SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાર્થીઓ માટે એ આશીર્વાદરૂપ સિદ્ધ થશે. મહાનગરો તથા શહેરોમાં તો અનેક શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ નાનાં નાનાં ગામડાંઓ આજે પાગ શિક્ષણથી વંચિત છે. આવા વાતાવરણમાં જ્યાં વ્યાવહારિક શિક્ષણનો અભાવ વર્તાય છે, ત્યાં તેમને ધાર્મિક શિક્ષણ તો કયાંથી પ્રાપ્ત થાય? ગામડાના ઉદ્ધાર વિનાદેશનો ઉદ્ધાર અસંભવ છે. એટલે જો તમે ચાહો તો આજના શુભ દિવસે સંકલ્પ કરી આ પ્રસંગને દીપાવી શકો છો.’ ઝગડિયામાં ગુરુકુળ સ્થાપવાના પૂજ્યશ્રીજીના પ્રસ્તાવને લોકોએ ઉમળકાભેર વધાવી લીધો હતો, પરંતુ પૂજ્યશ્રીજી જાણતા હતાકે ઘણીવાર લોકો ઉત્સાહમાં આવી જે કામ કરવાનો સંકલ્પ કરે છે, પાછળથી તેમનો ઉત્સાહઠંડો પડી જતાં એકામરખડી પડે છે. એટલે ઝગડિયામાં ગુરૂકુળ બનાવવાના કામમાં શિથિલતાન આવી જાય તે માટે માંગરોળ પધારેલા પૂજ્યશ્રીએ ઝગડિયાથી મળવા આવેલા ભક્તો સમક્ષ રાત્રે વાતચીત કરતા પોતાની પ્રતિજ્ઞા જણાવી દીધી...‘વિ.સં. ૨૦૦૯નીકારતકની પૂનમ સુધી જો ગુરુકુળની સ્થાપના નહીં થાય તો હું આહારમાં ઘીનો ત્યાગ કરીશ!' ત્યાં ઉપસ્થિત ઝગડિયાના સમર્પિત અગ્રણી ભક્તોએ પણ દૂધદહીંના ત્યાગની પ્રતિજ્ઞા લીધી. ગુરુભક્ત ઉપાધ્યાય શ્રી સમુદ્રવિજયજી મહારાજે પણ ઘીન ખાવાની પ્રતિજ્ઞા લીધી. પૂજ્ય ગુરુદેવની પ્રતિજ્ઞાએ જાદુઈ પ્રભાવ પાથર્યો અને તેમણે નક્કી કરેલી સમયાવધિમાં જઝગડિયામાં સુંદર ગુરુકુળની સ્થાપના ભાવિકોએ કરી પોતાની ગુરુભક્તિનો પરિચય આપ્યો. આમ દીકસ્વયંનાદેહદમનની પ્રતિજ્ઞાઓરીને પણ પૂજ્યશ્રીજીએ પોતાના ધર્મ તથા સમાજના ઉત્થાનના અભિયાનને ગતિમાન રાખ્યું હતું. ઈ.સ. ૧૯૫૨ના મુંબઇના ચાતુર્માસરમ્યાન પૂજ્ય ગુરુદેવની વિરૂદ્ધ ચોપાનિયાં છપાવી કેટલાક છિદ્રાન્વેષી લોકોએ અપપ્રચાર શરૂ કર્યો હતો. પૂજ્યશ્રીએ ત્યારે તેના પ્રત્યાઘાતમાં ભક્તોને જણાવ્યું હતું... સાધુ, સાધ્વી, શ્રાવકતથા શ્રાવિકા કોઈ પોતાની જાતને મારો ભક્ત માને છે, એમને મારે એટલું જ કહેવાનું છે કે ચાહે ગમે તેટલા હેન્ડબીલછપાય, વર્તમાનપત્રોમાં ટીકાઓ થાય પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી. મારો ઢ નિર્ધાર જાણી લો... ભલે લાખ આલોચના થાય, વિરોધ થાય છતાં મારું સમાજની ઉન્નતિનું કામ, સાહિત્યપ્રચાર તથા શિક્ષણ સંસ્થાઓના વિકાસનું કાર્યકદાપિ અટકશે નહીં... જીવનના અંતિમ શ્વાસ સુધી આ કાર્યોને પાર પાડવાનો હું ભગીરથ પ્રયાસ કરતો જ રહીશ..!' પોતાના સુધારાવાદીસમાજસેવા તથા શિક્ષણ પ્રચારના કાર્ય પ્રત્યે પૂજ્ય ગુરુદેવકેટલા સમર્પિત હતા તથા તેમનો સંકલ્પ કેટલો મજબૂત હતો એની પ્રતીતિ ઉપરોક્ત ઘટનામાં સારી રીતે થાય છે. મુંબઈના કોટના ઉપાશ્રયમાં પૂજ્ય ગુરુદેવ રોકાયા હતા. નરસીભાઈનામના એક શ્રાવક ભાઈએ પોતાની ધર્મપત્નીની સ્મૃતિમાંન્યાપાશાળા ખોલવા સારુએકલાખ રૂપિયાનું માતબર દાન આપ્યું હતું. એ સંદર્ભમાં નેણસીભાઈનું બહુમાન કરવા શ્રી કચ્છીવીસા ઓસવાલ સમાજે એકસમારંભનું આયોજન કર્યું હતું. એ સમારંભમાં પૂજ્ય ગુરુદેવને આશીર્વાદ આપવા સારુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy