SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ આપવામાં આવ્યું હતું. એ પ્રસંગે પૂજ્ય ગુરુદેવે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું... ‘શહેર તથા ગ્રામીણ પ્રદેશોમાં હું ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર કરું છું. જૈન ધર્મ એ વિશ્વ ધર્મ છે..! આજકાલ દેશમાં હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રયાસ ચાલે છે... એવા સમયમાં ભગવાન મહાવીર સ્વામીજીના ત્રણ પંથના અનુયાયીઓએ નાનામોટામતમતાંતર ભૂલીશા માટે એકતાન કેળવવી ? મેં વારંવારકહ્યું છે, કે માનપત્ર મને સામાજિક સુધારણાના કાર્ય કરવાની જવાબદારીની યાદ અપાવે છે... હું તો આમાનપત્રને સમગ્ર સંઘનો ઉત્કર્ષ કરવા માટે દેહ, વાણી તથા ચારિત્ર્યનો ઉપયોગ કરવાની ચેતવણીમાનું છું.’ ખરેખર પૂજ્ય ગુરુદેવ જીવનના દરેક પ્રસંગે પોતાના ઉત્તરદાયિત્વથી સંપૂર્ણપણે સભાન રહ્યા હતા. તેમને જ્યારે જ્યારે પણ સામાજિક એકતાને મજબૂત કરવાની તક સાંપડી, ત્યારે ત્યારે તેમણે તે માટે પોતાનાથી બનતા યથાશક્તિ સઘળા પ્રયત્નો કર્યા હતા. ગુજરાંવાલાથી લગભગ ૨૫૦ જેટલા શ્રાવકો તધાસાધુ સમુદાયને સહીસલામત રીતે ભારતમાં પૂજ્ય ગુરુદેવ લઈ આવ્યા હતા. આ વાત ૧૯૪૭ના ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયની છે. અમૃતસરમાં તેમણે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું... ‘પંજાબના હજારો ભાઈ-બહેનોને આપણે નવીન રોજગાર વ્યવસાય અપાવવા પડશે. તેમના સારુ રહેઠાણોની વ્યવસ્થા કરવી પડશે. એ બધા જ વિસ્થાપિત સાધર્મીઓમાટે એવી વ્યવસ્થા કરતી પડશે, જેથી તેઓ સ્વમાનભેર જીવન વ્યતીત કરી શકે. એ માટે જૈન સમાજે એકતા કેળવી ચોમેર સેવારૂપી પુષ્પને ખીલવી તેની સુવાસ પ્રસરાવવી પડશે. એ જ આપણુંકર્તવ્ય છે. સમયોચિત ફરજ છે. પંજાબથી વિહાર કરી પૂજ્ય ગુરુદેવ બિકાનેર પધાર્યા હતા. અહીંતેણે વિશાળ સભાને સંબોધન કરતા પંજાબના વિસ્થાપિત ભાઈભાંડુઓને યથાશક્તિ મદદકરી તેમને પગભરકરવા દર્દભરી અપીલ કરી હતી એ સભામાં તેમણે જણાવ્યું હતું... ‘આ ટાણે હું તમારી પાસે એક બીજી ભિક્ષામાંગું છું. તમે લોકો આંતરિક ખટરાગ અને નાના મોટા વિખવાદતથા કુસંપથી પીડાઓ છો. એ વાત આત્મઘાતી પુરવાર થશે. ધર્મ, સમાજ તથા સ્વયંની જાતનો બચાવ કરવા એ તમામ કલહ, કંકાસ, કુસંપ, વિખવાદ અને વેરઝેરને મારી ઝોળીમાં પધરાવી દો. તમારા અંતરની ધરા પર પ્રેમભાવ, દયા, સંપ, એકતા અને ભાઈચારાના સુવાસિત પુષ્પોને પાંગરવા દો, એ જ મારી શ્રેષ્ઠ ભિક્ષા બનીરહેશે.’ પૂજ્ય ગુરુદેવની પ્રેરણા તથા માર્ગદર્શન પામી તા. ૨-૨-૧૯૫૦ના રોજ ફાલના ખાતે જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમગ્ર ભારતમાંથી પચાસ હજારથી પણ અધિક લોકોએ ભાગ લીધો હતો. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ એકતા, સંપ તથા ભાઈચારા પર પોતાના વિચારો રજૂ કર્યા. આ સભામાં ગરીબ તથા મધ્યમ વર્ગના ઉદ્ધાર વિષયક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યા. આખરે એ વિશાળ સભામાં એકતાનો પ્રસ્તાવ રજૂ થયો. એકબીજા સાથે ભાઈચારા અને સંપથી રહેવાની સૌએ પ્રતિજ્ઞા લીધી. પૂજ્ય ગુરુદેવે સભામાં સમયોચિત પ્રસંગોચિત પ્રભાવીપ્રવચન કર્યું. તેમણે જૈન સમાજનાકર્તવ્ય, પ્રતિનિધિઓનીજવાબદારી, દેશની ૧૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy