SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ નહોતી. સમય હતો. શારીરિક પીડા સહન કરવાથી હિંસા નિવારવી શક્ય હતી, એટલે ભક્તોની ) રક્ષા કરવા તથા સંભવિત હિંસામાં નિમિત્ત બનવાનું ટાળવા તેમણે પરિસહ સહન કરીને પાગ આગળ વિહાર કરવાનો આદેશ આપ્યો એ તેમની અહિંસાપાલનની ભાવના, પરગજુપણાની શુભ ભાવના જ દર્શાવે છે. આજના કહેવાતા લોકપ્રિય નેતાઓતથાક્ટલાક સંપ્રદાયના સાધુમહાત્માઓ તો પોતાની સુરક્ષા જાળવવા સારુ ઝેડકક્ષાના પાવરધા અંગરક્ષકો રાખે છે, જે સમય આવે પોતાના પ્રાણ પાથરી આવા મહાનુભાવોને બચાવે છે!આવા લોકો સ્વાર્થીડરપોક અને હિંસાવાદી ગણાય કે નહીં? સમાના ગામમાં સ્થાનકવાસી પરંપરાના સાધુ ભગવંતો સાથે શાસ્ત્રાર્થ કરવાનું આયોજન ભક્તોએ કર્યું હતું. એ સભામાં પૂજ્ય ગુરુદેવ સમયસર આવી વ્યાખ્યાન આપતા હતા. શ્રી સોહનલાલજીએ પોતાના પ્રતિનિધિ તરીકે કર્મચંદજી નામના સાધુ મહારાજને શાસ્ત્રાર્થ માટે સભામાં મોકલ્યા હતા. કર્મચંદજી સભામાં ગયા, પરંતુ પૂજ્ય ગુરુદેવ પાસે તેમના માટે અલાયદી રાખવામાં આવેલી જગ્યાએ આસન ન લીધું. સભામાં પોતે એક બાજુ ઊભા રહ્યા. પૂજ્યશ્રીજી વાર્તાલાપ કરવા તેમની પાસે ગયા. તેમણે કર્મચંદજીને પૂછયું શું આપશાસ્ત્રાર્થ કરશો?' ‘અમે અહીં શાસ્ત્રાર્થ કરવા નથી આવ્યા!' કર્મચંદજીએ જવાબ આપ્યો. આ જવાબ સાંભળી સભાજનો હસી પડ્યા. કેટલાક નાદાન ટીખળખોરયુવાનોએ કર્મચંદજી પર કટાક્ષ કરી અપમાનજનક વ્યવહાર કર્યો. પરંતુ આ વાત પૂજ્ય ગુરુદેવ માટે અસહ્ય સાબિત થઈ. તેમણે નાદાન યુવકોને ટપાર્યા... “ખબરદાર! ત્યાગીનું અપમાન ન કરશો!” પોતાની ઉપસ્થિતિમાં જ્યાં બીજા સાધુ મહાત્મા તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય, એમનું અન્ય લોકો અપમાન કરી હિંસાનું આચરણ કરે, તો એવા આચરણ કરનારાઓને એ વાતથી વારવાનું એક અહિંસાવાદી તરીકે પોતાનું કર્તવ્ય છે, એમ માનીને પૂજ્ય ગુરુદેવે યુવાનોને એવી ચેષ્ટા કરતા રોક્યા હતા. આ પ્રસંગમાં એક સાચા અહિંસાવાદીનાં દર્શન પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વમાં થાય છે. સુંદરતાજું ખીલેલું પુષ્પ વ્યક્તિને મધુર મહેક આપે છે. સરિતા મીઠું જળ આપે છે. સૂર્ય પ્રકાશ તથા ઉષ્મા આપે છે. વૃક્ષોછાયા તથાફળ આપે છે. પરોપકારી સંતો પણ સમાજના ભટકી ગયેલા લોકોને પોતાના અમૃતસમાન જ્ઞાન દ્વારા સુખી, આનંયુક્ત જીવન જીવવાની જડીબુટ્ટી આપતા હોય છે. પૂજ્ય ગુરુદેવ પણ ક્યાં જ્યાં જતા ત્યાં સત્ય અહિંસા પરમાર્થનો ઉપદેશ આપી લોકોને સન્માર્ગે વાળી સાર્થક જીવન જીવવાની પ્રેરણા આપતા હતા. એકવાર બિકાનેરમાં ચાતુર્માસ પૂર્ણ કરી તેઓ હોશિયારપુર જતા હતા. રસ્તામાં ભટીંડામુકામે રોકાવાનું થયું. ધર્મની અમૃતવર્ષા પીવા તરસતા ચાતક જેવા જૈન જૈનેતર ભક્તોની ભાવના જોઈ પૂજ્ય ગુરુદેવે ભટીંડામાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં બે હદયસ્પર્શી સુંદર સાર્વજનિક વ્યાખ્યાન આપ્યા. એજનમેદનીમાં ઉપસ્થિત જૈનો, હિંદુઓ, શીખો, મુસ્લિમો સૌ ભાવિકોવ્યાખ્યાનો સાંભળી અત્યંત પ્રભાવિત થઈગયા. એ લોકોના હૃદયમાં અહિંસા, પ્રેમભાવ તથા કરૂણાના ભાવ (૨૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy