SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન પ્રશ્ન–દેષ ખૂંચે છે, સારા લાગતા નથી, છતાં એમાં જ તણાઈ જવાય છે. આજે મારે નથી બલવું એમ કરવા છતાં બોલી જવાય છે. પૂજ્યશ્રી–અભ્યાસ કરતાં એવું જ થાય છે. નાને છેક ચાલતાં શીખે ત્યારે પડે, પણ ફરી ઊભું થાય અને ચાલે, ફરી પડે, એમ વારંવાર ચાલવાને અભ્યાસ કરતાં કરતાં ચાલતાં શીખે છે. તેમાં થાકી જતો નથી. પ્રશ્ન–કઈ કઈ વખત એમ થઈ જાય કે વારંવાર શું વાંચવું? એમ ઉદ્વેગ થઈ આવે છે. પૂજ્યશ્રી–વારંવાર શું વાંચવું? એમ થાય છે, તે મનને પૂછવું કે વારંવાર નથી વાંચવું ત્યારે તારે શું કરવું છે? આખો દિવસ ખા ખા કરવું છે કે સૂઈ રહેવું છે? શરીરને જે દુઃખ થાય છે, તે દુઃખ નથી. એથી આત્મા સુખી થાય છે. આત્મા જે સુખી થત હોય તે દેહ ભલે પડી રહે. છેવટે દેહ તે પડી રહેવાને છે. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં, વિચિત્રતા!!” આત્માના અનંત સુખને માટે દેહને જે દુઃખ અપાય છે તે તે નામનું દુઃખ છે, દુખ નથી. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” પાંચ ઈન્દ્રિયના વિષયમાં મનને ન જવા દેવું. જાય તે તાણી લાવવું. પરિગ્રહના વિચાર આવે તે કાઢી નાખવા. મારે પરિગ્રહને શું કરે છે? પરિગ્રહ એ પાપ છે, પાંચ ઈન્દ્રિયના વિષયે પાપ કરાવનારા છે. મારે તે પાપથી છૂટવું છે. મનને પૂછવું કે તારે શું જોઈએ છે? ત્યારે મને એમ કહે કે મોક્ષ, તે કહેવું કે સંકલ્પ-વિકલ્પ, રાગદ્વેષને મૂક, એમ પિતે પિતાને સમજાવવાનું છે. તે એ તે એની મેળે મૂકી દેશે. જેને છૂટવું છે, જેને મોક્ષે જવાની ઈચ્છા છે, તેનું મન બીજે જાય નહીં. યથાર્થ જ્ઞાન થયા પછી વૃત્તિ આત્મા તરફ જ વહ્યા કરે છે. મન કેમ વશ થાય? એ ઘણા કાળના બેધથી સમજાય છે અને વશ થાય છે. વિચાર કરશે તો સમજાશે. જ્ઞાની પુરુષને દેહ બે કારણને લઈને વતે છે. (૧) પ્રારબ્ધ ભોગવવાને અર્થે, (૨) જીવોના કલ્યાણ અર્થે. જ્ઞાની પ્રારબ્ધને લઈને પણ ઉદાસપણે વર્તે છે. જ્ઞાની પુરુષની મન વચન-કાયાની ચેષ્ટા આશ્ચર્યકારી હોય છે. એ જે જીવને સમજાય તે નિર્જરા થાય. ધ્યાન, જપ, તપ, ક્રિયા એ સર્વ કરતાં જ્ઞાનીનાં વચનનો વિચાર કરવો એ વધારે હિતકારી છે એમ લાગે તેવું કરવું છે. લોકસંજ્ઞા-શાસ્ત્રસંજ્ઞામાં વૃત્તિ ન જાય, જ્ઞાનીએ કહ્યું તે જ મારે માનવું છે, એ નિશ્ચય કર. જ્ઞાનીના એક એક વચનને બહુ વિચારવાથી મોક્ષ થાય એવું છે. ઉપશમ, વિવેક, સંવરએ જ્ઞાનીનાં વચન વિચારતાં ચેલાતીપુત્રને મોક્ષ થયો. [વ. ૩૭૪]. ૧૦૧ શ્રી રા. આ. અગાસ, કારતક સુદ ૬, ૨૦૧૦ જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન જ ઈચ્છવાયેગ્ય છે. બીજી વસ્તુ(ની ઈચછા) આડી આવે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy