છે અને ઘરના સભ્યોનું શોષણ કરી હિંસાચાર કરતો હોય છે. ઘણીવાર નશાની હાલતમાં તે મારઝૂડ કરી હિંસા આચરતો હોય છે. એટલે મદિરાનું વ્યસન છોડનાર પણ અહિંસાના સિદ્ધાંતનું પાલન કરે છે. જ્યારે પરસ્ત્રીગમનનું વ્યસન પણ પરિવારમાં કલક કંકાસ, મારઝૂડ, મારામારી આર્થિક નુકસાન તથા સંતાપ દ્વારા હિંસાચારફેલાવે છે, એટલે આ વ્યસનથી મુક્ત થનાર પણ અહિંસાવાદી બને છે. એ દ્રષ્ટિએ પૂજ્ય ગુરુદેવના ઉપદેશથી અહિંસાના સિદ્ધાંતોનો જ પ્રચાર થયો હતો અને વ્યસનમુક્તિ દ્વારા એ પરિવારોની આર્થિક, સામાજિક તથા ધાર્મિક પ્રગતિમાં નવીન ચેતનાનો સંચાર થયો હતો. એક અહિંસાવાદી વ્યક્તિ જસમાજનું આમૂલ પરિવર્તન કરવા શક્તિમાન બની શકે એ વાત પૂજ્યશ્રીજીના જીવનમાં બનેલી ઘટનાઓ દર્શાવે છે. આપણા ચારિત્રનાયક જ્યારે રાજસ્થાનના બાવર નામના શહેરમાં રોકાયા હતા, ત્યારે એમના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. મિલમાં તૈયાર થયેલું કપડું પહેરવું ધાર્મિક દ્રષ્ટિએ ઉચિત ગણાય કે અનુચિત? આ વિષયમાં પૂજ્ય ગુરુદેવે ખૂબ મનોમંથન કર્યું. એને લગતી પર્યાપ્ત માહિતી પ્રાપ્ત કર્યા પછી પૂજ્ય ગુરુદેવ મિલમાં તૈયાર થયેલાં કપડાં પહેરવા ધાર્મિક દ્રષ્ટિએ અનુચિત છે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. - મિલનું કાપડ તૈયાર કરવામાં ચરબીનો ઉપયોગ કરવો અનિવાર્ય છે અને આવી ચરબી હિંસા કર્યા સિવાય મળી શકે નહીં. તેથી જેવ્યક્તિ અહિંસાપાલનમાં ચુસ્તપણે માનતી હોય, તેના માટે મિલનું કપડું પહેરવું સહેજપણ ઉચિત ગણાય નહીં. આ સત્ય જાણ્યા પછી આપણા ચારિત્રનાયકે મિલનું કપડું નહીં પહેરવાનો નિર્ણય કરી લીધો અને બિકાનેર પહોંચ્યા પછી તેમણે શુદ્ધખાદી પહેરવાની શરૂઆત કરી. ત્યારબાદપૂજ્યશ્રીજી જ્યારે પંજાબ પહોંચ્યા, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના છેડેલા સ્વદેશી આંદોલનના કારણે સમગ્ર ભારત વર્ષમાં ખાદીનું ચલણ શરૂ થઈ ગયું હતું. ખરેખર આધુનિક સમયમાં ભેળસેળના જમાનામાં અહિંસા પાલનના સિદ્ધાંતમાં માનનારી વ્યક્તિઓએ ટૂથપેસ્ટ, સાબુ, કોમેટિકસતો ઘણીવાર ઘી તેલ જેવા ખાદ્યપદાર્થો વાપરતા પહેલાં તેમની શુદ્ધતાની સંપૂર્ણ ચકાસણી કરીને જ તેમનો ઉપયોગ કરવો જોઈએ. અજ્ઞાનતામાં થયેલી હિંસા તો કદાચ ક્ષમ્ય હશે, પરંતુ જાણ્યા પછી એ અપરાધ થઈ જાય છે. આજકાલબહોળા વપરાશમાં લેવાતા પ્લાસ્ટિકની કોથળીઓ મૂંગા પશુઓ ખાઈ મૃત્યુ પામે છે. જો પૂજ્ય ગુરુદેવ આજે હયાત હોત તો તેમણે ચક્કસ અહિંસાના સિદ્ધાંતથી પ્રેરાઈલોકોને (૨૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy