SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ભલે ભાઈ. હું ખૂબ જ પ્રસન્નતાથી ત્યાં આવીશ. તપશ્ચર્યાની અનુમોદના કરવાનો મને પણ લાભ મળશે” શુભસ્ય શીઘ્રમ્ એ ઉક્તિને અનુસરતા પૂજ્ય ગુરુદેવ શ્રીસંઘ તથા મુનિમંડળ સાથે થોડીવારમાં જસ્થાનકમાં પધાર્યા. સ્થાનકવાસી ભાઈઓ તથા સાધુઓએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું. પૂજ્ય ગુરુદેવે તપસ્વી મુનિરાજની સુખસાતાપૂછી, તપની અનુમોદના કરી. સ્થાનકમાં તેમણે તપસ્યાની આવશ્યકતા તેના લાભ અને હેતુ પર નાનું વ્યાખ્યાન આપ્યું. ઉપસ્થિત સઘળા લોકો આનંદિત થયા. - પૂજ્ય ગુરુદેવની મુક્ત કંઠે પ્રશંસા કરતા તેમણે કહ્યું, ‘આ આચાર્યશ્રીજીના મનમાં રાગદ્વેષની ભાવના નથી. જ્યાં પાણધાર્મિકકાર્ય થતું દેખાય, ત્યાં તેઓ ઉત્સાહથી પહોંચી જાય છે. તેમના આવા ગુણિયલ વ્યવહારથી ખ્યાલ આવે છે, કે તેઓ જૈન ધર્મના સિદ્ધાંતો તથા જૈનધર્મની એકતાના પાકા હિમાયતી છે, પુરસ્કર્તા છે.” જે મહાત્માની વિશાળ દ્રષ્ટિમાં પ્રત્યેક જૈન પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનું સંતાન હોવાની ભાવના સમાયેલી હોય એને મન સ્થાનકવાસી, દેરાવાસી કે તેરાપંથી કે દિગંબર ફિરકાના ભેદભાવ શીરીતે સંભવી શકે? જ્યાં સંકુચિતતાનથી ત્યાં જ એકતાનો ઉદય થઈ શકે. પૂજ્ય ગુરુદેવ એકતાના તેજસ્વી ભાસ્કર સમાન હતા. નાના-મોટા ધાર્મિક કાર્યોમાં તવંગરો સાથે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને જોતરવાથી એ લોકોને એમ લાગે કે અમે સમાજના જઅંગછીએ.અમે લોકો પણ ધાર્મિક કાર્યોમાં ફૂલ નહીં તો ક્લની પાંખડી પણ અપને અમારો સક્રિય ફાળો આપી શાસનની સેવા કરી શકીએ છીએ. આમ સમાજના દરેક સ્તરના લોકોમાં ભાઈચારાની લાગણી જન્મવાથી સામાજિક એકતા સુદ્દઢ થાય છે. પૂજય ગુરુદેવ આ વાત જાણતા હતા, એટલે તેઓ આવા ધાર્મિક કાર્યક્રમોમાં તમામ વર્ગના લોકોનો સહકાર લેતા હતા. સંવત ૧૯૪૪માં પૂજ્ય ગુરુદેવ પાટણ પધાર્યા, ત્યારે ત્યાંનાબે જ્ઞાન ઉપાસકભાઈઓએ તેમને જ્ઞાનભંડારોના રક્ષણ માટે એક જ્ઞાનમંદિર બનાવવા વિનવણી કરી. પૂજ્ય ગુરુદેવે જ્ઞાનમંદિરના નિર્માણ માટે યોજના બનાવડાવી. યોજના અનુસાર તેઓ પાટણના વિવિધ મહોલ્લામાં પધાર્યા. ત્યાં ભાવિકોની સભા ભરી. સભામાં તેમણે ઉપસ્થિત લોકોને જૈન સાહિત્યના પ્રાચીન કિંમતી ગ્રંથોની જાળવણી તથા તેની ઉપયોગિતા અંગે માહિતી આપી અને જ્ઞાનમંદિરના નિર્માણમાં સૌને યથાશક્તિ ફાળો આપવા, વસ્તુઓ આપવા અપીલ કરી. તેમની હદયસ્પર્શીવાતથી લોકો પ્રભાવિત થયા અને તેમની ઝોળીમાં રૂપિયા, ઘરેણાં તથા કિંમતી વસ્તુઓ લોકોએ આપી. કેટલાક લોકોએ પુસ્તકો સાચવવા કબાટ આપ્યા, કેટલાકે પેટીઓ પણ આપી. આમ જ્ઞાનમંદિરની યોજના પરિપૂર્ણ થઈ. પાટણના લોકોમાં સંઘ એકતા તથા ભાઈચારાનું સુંદર વાતાવરણ સર્જાયું. " પૂજ્ય ગુરુદેવના પ્રભાવી વ્યક્તિત્વથી અંજાયેલા ભક્તો તેમને સન્માનપત્રોઆપીનવાજતા હતા. લાહોરમાં તેમને સ્થાનકવાસી, મૂર્તિપૂજક તથા દિગંબરપંથી શ્રાવકો દ્વારા સન્માનપત્ર ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy