SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ કલહ અને વિરોધમાં વૃદ્ધિ થાય છે. આપણે સહિષ્ણુતા કેળવી, શાંતિ જાળવી સમાજને સંપ અને એકતાની શૃંખલામાં જોડવાનો છે.’ "" અને ખરેખર પૂજ્ય ગુરુદેવ તરફથી એ અપપ્રચારની પત્રિકાને કોઇ પ્રતિસાદ ન સાંપડતા વિરોધ કરાવવાળા સૌ હારી થાકીને જંપી ગયા. સમાજના થોડાક લઘુતાગ્રંથિથી પીડાતા ટીકાકારો, નિંદકોના આવા બાલિશ પ્રયાસને વિરોધ કરી પ્રોત્સાહન આપવાથી સમગ્ર સમાજની એકતા પર લાંબા ગાળે વિપરીત અસર પડશે એ વાતનું ધ્યાન પૂજ્ય ગુરુદેવે રાખ્યું હતું, એમ આ ઘટના પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. બુરહાનપુરના શ્રીસંઘમાં પણ મતભેદ અને વિખવાદની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. પૂન્ય ગુરુદેવના પ્રયાસોથી ત્યાં એકતાની સ્થાપના થઈ. એ જગામના ધનાઢય, ભક્તિભાવમાં અગ્રણી રહેતા એક પરિવારના માતા-પુત્ર વચ્ચે તીવ્ર મતભેદ પ્રવર્તતા હતા. તેમનો કેસ ઈંગ્લેન્ડની અદાલતમાં ચાલતો હતો. એક યુવકે પૂજ્ય ગુરુદેવને આ વિષે વાત કરી. આ પારિવારિક કલહ દૂર કરાવી આપવા વિનવણી કરી. પૂજ્ય ગુરુદેવે એ પરિવારના માતા તથા પુત્રને પ્રેમથી સમજાવ્યા. તેમના મતભેદ દૂર કરી પુનઃ એ પરિવારમાં સંપ તથા એકતાનું વાતાવરણ સ્થાપિત કરાવ્યું. પરિવાર એ સમાજનો નાનો ઘટક છે. એટલે જો નાના ઘટકોમાં એકતા અને સંપનો નાશ થાય તો સમાજની એકતા તૂટતા વાર ન લાગે એ વાતથી પૂજય ગુરુદેવ અજાણ નહોતા. પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબ તથા તેમના પટ્ટધર પૂજ્ય વિજયવલ્લભ સૂરિજી મહારાજ સાહેબ સત્યના પરમ ઉપાસક હતા. મૂર્તિપૂજા વિષે આગમોમાંસંમતિ દર્શાવેલી હતી. એટલે તેમના સિદ્ધાંતોમાં વધુ સચ્ચાઈ હતી. સ્થાનકવાસીઓ સાથે સૈધ્ધાંતિક કારણોના લીધે જ આમહાપુરુષોને સંઘર્ષ, વાદ-વિવાદમાં ઉતરવા મજબૂર થવું પડ્યું હતું. અન્ય કોઈરીતે આ મહાત્માઓને સ્થાનકવાસી પરંપરાના સાધુ ભગવંતો અને શ્રાવકો પ્રત્યે કોઈ દ્વેષભાવ નહોતો. એટલે પૂજ્ય ગુરુદેવના જીવનમાં પણ એવા પ્રસંગો બન્યા હતા, જ્યાં તેઓ સ્થાનકવાસી પરંપરાના સાધુ ભગવંતોના કાર્યક્રમોમાં પ્રેમભાવથી પધાર્યા હતા અને તેમના સદ્ગુણોની અનુમોદના પણ કરી હતી. સંવત ૧૯૯૩ નો ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવે વડોદરામાં કર્યો હતો. ભવ્ય આરાધનાઓ વચ્ચે પર્યુષણ પર્વની શાનદાર ઉજવણી ચાલતી હતી. ત્યાં એક દિવસ કેટલાક સ્થાનકવાસી શ્રાવકો સાથે એક મુનિરાજ તેમને મળવા આવ્યા. વંદના કરી સૌ બેઠા. થોડીવારે એક ભાઈએ પૂજ્યશ્રીજીને વિનંતી કરતા કહ્યું, ‘મહારાજ ! અમારા એક તપસ્વી મહારાજે દોઢ માસના ઉપવાસ કર્યા છે.’ એ તપસ્વીની અનુમોદનાકરતા પૂજ્ય ગુરુદેવના મુખેથી ઉદ્દગાર સરી પડ્યા... ‘કેટલી પ્રસન્નતાની વાત છે, ભાઈ! ધન્ય છે એ તપસ્વી જીવન ! ભાઈઓ ! અમારા વતી એમનીસુખસાતા અવશ્ય પૂછો !’ તેમની વાત સાંભળી બીજા એક ભાઈ બોલ્યા, ‘મહારાજ ! એક પ્રાર્થના છે.’ ‘જરૂર કહો. હું તો સંઘનો સેવક છું,’ પૂજ્ય ગુરુદેવ બોલ્યા. ‘મહારાજસાહેબ ! અમારા તપસ્વી મુનિરાજ આપના દર્શન કરવા ઈચ્છે છે. આપશ્રીજી જો સ્થાનકમાં પધારશો, તો ઘણી કૃપા થશે’ Jain Education International ૧૨૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy