SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત જગ બની આવતે અથવા તે સાધુ થઈ જતા. પણ કૃપાળુદેવને તે જેમ જેમ દશા વધે છે તેમ તેમ ઉપાધિ વધે છે. ઉપાધિમાં આત્મા સંબંધી વિચાર ભુલાતું નથી. પણ એ વિચારને ગૌણ કરી ઉપાધિમાં ચિત્ત દેવું પડે છે. જેને વૈરાગ્ય હોય તેને પૈસા કમાવાના ભાવ નથી થતા. તેમ છતાં પૂવે બાંધ્યું છે તેને લઈને કરવું પડે છે. સર્વસંગપરિત્યાગમાં “સર્વસંગ” શબ્દને લક્ષ્યાર્થ એ છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એ સંગ. આત્મધ્યાન અખંડપણે થવા માટે સર્વસંગપરિત્યાગ કરવાનું છે. આત્મવિચાર કૃપાળુદેવને સદાય રહ્યા કરે છે. એટલે બાહ્યથી ન થાય તે પણ અંતરથી સર્વસંગપરિત્યાગ રહ્યા કરે છે. જેમ જેમ દશા વધે તેમ તેમ ઉપાધિ વધે છે. “જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે.” ઘર મુકાય, પિસા મુકાય, પણ પ્રારબ્ધ ક્યાં જાય? વણિક વેશ છે, નિગ્રંથ હૃદય છે, એમ એક પત્રમાં પિતે લખ્યું છે. એમને છોડવું હોય પણ પ્રારબ્ધ છૂટવા ન દે તેથી શું કરે? ડુંગરશી ગાશળિયા હતા તે એમ માનતા કે કાયા ત્યાં સુધી માયા. કૃપાળુદેવે લખ્યું છે કે એમ નથી, “દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એ અમારે નિશ્ચલ અનુભવ છે.” આ જીવ સંપૂર્ણ વીતરાગતા પામવાને ગ્યા છે. જ્યાં સુધી વીતરાગદશા ન થાય ત્યાંસુધી બીજું ગમે નહીં. ઉદાસીનતા માટે એમ નથી. . કેઈ અપૂર્વદશાના આ પુરુષ હતા. આ કાળમાં એવા પુરુષની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. એ પુરુષથી એક સ્થાનકવાસી સાધુને સમાગમ થયે. તેમણે બધુ ત્યાગ કરી દીક્ષા લીધેલી, પછી એમના ગુરુ કહે તેમ કરતા. પણ એમને એથી શાંતિ ન થઈ પછી કૃપાળુદેવને સમાગમ થયે તેથી તેમને આત્મજ્ઞાન થયું અને દશા વધતી ગઈ. પછી વૃદ્ધાવસ્થા આવવાથી તેમને વા તથા હરસ થયા તેથી વિહાર કરી શકતા નહોતા. સર્વ મુમુક્ષુઓએ મળી તેમને (પ્રભુશ્રીજીને) વિનંતિ કરી કે આપ એક ઠેકાણે સ્થિતિ કરે તો અમને નિવૃત્તિને અવકાશ લઈ સમાગમ કરવાનું બને. મુનિશ્રીએ એ માન્ય રાખ્યું. ત્યારપછી આ આશ્રમ બંધાયે. પ્રશ્ન–શ્રીમદ્ રાજચંદ્રના ગુરુ કેણ હતા? પૂજ્યશ્રી—એમને આઠ વર્ષની વયે તિસ્મરણશાન થયેલું તેથી પૂર્વભવમાં જે જે જ્ઞાની પુરુષને સમાગમ થયેલે, બેધ સાંભળે, શાસ્ત્રો શીખેલા તે સર્વે એમને સ્મરણમાં આવી ગયું. પણ આ ભવમાં એમના કોઈ ગુરુ ન હતા. સ્વયં બુદ્ધ કે તીર્થકરને સ્વયં જ્ઞાન થાય છે, એમ શાસ્ત્રથી જણાય છે. તેઓને પણ પૂર્વભવે ગુરુ મળ્યા હોય છે, પણ તે ભવમાં સ્વયં જ્ઞાન થાય છે. ત્યારે પિતે તરે છે અને માર્ગ પ્રવર્તાવે છે એટલે અનેકને તારે છે. જેને કંઈ આત્મશાંતિની જરૂર છે તેને જરૂર લાભ થાય એવું છે. જેમ જેમ ભક્તિ થાય, શાસ્ત્રોને અભ્યાસ થાય, તેમ તેમ મન સ્થિર થાય. જ્ઞાન થવા સદ્દગુરુની જરૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy