SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કત્લેઆમ ચાલતી હતી. તે સમયે પૂજ્ય ગુરુદેવના પરમ ભક્તો તેમની પડખે ઊભારહ્યા હતા. પૂજ્યશ્રીજીએ એ ૨૫૦ જેટલા શ્રાવકોને સારી તક સાંપડે તો ગમે તેમ કરીને ભારત સહીસલામત ચાલ્યા જવા ખૂબ સમજાવ્યા હતા. તેમણે કહેલું કે તમે પરિવારવાળા ગૃહસ્થી છો, અમારા લોકોના પ્રાણની ચિંતા તમે ન કરો !' જો કે મક્કમ મનોબળ ધરાવતા શ્રાવકોએ પૂજ્ય ગુરુદેવનો સાથ છોડ્યો નહોતો. પરંતુ આ ઘટના પરથી સ્પષ્ટ સમજાય છે કે ગુજરાંવાલામાં શ્રાવકોને સાથે રાખવાથી કદાચ તેમને હુંફ રહે, પરંતુ જો ધર્મઝનૂની તત્ત્વો શ્રાવકોને મારી નાખે તો જે હિંસા થાય એમાં નિમિત્ત કોણ બને ? પૂજ્ય ગુરુદેવનો અહિંસાવાદનો સિદ્ધાંત તેમને નિમિત્ત બનવાની મંજૂરી આપતો નહોતો. સ્વાર્થપરાયણ ડરપોક વ્યક્તિ કદાપિ અહિંસાવાદી થઈ શકે નહીં. સ્વાર્થી વ્યક્તિ તો આવી પરિસ્થિતિમાં બીજાને મોતના મુખમાં ધકેલી સ્વયં વહેલી તકે નાસી છૂટે. જેવી રીતે જંગલમાં આગ લાગે, ત્યારે સૌથી પહેલાં ઉંદરડા જંગલમાંથી પલાયન થઈ જાય છે. પરંતુ ઉપરોક્ત ઘટનામાં પૂજ્ય ગુરુદેવ તો ભક્તોને ચાલ્યા જવાની વાત કરે છે. એમને પોતાની જાતની, પોતાના જીવનની પરવા નહોતી. પૂજ્ય ગુરુદેવ તો નિર્ભય અને નિઃસ્વાર્થીમહાપુરુષ હતા. આ વાતની પુષ્ટિ ત્યારપછીની ઘટનામાં થાય છે. ભારત સરકારે જ્યારે પૂજ્ય ગુરુદેવ તથા સાધુ સમુદાય માટે વિશેષ હવાઈ જહાજ મોકલાવ્યું, ત્યારે પૂજ્યશ્રીજીએ એકલા ભારત જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી! એ સમયે પણ સૌના પર અહર્નિશ મોતનો ભય તો છવાયેલો જ હતો. પૂજ્ય ગુરુદેવ તો નીડર અહિંસાવાદી મહાપુરુષ હતા, એટલે ભક્તોને મૃત્યુના ઓથાર નીચે એ છોડીને ચાલ્યા જાય એ સંભવ નહોતું. પૂજ્ય ગુરુદેવની અહિંસા કાયરવાદી નહોતી. પોતાની સુખસુવિધા સચવાય અને બીજા જીવો પરેશાન થાય તો એ હિંસા જ ગણાય. પૂજ્ય ગુરુદેવ આ વાતથી સભાન હતા. બર્કિયા ગામની ઘટના આ સંદર્ભમાં જોઈએ. પંજાબમાં ંડિયાલાગુરુ તથા લાહોર વચ્ચે ચોર લૂંટારા, ઢોંગી, ઘાતકી, કસાઈ પ્રકારની લોકવસ્તીનું બર્કિયા નામનું ગામ આવતું હતું. આ ગામના લોકો રાત્રે યાત્રિકોને લૂંટીને મોતને ઘાટ ઉતારી દેતા હતા. એકવાર પૂજ્ય ગુરુદેવ તેમના ભક્તો સાથે લાંબો વિહાર કરી આ ગામમાં આવી પહોંચ્યા. ભૂખ, તરસ, થાકથી સૌના બુરા હાલ હતા. આગળ એક કદમ ચાલવાની કોઈનામાં શક્તિ રહી નહોતી. બપોર થવા આવી હતી. એટલામાં એ ગામની એક ભલી સ્રીએ ત્યાં આવી સૌને ચેતવ્યા અને ગામ છોડી જવા વિનંતી કરી. થોડીવાર પછી એક વૃદ્ધ શીખ સરદારજીએ પણ આવીને આ લોકોને ગામ છોડી જવા સમજાવ્યા. પૂજ્ય ગુરુદેવે આ વાતને ગંભીરતાથી લીધી. ભક્તોએ કહ્યું પણ ખરું કે ‘પૂજ્ય ગુરુદેવ આપ ચિંતા ન કરશો આગળ જેવા પડશે એવા દેવાશે. અમે લોકો મુકાબલો કરી લઈશું.’ પરંતુ પૂજ્ય ગુરુદેવ ન માન્યા. તેમણે તુરંત જ સઘળા દુઃખદર્દ પીડા વેદના ભૂલી આગળ વિહાર કરવાનો આદેશ આપ્યો. ખૂબ જ તકલીફો સહન કરી એ લોકો સાંજે અન્યત્ર સલામત સ્થાને પહોંચી ગયા. પૂજ્ય ગુરુદેવ જાણતા હતા કે બર્કિયામાં રહેવામાં સલામતી નહોતી. પોતાના કારણે ભકતોને હેરાન થવું પડત. કદાચ એમને પ્રાણથી પણ હાથ ધોવા પડત. આવી હિંસા અનિવાર્ય ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy