SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ તો પંજાબ સંઘ પાસે જ રહેશે. જ્યારે મારી શરત પૂરી કરાશે, ત્યારે જ હું એનો સ્વીકાર કરીશ! મારી શરત છે... એક કોલેજ સ્થાપવા અંબાલા સંઘ પચાસ હજાર, પંજાબ શ્રીસંઘ પચાસ હજાર તથા મુંબઇનાશેઠપચાસ હજાર રૂપિયા આપે. આરીતે કોલેજના નિર્માણ કાર્ય માટે દોઢ લાખ રૂપિયા એકઠી થવા જોઈએ. એમાં પણ અંબાલા તથા પંજાબના શ્રી સંઘે મારી શરત પૂરી કરવા માટે પહેલ કરવી પડશે...'પૂજ્ય ગુરુદેવની વાત પૂરી થઈ અને તાણ કોલેજ માટે થોડીક રકમો લખાવવામાં આવી. - પૂજ્યશ્રીજીની ઉપસ્થિતિમાં જ્યારે જ્યારે પણ નાના મોટા ઉત્સવોની ઉજવણી થતી અને ભાવિકો તેમને સન્માનિત કરવા ઉત્સુક બનતા, ત્યારે ત્યારે પૂજ્ય ગુરુદેવ પ્રશંસા, પ્રશસ્તિપત્રો તથા સન્માનતા ભાવિકોનાએ ઉમળકાને સમાજ તથા ધર્મના ઉત્થાનના રચનાત્મક કાર્ય તરફ વાળી પોતાના જૈન સમાજના અભ્યદયના અભિયાનને આગળ ધપાવતા હતા. પૂજ્ય ગુરુદેવ જૈન સાહિત્યના પ્રચાર માટે પ્રતિજ્ઞાબદ્ધહતા. એકવાર એક પંડિતજીએ જૈન ધર્મ વિશેના પોતાના લેખમાં સૈધ્ધાંતિક રીતે ભૂલો કરી ત્યારે પૂજ્યશ્રીએ જે તે સંઘના અગ્રણીઓનું ધ્યાન એ ક્ષતિ તરફ દોરી ભવિષ્યમાં છપાનાર દરેક જૈન સાહિત્યની કૃતિનું વ્યવસ્થિત પરીક્ષાણ થાય એવી ગોઠવણ કરાવી હતી. - પૂજ્યશ્રીજીની પ્રેરણાથી જ ખંભાત, પાટણ, રાજસ્થાનના દૂરના પ્રદેશોના પુરાણાં જૈન સાહિત્યની માવજત કરી હજારો પ્રાચીન ગ્રંથોને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. પાટાગમાં એ જૈન સાહિત્ય માટે જ્ઞાનમંદિર પણ બનાવવામાં આવ્યું હતું. પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી સ્વ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ભક્તિવિજયજી મહારાજે ૧૩૨૫ હસ્તલિખિત ગ્રંથ એકઠા કર્યા હતા. તે જ પ્રમાણે મુનિ શ્રી લબ્ધિવિજયજી મહારાજે પણ ૨૧૦હસ્તલિખિત ગ્રંથો એકઠા કર્યા હતા. - પાલિતાણાથી વિહાર કરી પૂજ્યશ્રીજી ભાવનગર પધાર્યા, ત્યારે ભાવનગરની જૈન સભાએ તેમની ઉપસ્થિતિમાં લગભગ ત્રણ હજાર જેટલા હસ્તલિખિત ગ્રંથોને પ્રકાશિત કરાવવાની ઘોષણા કરી. આ પ્રસંગે પૂજ્યશ્રીજીએ આત્મકાંતિ જ્ઞાનમંદિરનું ઉદ્ધાટન કરતા, આ મહામૂલ્ય ગ્રંથો પરવાસક્ષેપનાખી આશીર્વચન કહ્યા. તેમણે પોતાના વકતવ્યમાં જણાવ્યું... જૈન સભાના કાર્યકર્તાઓ તથા સભ્યોને હું આ પ્રસંગે જૈન સાહિત્યના મૂલ્યવાન ગ્રંથોના પ્રકાશન કાર્ય બદલ ધન્યવાદ પાઠવું છું. પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસના ત્રેવીસમાં દિવસે જ તેમના નામથી ગ્રંથ પ્રકાશક સભાની સ્થાપના કરી તેનું સુંદર સંચાલન કરવા તથા ઘેર ઘેર જ્ઞાનજ્યોત ફેલાવવા બદલ હું ભાવનગરના જૈન ભાઈઓની અનુમોદના કરું છું... આજે વિશ્વશાંતિ માટે જૈન સિદ્ધાંતોનો પ્રચાર થવો અત્યંત આવશ્યક છે...' ...પૂજ્ય આત્મારામજી મ.સા.ના સરસ્વતી મંદિરોની સ્થાપનાના અધૂરા સ્વપ્નને પરિપૂર્ણ કરવા હું પ્રયત્નશીલ છું. તેમની પ્રેરણાથી જ આજે પંજાબમાં ગુરુકુળ, મિડલ સ્કૂલ, હાઇસ્કૂલ, કન્યાશાળાઓ, કોલેજો તથા પુસ્તકાલયો પૂજ્ય ગુરુદેવના નામથી સ્થાપિત કરાવ્યા છે અને એ પ્રવૃત્તિ આજે પણ ચાલુ છે. આજે ગુરુદેવના જન્મ દિવસે ઝગડિયા જેવા શાંત પવિત્ર સ્થાનમાં પણ એક ગુરુકુળની સ્થાપના થાય, તો આસપાસના ગ્રામીણ વિસ્તારના (૧૦૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy