________________
વચનામૃત-વિવેચન રિદ્ધિસિદ્ધિ ફેરવી મુમુક્ષુનું કલ્યાણ કરવું એમ જ્ઞાની ઈછે નહીં. જ્ઞાની પાસે કોઈ વૈભવ હેય તેની ઈચ્છા કરવા જેવી નથી. પણ જ્ઞાની આપે તે એને પ્રસાદ જેવું થાય. અને જે જ્ઞાની પાસે લેવાની ઈચ્છા કરે તે એ ચોરીને પ્રકાર છે. જ્ઞાનીને પણ રિદ્ધિસિદ્ધિ ફોરવવાથી નુકશાન થાય. એમનું સમકિત જાય.
જીવને ધીરજ રહે તે ત્યાં આગળ કસોટીમાં જીવ ટેવાય છે. ગમે તેવી મુશ્કેલી આવે તે પણ પરમાર્થમાગમાં ઢીલા થવા જેવું નથી. પ્રભુશ્રીજી કહેતા કે અત્યારે દુઃખ છે તેથી બમણું આવે તોય સહન કરવું છે. એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. જે આવે તે અવિષમભાવે સહન કરવું. રાગદ્વેષ થવા દેવા નહીં. રાગદ્વેષ ઘટાડે તે જ કલ્યાણ થાય. લેભમાં તણાય તે આત્માથીપણું જતું રહે એવું છે.
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ;
ભવે ખેદ પ્રાણદયા, ત્યાં આત્માર્થ-નિવાસ. ” એવી દશા આવે ત્યારે એને જ્ઞાનીને બોધ સુહાય. એટલી યોગ્યતાની જીવને ખામી છે.
રિદ્ધિસિદ્ધિ તે સ્વનેય ઈચ્છવા જેવી નથી. સંસારની ચિંતા ફિકરમાં મુમુક્ષુએ બેટી થવા જેવું નથી. “ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નહિ.” વર્તમાનમાં અવિષમ પરિણામ રહે તેમ કરવું. બનવાનું હશે તે બનશે.
નહિ બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય;
કાં એ ઔષધ ન પીજિયે; જેથી ચિંતા જાય.” ચિંતા કરવાની નથી. જેવું કેવળીને જોયું છે તેવું થવાનું છે. માટે વર્તમાનમાં સમભાવે રહેવાય તેવું કરવાનું છે. જીવ ભવિષ્યની ચિંતા કરી વર્તમાનમાં પુરુષાર્થ છેડી કમ બાંધે છે. કૃપાળુદેવને ભવિષ્યની એક ક્ષણને પણ વિચાર આવતો નથી. અજ્ઞાનીને ભવિષ્યની ચિંતા હોય. જ્ઞાની તો જાણે છે કે જેમ થવાનું હશે તેમ થશે.
નકામા વિચાર કરી ને જોઈતી ફિકર કરી જીવ કમ બાંધે છે. ટેવ પડી ગઈ છે. ભવિષ્યમાં શું થશે? લેકે શું કહેશે? એ બધી ભવિષ્યની ચિંતા ભયરૂપ છે. એને ભૂલી જાવ. સંસારને ન ભૂલે તો પછી પરમાર્થ કેમ સાંભરે?
“ પ્રીતિ અનંતી પરથકી, જે તોડે છે તે જોડે એહ; ” સંસારમાં પ્રીતિ હોય ત્યાંસુધી પરમાથે હાથમાં ન આવે. પરમાર્થ ભુલાય છે એ જ મરણ તુલ્ય છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહા ! રાચી રહો !” પરમાર્થ ન ભુલાય એ જ કાળજી રાખવાની છે. “કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું” (૨૫). એ જ લક્ષ રાખવાનો છે. આજીવિકા અને કલાજ એ બેય તમને સતાવે છે.
થાવું હોય તે થાજે, રૂડા રાજને ભજીએ.” એ જ કરવાનું છે. કરવાનું છે તે ચૂકાય નહીં એવું કરવાનું છે. તમે નિર્ભય ન થાઓ ત્યાંસુધી કલ્યાણ ન થાય. કલાજ આદિથી જ્યારે નિર્ભય થઈ જશે, ત્યારે જ તમને જ્ઞાનીને બોધ ચોટશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org