SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ બેધામૃત [વ. ૩૭૩] ૧૦૦ ધારશીભાઈ ઉપર આ પત્ર છે. ધારશીભાઈએ લખ્યું હશે કે “મનને લઈને આ બધુ છે' એ મારો અત્યારસુધી થયેલો નિર્ણય છે. ઘણાં પુસ્તક વાંચતાં મન જ બંધ મોક્ષનું કારણ છે એમ એમને લાગ્યું. પણ કૃપાળુદેવે લખ્યું કે એ વાકયના ચાર ભાગ થાય છે? ““મન” “તેને લઈને, “આ બધું “અને તેને નિર્ણય,”” એ તે ઘણું કાળના બધે જેમ છે તેમ સમજાય છે, અને સમજાય છે ત્યારે મન વશ વર્તે છે. જ્ઞાનીના બધે વિચારણા જાગે, તેથી આત્માને નિર્ણય થાય. પિતાના સ્વરૂપને સદ્દગુગે ખરે નિર્ણય કરવાને છે. આત્માને નિર્ણય થયા વિના મન વશ થાય નહીં. ઘણે બંધ થાય, સપુરુષને સત્સંગ થાય ત્યારે મન એને સમજાય છે, અને તે પણ ઘણું કાળના બોધે સમજાય. પ્રભુશ્રીના વખતમાં આ પત્ર વંચાય હતે. પછી કહ્યું કે મન શું છે? ભાવમન અને દ્રવ્યમન એમ બે પ્રકારે મન છે. તેને લઈને એ દરેકના બએ ભેદ પડે છે. “ આ બધું દેખાય છે તે ભાવરૂપ પણ છે. પહેલાં સંકલ્પ-વિકલ્પ ઊઠે ત્યારપછી “આ બધુ” થાય છે. “મન” “તેને લઈને “આ બધું” અને “તેનો નિર્ણય– એ બધું ઘણા કાળના બધે સમજાય એવું છે. મનનું સ્વરૂપ સપુરુષ પાસેથી સમજવાનું છે. | મન બે પ્રકારે છેઃ એક દ્રવ્યમન, બીજું ભાવમન. દ્રવ્યમન એ પુદ્ગલની રચના છે. જેમ ઇન્દ્રિયની રચના છે તેમ દ્રવ્ય મનની પણ છે. એ અંતઃકરણ એટલે અંદરની ઈન્દ્રિય છે. એનાથી સંકલ્પ-વિકલ્પ કરવાનું, વિચારવાનું થાય છે. એમાં જે ઉપગ છે તે ભાવમન છે. ખરી રીતે તે ભાવમન એ આત્મા જ છે. આત્મા દ્રવ્યમનમાં જોડાય ત્યારે સંકલપ-વિકલ૫ અને વિચારો થાય છે. ભાવમન દ્રવ્યમનમાં પ્રવર્તે ત્યારે સંકલ૫-વિકલ્પનું કામ કરે છે. મનને લઈને સંસાર અને મનને લઈને મેક્ષ છે. મન જે સંસારભણી વળ્યું તે બધું સત્યાનાશ. અત્યારે વિભાવવાળું મન છે. એ મન જે સવળું પરિણમે તે સમ્યગ્દર્શન કરે, બધું કરે. સ્વભાવમાં હોય ત્યારે સંકલ્પ-વિકલ્પ ન હોય. પ્રશ્ન-મન વશ કરવા માટે પ્રથમ જીવે શું કરવું? પૂજ્યશ્રી–સત્સંગ કરે. પછી બેધ સાંભળ, ગ્રહણ કરે, તો મન વશ થાય. મન એ ઘણું કાળના બધે સમજાય છે. મન જે સમજાય તો સમ્યગ્દર્શન થાય, પણ એ સમજાવું મુશ્કેલ છે. આ બધા સંક૯પ-વિકલ૫ મનને લઈને થાય છે એમ લાગતું નથી. બીજાને વાંક કાઢવા જાય છે. દેશે ઓળખે અને એ એને ખૂચે ત્યારે નીકળે. પ્રશ્ન–બાધ તો રેજ અહીં સાંભળીએ છીએ તે મન વશ કેમ નથી થતું? પૂજયશ્રી–શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાનું છે. સાંભળવામાં, વાંચવામાં તે ઘણું આવે છે, પણ પાછું મનન કરે કે આ કેમ આમ થતું નથી? એમ વારંવાર દે એને ખેંચે ત્યારે થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy