________________
બોધામૃત જ્ઞાની ઓળખાય નહીં. એ કલ્યાણકારી નથી. જ્યાં સુધી જ્ઞાની ન ઓળખાય ત્યાંસુધી જ્ઞાની પણ એમ જ રહે છે. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે જ્ઞાનીની વર્તના અગમ્ય હોય છે. પ્રભુશ્રીજી શરૂઆતમાં વિષ્ણુની સાથે રહેતા ત્યારે તેમ વર્તતા. પણ વખત આવ્યે ફેરવી નાખીશું તેમ કહેતા. અનંત કાળથી જીવ ઝેર ખાતે આવ્યા છે. જ્ઞાની વિના એને કોણ અટકાવે ?
ખેર કરવા જેવું નથી. “જગતજીવ હૈ કર્માધીના !” “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯). ખેદ તે છોડવાનું છે. આથી બમણું કર્મ આને! પણ ખેદ ન કરે. શૂરવીર હશે તે કલ્યાણ કરશે. નહીં તે સંસારને રસ ચાટવા જાય તે પાર આવે નહીં.
જ્ઞાની પાસે સાંસારિક ફળની ઈચ્છા ન કરવી, નહીં તે જ્ઞાની ઓળખાય નહીં. વિષમ દશા થઈ તે જ્ઞાનીને પણ કર્મ બંધાય. કર્મને કંઈ શરમ નથી. “અવિષમભાવ વિના અમને પણ અબંધપણુ માટે બીજો કોઈ અધિકાર નથી.” (૮૨૩) રાગદ્વેષ થાય ત્યાં કર્મ બંધાય. તીર્થકરની મોટી આજ્ઞા રાગદ્વેષ ન કરવા એ છે.
ચિદાનંદજી ઝપાટાબંધ વિહાર કરતા તેથી કોઈ એમને મળી શકતું નહીં. એક ભાઈ એમને બહુ શોધતા હતા. એક વખત ચિદાનંદજી તેમને મળ્યા, ત્યારે કહ્યું: બાપજી, કંઈ ઉપદેશ કરે. ચિદાનંદજીએ કહ્યું, રાગદ્વેષ ન કરો. તે ભાઈએ કહ્યું, કંઈક વિશેષ કહે. ચિદાનંદજીએ કહ્યું કે વધારે સાંભળવું હોય તે બીજી ઘણી દુકાને છે, અહીં તે એટલી જ વાત છે.
જગતના બધા જેને ખેદના પ્રસંગે આવે છે. જ્યાં સુધી સમાધિભાવ ન જાગે હોય ત્યાં સુધી ખેદ છે. સંસારમાં અનેક પ્રકારનાં કમ છે તે દુઃખરૂપ છે, પણ એથી ખેદ પામ નથી. સંસારની તે ઈરછા જ કરવા જેવી નથી. હૈ ઈચ્છા દુઃખમૂલ” એ ઇચ્છા જ દુઃખનું મૂળ છે. સુખી થવું હોય તે ઈચ્છા મૂકી દેવી. સમજ્યા તે સમાયા. બધા કરતાં ઈછા વધારે દુઃખ આપે છે. ઈચ્છાને લઈને કલેશ ઉત્પન્ન થાય છે. પુણ્યને ઉદય ન હોય અને માથું ફોડે તેય ન મળે.
ઇચ્છા ઓછી કરવી. ઈચ્છા એક મેક્ષની રાખવી. “માત્ર મોક્ષ-અભિલાષ. જે મોક્ષને ઈચ્છે છે તે સંકલ્પવિકલ્પ રાગદ્વેષને મૂક. ઈચ્છા વખતે આત્માને સુખ થાય છે કે દુઃખ? એને વિચાર આવતું નથી. ઈછાથી જુદા રહેવાની જરૂર છે. “જબ ઈચ્છા કા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.' ઈચ્છાના નાશ વિના મોક્ષસુખ નહીં થાય. દેવલોકમાં પણ ઈચ્છા કર્યા વગર રહેતું નથી. સમજણ વગર સુખ મળે એમ નથી.
સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દેષ;
સમજ સમજ કરી છવહી, ગયા અનંતા મેક્ષ.” સમજ કરી લેવાની છે. નકામી વસ્તુમાં ચિત્ત ન દેતાં જ્ઞાનીએ કહ્યું તે સ્મરણ કર્યા કરવું. ઉપરાઉપરી સ્મરણ થતું હોય તે ઈચ્છા થાય નહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org