SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા બંધ કરાવ્યા હોત પ્રાચીન મનુસ્મૃતિ ગ્રંથમાં આલેખાયેલી વર્ણવ્યવસ્થાના કારણે શુદ્ર જાતિ પર ઘાણા સમય સુધી સવર્ણ જાતિઓએ માનસિક ત્રાસ ગુજારી તેમનું બેફામ શોષણ કર્યું છે. પાણી એ કુદરતની બક્ષિસછે. તેના પર સૌપ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યોનો સમાન અધિકાર છે. છતાં ઘણી જગ્યાએ સવાર્ગો ગામના કૂવા તળાવ પરથી શુદ્રોને પાણી ભરવા ન દઈમાનસિક ત્રાસ આપતા હતા. આવા માનસિક ત્રાસ આપવો એ પણ એક પ્રકારની હિંસા જ છે. બિનોલી નામના ગામમાં વસતાસવર્ણો તે જ ગામના હરિજન ભાઈઓને ગામના કૂવા પરથી પાણી ભરવા દેતા નહોતા. પૂજ્ય ગુરુદેવ સમક્ષ આવા પીડિત હરિજન બંધુઓએ જ્યારે પોતાની વ્યથાકથા રજૂ કરી, ત્યારે તેમણે એ લોકોને ગામના સવર્ણોદ્વારા એક અલાયદોકૂવો બનાવડાવી આપી તેમની જળ સમસ્યાનું સુખદ નિરાકરણ કરાવ્યું હતું. પૂજ્ય ગુરુદેવના આ માનવતાવાદી કૃત્યમાં અહિંસાપાલનની સુવાસ દ્રષ્ટિગોચર થયા સિવાય રહેતી નથી. વિ. સં. ૧૯૯૩માં વડોદરામાં ચાતુર્માસ પૂરો કરી પૂજ્ય ગુરુદેવ ખંભાત પધાર્યા હતા. ભક્તોએ તેમનું ઉમળકાભેર ભાવભીનું સ્વાગત કર્યું. સમગ્ર શહેરના તમામ નાગરિકોએ તેમના આગમનને દિલથી વધાવ્યું હતું. નગરપાલિકાએ તેમના ભ્રમણના માર્ગને ચોખ્ખો કરી સુશોભિત કર્યો હતો. વેપારીઓએ પૂજયશ્રીજીને સન્માન બક્ષવા દુકાનો સજાવી હતી. ઠેરઠેર ધજાપતાકા લહેરાવીકમાનદાર સ્વાગત દ્વારા રચવામાં આવ્યાં હતાં. સરકાર તરફથી બેંડવાજાં, હાથી તથા ઘોડા મોકલવામાં આવ્યા હતા. શહેરના આબાલવૃદ્ધ સૌ તેમના પ્રવેશના વરઘોડામાં પધાર્યા હતા. - ખંભાતના મંગલ પ્રવેશ ટાણે અહિંસાના પરમ ઉપાસક, કરુણાસાગર પૂજ્ય ગુરુદેવના સન્માનમાં તેમના નગરપ્રવેશના દિવસે તમામ પ્રકારની જીવ હિંસા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અરે! એ દિવસે શહેરમાં ઉંદર પકડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ખંભાતના ધર્મપ્રેમી નવાબે પૂજ્યશ્રીજીના આગમનના સન્માનમાં અભય ભોજનનો ત્યાગ કરી પોતાનો સભાવ તથા અહોભાવ વ્યક્ત કર્યા હતા. પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરતી આ અસામાન્ય ઘટના છે. - પૂજ્ય ગુરુદેવના જીવનમાં અહિંસાનો સિદ્ધાંત વાણાઈચૂક્યો હતો. તેમના વ્યક્તિત્વમાં એવો નિખાર આવ્યો હતો કે તેમના અહિંસાના સિદ્ધાંતના માનસિકતરંગોથી પ્રભાવિત થયેલા લોકો તેમના પગલાં થતાં જ પોતાની હિંસાત્મક પ્રવૃત્તિઓ બંધ કરી દેતા હતા. રાજા મહારાજા, નવાબો પણ તેમના અહિંસાના પ્રભાવથી ટૂંક સમય માટે પણ માંસાહાર ત્યજી દેતા હતા. આવો વિરલ પ્રભાવ ખૂબ જૂજમહાત્માઓ ધરાવતા હોય છે. પૂજ્યશ્રીજી એવા વિરલમહાત્મા હતા. ઉંદર જેવા ઉપદ્રવી જીવને મારવાની વાત તો દૂર રહી, પરંતુ તેને પકડવા પર પણ પાબંદી લાદી દેનાર ખંભાતના નવાબના દિલમાં પૂજ્ય ગુરુદેવના અહિંસાવાદી વ્યક્તિત્વની કેવી અનેરી છાપ હશે એનો ખયાલ આ ઘટના પરથી આવે છે. ગુજરાવાલાના ચાતુર્માસ દરમ્યાન વિ. સં. ૧૯૯૭માં પૂજ્ય ગુરુદેવની પુનિત નિશ્રામાં ઘણાશ્રાવકોએ છક, અહમ, માસક્ષમણતથા અઢાઈઓની આરાધનાઓ કરી હતી. પૂજ્ય ગુરુદેવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy