SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન મુમુક્ષુ-અસત્સંગ એટલે શું? પૂજ્યશ્રી–સત્સંગે જે કંઈ રુચિ થઈ હોય તેને પલટાવી નાખે તે અસત્સંગ છે. કુગુરુ, ઘરનાં કામ, છાપાં, એ અસત્સંગ છે. ક્રોધ માન આદિ કષાય અસત્સંગ છે. જે આપણે કરવું છે તેમાં વિદ્મ કરનાર તે બધા અસત્સંગ છે. એથી ભડકતે રહે તે ન પડે. નહીં તે અસત્સંગે જીવને સમકિત હોય તેય જતું રહે મુમુક્ષુ–“અસત્સંગનું વિપરિણામ વિચારવું” એટલે શું? પૂજ્યશ્રી—-અસત્સંગથી શી શી હાનિ થાય છે? તેને વિચાર કરી એથી દૂર રહેવું. કૃપાળુદેવ આત્મામાં રહે છે, સમાધિમાં રહે છે. ઉપાધિમાં સમાધિ રહેવી મુશ્કેલ પડે અને સત્સંગ હોય તે સહેજે સમાધિ રહ્યા કરે. આત્માને જે જાણતા નથી, તે બીજાને ઉપદેશ કરે તે પોતાને ય લાભ ન થાય અને સામાને પણ લાભ ન થાય. એકધારાં પરિણામ રહેતાં નથી. જ્યારે સત્સંગ ન હોય ત્યારે વિચારે કે મારાં પરિણામ કેવાં રહે છે? ત્યારે અસસંગનું સ્વરૂપ સમજાય. સારા ભાવ પણ પલટાતાં વાર ન લાગે. ભાવના કરવી અને યથાશક્તિ સત્સંગને આરાધ. પિતાની શક્તિ પ્રમાણે કર્યા કરવું. એકલી ભાવના જ નહીં, અનેક પ્રકારે વિચારીને જ્ઞાનીનું કહેલું સાચું છે એ અનુભવમાં આણવા જેવું છે. એ જ મારે કરવું છે એમ રાખવું. - કૃપાળુદેવે પૂર્વે ઘણે સત્સંગ કર્યો છે તેથી સત્સંગને ઈચ્છે છે. સત્સંગથી ભાવ ચઢિ. યાતા થાય છે. જેને છૂટવું છે તેણે સત્સંગમાં રહેવું. સત્સંગથી જેટલો લાભ છે તેટલે બીજાથી ન થાય. મનુષ્યભવ કડાકુટ માટે માન્ય નથી. સમાધિભાવ ન જવા દે. કૃપાળુ દેવને અંતરથી સત્સંગ સત્સંગ રટણ થયા કરે છે. માટે કલ્યાણનો નિર્ણય કરે હોય તો સત્સંગ કરે. સત્સંગનું કૃપાળુદેવે બહુ વેદન કર્યું છે, તેથી મહામ્ય લાગે છે. જેને છૂટવાની ભાવના છે તેને સંગ તે સત્સંગ છે. કૃપાળુદેવ કહે છે કે જે ઉપાધિ છે, તેને ત્યાગ થાય છે. નવું વધતું નથી. બુદ્ધિના (કલ્પનાના) વેપાર કરવા જેવું નથી. આપણે છૂટવું છે. ઉપશમને અર્થે “સૂયગડાંગ) વાંચવું એમ કૃપાળુદેવ લખે છે. “સૂત્રકૃતાંગ'ની રચના કરવાવાળા આત્મસ્વરૂપ પામેલા પુરુષ હતા. વીતરાગ પુરૂએ કહેલું હોય તે સલ્ફાસ્ત્ર છે. કમલેશ શાથી તૂટે? તે કે બેથી તૂટે. એ સૂયગડાંગનું પહેલું વાક્ય છે. બંધન શું? એ કેમ તૂટે? એમ શિષ્ય પ્રશ્ન કરે છે ત્યારે ગ્રંથકાર કહે છે કે ભગવાન મહાવીરનું કહેલું તમને કહીશું. કમબંધ કેમ તૂટે? એ પ્રશ્ન હતો. તેને ઉત્તર દેતાં ગ્રંથકારને વિચાર આવ્યો કે આ જીવની કેવી માન્યતા છે? જુદા જુદા ધર્મોને જીવ માને છે. એનું પહેલા અધ્યયનમાં વર્ણન છે. મતમતાંતરમાં પડવા જેવું નથી. [વ. ૩૭૬] ૧૦૩ શ્રી રા. આ. અગાસ, આસો સુદ ૧, ૨૦૦૯ વીતરાગ થવું હોય તે વીતરાગને પગલે ચાલવું પડે. સાચા આશ્રિતપણામાં લેક૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy