SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વિશિષ્ટ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. એ સમારંભમાં પૂજ્યશ્રીજીએ સ્ત્રી શિક્ષણ પર એક મનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું... ‘જગતના મહાન જ્યોતિર્ધરો અને સંતો મહંતોની જન્મદાત્રી માતા તો સો શિક્ષકોની ગરજસારતી શ્રેષ્ઠ શિક્ષક સમાન છે. જો માતા અશિક્ષિત હશે, તો તેનું સંતાન પણ અભણ જ રહેશે... સંસ્કારી શિક્ષિત અને ધર્મપ્રિય માતા જ પોતાના સંતાનને સંસ્કારધન આપી સમાજના ઘડતરમાં સુંદર ફાળો આપી શકશે. છોકરાઓ માટે તો આપણે લાખો રૂપિયાનો ખર્ચ કરી નવી નવી સંસ્થાઓ ખોલીએ છીએ, પરંતુ છોકરી તો પરાયા ઘેર જવાનીછે, એવું વિચારી તેના ઉત્કર્ષ વિષે ધ્યાન આપતા નથી. આપણે એ સદાય સ્મરણમાં રાખવું ઘટે કે પુત્રી તો ગૃહલક્ષ્મી છે, કુળદીપિકા છે. છોકરીઓ માટે પણ ગુરુકુળ, વિદ્યાલય તથા છાત્રાલયો હોવાં જરૂરી છે. આપણી પુત્રીઓ પણ સાવજ બાલિકા જેવી સાહસિક અને સતીઓ જેવી સુશીલ હોવી જોઈએ. જ્ઞાન જ દીપક છે. આત્મ કલ્યાણ પણ જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય છે...’ ઉત્તમ ધર્મવેત્તાની સાથે સાથે પૂજ્ય ગુરુદેવ ક્રાંતિકારી સમાજ સુધારક પણ હતા તેની પ્રતીતિ આ પ્રસંગમાં થાય છે. મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાયતા આપવાની એક યોજના કપૂરચંદજીએ પૂજ્ય ગુરુદેવ સમક્ષ પ્રસ્તુત કરી હતી. પૂજ્ય ગુરુદેવે એ કાર્ય માટે તેમને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. એ યોજનાને જૈન સમાજના અગ્રણીઓએ જોરદાર વિધેયાત્મક પ્રતિભાવ આપ્યો. જોત જોતામાં ચૌદ વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા પેઠે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયાનો ફાળો એકઠો થઈ ગયો. દાનવીરોના દિલનાં દ્વાર ખૂલી ગયાં. પૂજ્યશ્રીજીના શુભાશયના પરિણામે શિક્ષણ પ્રવૃત્તિને પ્રવેગ આપવાની તેમના અંતરમાં પ્રેરણા જાગી હતી. અંતમાંકપૂરચંદજીના પરિવારે પચીસ તેજસ્વી વિદ્યાર્થીઓને ભણાવવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને અઢી લાખની માતબર રક્મ આપી. વિદ્યાલયની સમિતિએ એરકમના બદલામાં કપૂરચંદજીના પરિવારનું સાર્વજનિક રૂપમાં સન્માન કરવાનો નિર્ણય કર્યો. અમદાવાદના પ્રસિદ્ધ શેઠકસ્તુરભાઈલાલભાઈની અધ્યક્ષતામાં તા. ૧૪-૧૦-૧૯૫૩ના દિવસે યોજાયેલા ભવ્ય સમારંભમાંકપૂરચંદજીનું દબદબાભેર સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે કસ્તુરભાઈએ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું... ‘પૂજ્ય આચાર્ય શ્રીવિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી તેમના પુણ્ય પ્રતાપે જ આ સંસ્થાની સ્થાપના થઈશકી છે.’ આ સમારંભમાં પૂજ્ય ગુરુદેવે પોતાના વક્તવ્યમાં પ્રેરક વાત જણાવતાં કહ્યું ‘જીવનમાં ધન તો અનેક વ્યક્તિઓ કમાય છે, પરંતુ તેનો સદુપયોગ તો જૂજ લોકો જ કરી જાણે છે ! અપાર સંપત્તિના ઢગલામાં આળોટતા એ લોકોએ જાણવું જોઈએ કે તે લોકો એ સંપત્તિના માલિક નથી, પરંતુ ટ્રસ્ટી છે. શેઠકપૂરજી તથા તેમનો પરિવાર આ સત્યને સમજી શક્યા છે. એમની આ દ્રષ્ટિને, સમજણને જેટલા પણ અભિનંદન પાઠવાય એટલા ઓછા છે. વિદ્યાલયની સમિતિને હું આગ્રહ કરીશ કે એ લોકો સંસ્થાના આ નિર્ધારીત ઉદ્દેશને સફળ બનાવવા પર્યાપ્ત પ્રયાસ કરે.’ પૂજ્યશ્રીજીનું એક દિવાસ્વપ્ન હતું... જૈન ધર્મ તથા સમાજનું કલ્યાણ ! જગતના જીવ માત્રનું કલ્યાણ ... શિક્ષણનો સાર્વત્રિક પ્રચાર ! તેજસ્વી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે ૧૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy