SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન મુમુક્ષુ“જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે.” એ કેવી રીતે ? પૂજ્યશ્રી–મનુષ્ય પર્યાય અનિત્ય છે, પણ એ પર્યાયમાં આત્મા ઓળખી લીધે. અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે” (૫મી દષ્ટિ). એટલે જેને બંધ હોય તેને સમાધિ હોય છે. આત્મા સિવાયની બીજા પદાર્થની ઈચ્છા છે તેને આધ્યાન કહ્યું છે. “ક્યા ઈચ્છત ખવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ” (હા) ૧-૧૨ ફૂડને). ઈચ્છે છે તેથી તે ખાવે છે. પરપદાર્થની ઈચ્છા થાય છે–મને ક્યારે સુખ મળે, પૈસા મળે એવી ઈચ્છા થાય છે–તે બધું આર્તધ્યાન છે. મને સમકિત ક્યારે થશે? કેવળજ્ઞાન ક્યારે થશે? એવી ઈચ્છાને આર્તધ્યાન નથી કહ્યું. “કેઈપણ પરપદાર્થને વિષે ઈચછાની પ્રવૃત્તિ છે અને કેઈપણ પરપદાર્થના વિયેગની ચિંતા છે તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે.” સારું ફળ જોઈતું હોય તો આર્તધ્યાન મૂકવું પડશે. જેણે ધિંગ ધણી માથે કર્યો છે તેને આધ્યાન કેમ થાય? ન થાય. સંસાર જેટલે સારરૂપ લાગે તેટલી આત્મજ્ઞાનનીયૂનતા છે. [વ. ૩૬૧]. કૃપાળુદેવને અંતરમાં સમાધિ વતે છે. બહાર ગમે તેટલી ઉપાધિ હેય–બલવાની, લેવા દેવાની બધી ઉપાધિ છે–પણ અંદર આત્મા શાંતિમાં વસે છે, સમાધિમાં રહે છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમપ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનથી બનવી કઠણ કહી છે, તે પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી.”(૫૫૧) વાની મારી કોયલ જેવું છે. આ કાળમાં આ પુરુષ! કહે છે કેઈમાને ય નહીં. [વ. ૩૭] શ્રી રાક આ અગાસ, ભાદ્રપદ વદ ૧૦, ૨૦૦૯ મુમુક્ષુ-લોકભાવના એટલે શું? પૂજ્યશ્રી–લેક જગતમાં જેને ઈરછે છે તેને જીવ ઈછે, પૈસાને ઈછે, મોટાઈને ઈછે, તે બધી લોકભાવના છે. એ મટવી બહુ મુશ્કેલ છે. જ્ઞાનીને બેધ મળે ત્યારે ઘણું કાળે એ મટે છે. તે પછી સમ્યગ્દર્શન, આત્મજ્ઞાન અને કેવળજ્ઞાન આદિની અલૌકિક ભાવના જાગે છે. લોકભાવના હોય અને પાછો એ સંગ હોય તે એમાં તણાઈ જાય. મુમુક્ષુ–સપુરૂષને વેગ થયા પછી પણ પુરુષ પ્રત્યે અભાવ થઈ જાય? પૂજ્યશ્રી–પુરુષ પ્રત્યે પણ જીવને બહુ અધીરજ થાય ત્યારે અભાવ થઈ જાય કે આટલા સુધી સત્સંગ કર્યો અને કંઈ થયું તે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy