________________
આધામૃત
૧૦૨ શ્રી રા૦ ૦ અગાસ, ભાદરવા સુદ ૫, ૨૦૦૯ ભગવાનની વાણી ભગવાનસ્વરૂપ છે. ભગવાન પ્રત્યક્ષ કહેતા હૈાય એવી આગમની વાણી છે. એ સાંભળનારને પણ વીતરાગતા ભણી લઈ જનાર છે. વીતરાગતા માટે વાંચવા વિચારવાનું છે. શાસ્ત્રો વાંચીને વીતરાગતા ન આવી તે વાચન નિષ્ફળ છે.
દુઃખથી છૂટવું હોય તે દુ:ખનાં કારણુ રાગદ્વેષઅજ્ઞાન છેડવાં. એ રાગદ્વેષ સ'સાર છે. જ્યાં હું ને મારુ” છે ત્યાં સંસાર છે. તે આત્મજ્ઞાન વિના જાય એવાં નથી. માટે જેને દુ:ખ મટાડવું હોય તેણે આત્મજ્ઞાનને લક્ષ રાખવે. એ આત્મજ્ઞાન શાથી થાય છે ? તે જ્ઞાનીપુરુષ કહે છે, કે સત્પુરુષાનાં વચનાનું સાંભળવું કે સત્શાસ્ત્રનું વાચન શ્રવણુ કરવુ એ આત્મજ્ઞાન થવાના ઉપાય છે. ઘણા લેકા માને તે ધમ છે, એમ જીવ માને છે. મત મતાંતર, કુળધમ, લેાકસંજ્ઞા, આદ્યસંજ્ઞા એમાં કઈ લાભ નથી. જીવે ધમ ધમ એમ જગતમાં બધે સાંભળ્યું છે, પણ આત્મવિચારક વ્યરૂપ ધમ તેા જીવે સાંભળ્યે પણ નથી. આત્મવિચારકત વ્યરૂપ ધમ તે સાચા ધર્મ છે. આત્મજ્ઞાન કરવુ હાય તે આત્મવિચાર કરવા પડશે. પણ એ જ મારે કવ્યરૂપ છે એમ લાગે ત્યારે વિચાર થાય. હું કાણુ છું? કાંથી થયે!? શું સ્વરૂપ છે મારું ખરું? કાના સબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું ?
*
,,
ce
[૧.૩૭૫]
એ એ પ્રકારે આત્મસ્વરૂપના વિચાર કરવાની દિશા બતાવી. પણ આત્મવિચાર કર્તવ્ય લાગે ત્યારે. ખીજા વિચારોના અભ્યાસ થઇ ગયેા છે, પણ એ બધાથી પલટાવી એક આત્મ વિચાર કરવા.
એ આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્માંના ઉપાય શેાધીને કરવા. ખીજા ઉપાયને નિશ્ચય કરવા પહેલાં એક માટે નિશ્ચય એ કરવા કે સત્સંગ સિવાય ઉપાય નથી. એ કલ્યાણુનું મુખ્ય સાધન છે. જેવી જેવી ભાવના હાય તેવી તેવી વસ્તુ મળે. અત્યારે મળ્યું છે તેના વિચાર કરીએ તે એ પૂર્વ ભાવેલી ભાવનાનું ફળ છે એમ લાગે. જેને ધમ કરવા છે, તેણે લૌકિકભાવમાં તણાઈ ન જવું. કુળધમ ના દેખાદેખી ઉપવાસ કરે, પણ એ ધમ' નથી. બધાં સાધનને ગૌણુ કરી સત્સંગ કરવા. એમાં સમજણુ ફરે છે. આત્મવિચારકતવ્યરૂપ ધર્મ છે. તેનું સાધન સત્સંગ છે. સત્સંગની ભાવના કરવી અને અસત્સંગથી ડરતા રહેવુ. એથી શુ' પિરણામ આવે તેના વિચાર કરીને ડરતા રહેવુ, સાપથી ડરે છે તેમ. પેાતાના આત્માને પૂછવાનું છે કે તું સુખી છે કે દુઃખી ? એમ વિચાર કરી આત્માને શાંતિ થાય તેમ કરવાનું છે. અત્યારે જીવા જડ ક્રિયામાં પડયા છે. અસત્સંગ, અસત્શાસ્ત્ર એ બધાં આત્મવિચારકત વ્યરૂપ ધમ પ્રગટવા ન દે. આત્માને જેથી સુખ થાય તેવા ધર્મ કરવા. સત્સંગ પરમ કલ્યાણુરૂપ છે. કેટલુ કૃપાળુદેવને માહાત્મ્ય લાગ્યું છે! મહા પુણ્ય હોય તે સત્સંગ મળે, એવા ચેાગ ન હાય ! એની ઇચ્છા કરવી. સત્સંગના લાભ વિચારવા અને અસત્સંગની હાનિ વિચારવી. અસત્સંગથી ગેરલાભ છે એમ વિચારી સત્સંગ ન હાય તે કૃપાળુદેવનાં વચના વાંચવાં, વિચારવાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org