SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન એવી ભાવના કરવી. ગમે તેવી સારી વસ્તુ હોય પણ નાશ પામવાની છે તે સત્ નથી. વારંવાર જ્ઞાનીને બેય સાંભળ્યા કરતાં એક વચન પણ પકડે તે કલ્યાણ થાય. જ્ઞાની કહે છે કે આત્મા નિત્ય છે, પણ આ જીવ બીજે અનિત્યમાં સુખ શોધી રહ્યો છે. વૈરાગ્ય હોય તે જ્ઞાનીના વચને ચાટે. આકુળવ્યાકુળપણું થાય છે, તે મટાડવા પુરુષાર્થ કરે તો મટે. દર્શનપરિષહ સુખકારી છે. ધીરજથી વેદાય તે સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શન અથે ઉતાવળ થતી હોય, વ્યાકુળતા થતી હોય તે તેને દર્શનપરિષહ કહ્યો છે. ગમે તેટલી મુશ્કેલી હોય તે પણ જ્ઞાનીની આજ્ઞા તેડવી નહીં. વૈરાગ્ય રાખવે. જગતમાંથી કશુંય જોઈતું નથી. જ્ઞાનીની વિશેષ ભક્તિ, સન્શાસ્ત્રને અભ્યાસ અને સત્સંગ કરવાગ્યા છે. બીજી કલ્પના ન કરવી. કલ્પનાથી કલ્યાણ થવાનું નથી. શાંત સુધારસ”માંથી બાર ભાવનાનું ચિંતવન કરવું. *છ પદમાં સમ્યગ્દર્શન રહેલું છે. “શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્ય નિવારણભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે.” [વ. ૩૩૧]. વિનયભાવ રાખ. સંસારના સ્વાર્થની ઈચ્છા ન રાખવી. “ત્યાગવિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું હોય તે બીજા ભા છોડવા પડશે. સંસારમાં મને પિસા મળે તે હું સુખી થાઉં, એમ જીવે ભ્રાંતિપણે સુખ માન્યું છે. જ્યાં સુધી સંસાર પ્રિય લાગતું હોય ત્યાંસુધી મોક્ષનું માહાસ્ય ન લાગે. સત્સંગ સર્વોપરી વસ્તુ છે. માહાસ્ય લાગ્યું નથી. ધન કુટુંબાદિ ઉપર એટલે પ્રેમ આવે છે તેટલે પ્રેમ સત્સંગ ઉપર, આત્મા ઉપર આવે ત્યારે કામ થાય. ત્યાંસુધી અપ્રમત્તપણે પુરુષાર્થ કરવાને છે. જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે સંસારમાં વેરી નાખે છે. એ પ્રેમની મૂડી બધેથી ઉઠાવી મેક્ષમાં જેડવી, તે કલ્યાણ થશે. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે.જગતમાં કઈ મારું નથી. [વ. ૩૩૪] ૯ શ્રી. રા. આ. અગાસ, ચૈત્ર વદ ૪, ૨૦૦૯ કૃપાળુદેવનું ચિત્ત વૈરાગ્યમાં હોય તેથી પ્રશ્નોના ઉત્તર લખી શકતા નહીં. તેથી પછી લખીશું, પછી લખીશું એમ લખતા. સિદ્ધભગવાન દેહરહિત છે, તેવી કૃપાળુદેવની ચિત્તસ્થિતિ વતે છે. શું લખવું? એમ થાય છે. આ જગત પ્રત્યે ઉદાસીનવૃત્તિ વતે છે તેવી રાખ્યા વિના છૂટકો નથી. જ્ઞાની પુરુષે તે ઘણા થઈ ગયા છે, પણ તેમને તે જેમ દશા વધતી તેમ નિવૃત્તિને * “અધ્યાત્મસારમાં કહેલે આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવાયોગ્ય છે.” તેમાં છ પદ સંબંધી વિચાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy