________________
બધામૃત કે બીજું ઘર કરે. જીવને અનુકૂળતા મળે ત્યારે રાગ થાય છે. કંટાળે છે તે સાચે વૈરાગ્ય નથી. દુઃખગર્ભિત વૈરાગ્યમાંથી સારો વરાગ્ય પણ થાય છે. જ્ઞાનીને વેગ મળે તે થઈ જાય.
અમુક પ્રારબ્ધના ઉદયથી કેવળજ્ઞાન થતું નથી. તે પ્રારબ્ધ સમતાએ ભેગવી નિવૃત્ત કરવું પડે, ક્ષય કરવું પડે. તે પ્રારબ્ધ ક્ષય થયે કેવળજ્ઞાન થશે. તીર્થકર જેવાનેય પુરુષાર્થ કરવો પડે છે, ત્યારે કેવળજ્ઞાન થાય છે. નિયતવાદમાં પુરુષાર્થને જરાય સ્થાન રહેતું નથી. કાર્ય થવામાં પાંચ સમવાય કારણ એટલા માટે જ્ઞાનીએ કહ્યાં છે-કાળ, સ્વભાવ, પૂર્વ કર્મ, પુરુષાર્થ અને નિયતિ. કર્મથી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગમે તે કર્મ હોય તે આત્માને પજવનાર છે. ભલે પુણ્ય હોય તેય એ આત્માને શાંતિ ન આપે. કેટલે પુરુષાર્થ કરે ત્યારે કેવળજ્ઞાન થાય છે, સમ્યક્ત્વ થાય છે! લખ્રિસાર વાંચે તે ખબર પડે. જીવને સારા સંગ તો ઘણીવાર મળ્યા છે, છતાં જીવનું કલ્યાણ થયું નથી. તેથી પુરુષાર્થ એ મુખ્ય છે. [વ. ૩૫૯]
૬ શ્રી રા. આ. અગાસ, ભાદરવા વદ ૯, ૨૦૦૯ દેહાધ્યાસ જેને છૂટો હોય, આત્મભાવ જેને થયો હોય તેને દેહાભિમાન ગલિત થયું કહેવાય. “હું દેહસ્વરૂપ નથી” એમ જેને થયું હોય તેને દેહાભિમાન ગલિત થયું કહેવાય.
મુમુક્ષુ–“પ્રથમ પિતાપણું ટાળવાયેગ્ય છે.” એટલે શું? પૂજ્યશ્રી–અહંભાવ એ પિતાપણું છે. તે પહેલાં ટાળવાયેગ્ય છે. મુમુક્ષુ જેને ભેદ નથી તેને ખેદ સંભવ નથી.” એટલે શું?
પૂજ્યશ્રી–જેને સપુરુષ સાથે અભેદ થયો છે તેને પછી સત્યુરૂષથી કાંઈ જુદાઈન રહે તેને કંઈ ખેદ સંભવતો નથી. જેમ હરિ રાખે તેમ રહેવું છે. “જા વિશ્વ રાખે રામ, તા વિધ રહિયે.”
સેભાગભાઈને એમ થતું નથી કે કૃપાળુદેવને એવું એવું કેમ લખાય? નહીં તો સામાન્ય રીતે એવું થાય કે સારા વૈરાગ્યભાવ હોય તે લખે. પોતાના દેશે ન લખે. જેને હરિની શ્રદ્ધા હોય, જેને પુરુષ ઉપર પરમેશ્વરબુદ્ધિ હોય, તેણે હરિની ઈચ્છાએ વર્તવું; તો હરિ રાજી થાય. [વ. ૩૬૦]
ટૂંકા ટૂંકા પડ્યો છે પણ ગહન વાત છે. જેને આત્મવૃત્તિ વતે છે, ચૈતન્યસ્વરૂપ છે તે સુખરૂપ છે એમ જાણી તેમાં જ જે સંતેષ પામે છે, તેને પૂર્ણ કામપણું છે. એ પંચેન્દ્રિયના વિષયને ઈ છે નહીં. ઈચ્છા એ રોગ છે. ઈચ્છા ક્ષય થયે જીવને વીતરાગતા થાય છે. એક બાજુ ઇન્દ્રિયનાં સુખ અને એક બાજુ આત્માનું સુખ એમ એને ભેદ પડી ગયો છે. તેથી બને સુખ જુદાં લાગે છે.
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org