SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ટ્રસ્ટ સ્થાપવાની વાત માટે જ્યારે શ્રી કૂલચંદજી તથા શ્રીકપુરચંદજી આશીર્વાદ લેવા ગયા હતા ત્યારે તેમની વાત સાંભળી પૂજ્ય ગુરુદેવ બોલ્યા હતા.... ‘ભાગ્યશાળીઓ! મારી ભાવનાથી તમે ક્યાં અજાણ છો? વિદ્યાલય તો વિદ્યામંદિર છે. તમારા જેવાભાવનાશાળી બે ચારસનો જો મળી જાય તો મારી ઈચ્છા એક વિશ્વ વિદ્યાલય સ્થાપવાની છે, જે જૈન દર્શન, જૈન સાહિત્ય, જૈન તત્વજ્ઞાન તથા અન્ય ધર્મોનું તુલનાત્મક દ્રષ્ટિથી અધ્યયન કરવાનું એક વિદ્યાધામ બની જાય. આજ મારી ભાવના છે. અંતરની ઈચ્છા છે. મને શ્રદ્ધા છે કે તમે જે લોકો વિદ્યાલયને સમૃદ્ધ બનાવશો. મારા મંગલ આશીર્વાદ તમારી સાથે છે.” સત્ય, અહિંસા અપરિગ્રહ જેવા મહત્વના સિદ્ધાંતો ધરાવતા જૈન ધર્મમાં વિશ્વ શાંતિ વિશ્વિક ભાઈચારોતથા સુખી માનવસમાજની રચના કરવાની ક્ષમતા રહેલી છે. આ વાત પૂજ્ય ગુરુદેવ જાગતા હતા, પરંતુ ધાર્મિક મર્યાદાઓના કારણે સાધુ ભગવંતોના વિહાર દરિયાપારના દેશોમાંન થઈ શકવાના કારણે જૈન ધર્મનો પ્રચાર પ્રસાર વૈશ્વિક સ્તરે મર્યાદિત રહ્યો છે. જો આવા જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપના થાય તો વિશ્વ સ્તરે જૈન ધર્મના પ્રચાર પ્રસારને એક નવીન બળ પ્રાપ્ત થાય એ વાત પૂજ્યશ્રીજી જાણતા હતા, પરંતુ તેમની આ ભાવના તત્કાલીન ભાવિકો સમજી શક્યા નહીં. વળી આ વાત પછી એકાદ વર્ષમાં જ પૂજ્યશ્રીજી કાળધર્મ પામ્યા એટલે આ સોણલું અધૂરું જ રહ્યું અને આજે પણ તેમનું એ દીવાસ્વપ્ન સાકાર થઈ શક્યું નથી. પૂજ્ય ગુરુદેવે પોતાના કાળધર્મ પહેલાંના થોડાક દિવસો પૂર્વે પણ આ વાત જૈન સમાજના અગ્રણીઓ સમક્ષ દોહરાવી હતી. ઉપસ્થિત અગ્રણીઓને સંબોધતા પૂજ્યશ્રીજીએ કહ્યું હતું, આપણા પ્રાણ પ્રિય તારણહાર પૂજ્ય આત્મારામજી મ.સા.નો સંદેશ જગતમાં ફેલાય તે સારુ જૈન તત્ત્વજ્ઞાનના બોધને અંગ્રેજીમાં છપાવી તેને દુનિયાભરના સઘળા પુસ્તકાલયોમાં મોકલવો જોઈએ... એક ‘જૈન સાહિત્ય પરિષદ'ની યોજના પણ ઘડાવી જોઈએ. મારો સંદેશ એટલો જ છે કે સમાજ તથા ધર્મના સર્વાગી વિકાસ માટે જૈન સાહિત્યનો વિશેષ પ્રચાર કરવાની જરૂર છે. જૈન શિક્ષણ સંસ્થાઓને મજબૂત બનાવવાની આવશ્યકતા છે. તમે બધા જૈન સમાજના સંગઠનકર્તા છો એટલે જ તમને કહું છું કે સમાજના કલ્યાણમાં જો તમારું કલ્યાણ માનશો, તો જૈન શાસનનો જગતમાં જય જયકાર થઈ જશે...!શાંતિ ! શાંતિ! શાંતિ !!' તા. ૧૯-૦૯-૧૯૫૪ની રાત્રે પૂજ્ય ગુરુદેવ દ્વારા અપાયેલા એ અંતિમ સંદેશમાં પણ તેમણે શિક્ષણ પ્રચાર પર વિશેષ ભાર મૂકતા સમગ્ર જૈન સમાજના કલ્યાણની વાત કરી હતી. જૈન સાહિત્યના પ્રકાશન વિષેની પૂજ્ય ગુરુદેવની ચોકસાઈ અંગે આ પૂર્વ સામાન્ય ઉલ્લેખ થઈ ગયો છે. છતાં એ પ્રસંગને જરાબારીકાઈથી અત્રે જોઈશું. એક વાર પૂજ્ય ગુરુદેવના હાથમાં જામનગરના પંડિત શ્રી હીરાલાલ હંસરાજજી રચિત 'જૈન ધર્મનો ઈતિહાસ’ નામનું પરત આવ્યું. પૂજ્યશ્રીએ પુસ્તકનો તલસ્પર્શી અભ્યાસ કરી અભિપ્રાય આપતા લખ્યું કે આ પુસ્તકમાં ધર્મ અંગેની કેટલીક વાતો અનુચિત તથા ખોટી છે.” આવી ક્ષતિઓ નિવારવા તેમણે ધર્મસંબંધી પર્યાપ્ત જાણકારી ધરાવતા અભ્યાસુ લોકોની એક સમિતિ બનાવવાની ભલામણ (૧૦૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy