________________
બધામૃત ચિત્ત ચેટતું નથી, પણ પ્રારબ્ધને લઈને કરવું પડે છે.
જે પુરુષાર્થ કર્યા વિના થાય એવું છે તેને માટે જીવ ચિંતા કરે છે, તથા તેને માટે દેવાદેડ કરે છે અને જે પુરુષાર્થ કર્યા વિના ન થાય તેને માટે પુરુષાર્થ કરતા નથી. પૂર્વે જીવે જે પ્રકારે બાંધ્યું છે તે પ્રમાણે મળી આવશે. પણ વિશ્વાસ બેસતો નથી. નિમિત્તની જરૂર છે. મનુષ્યભવ દુર્લભ છે એવું જ્ઞાનીને લાગે છે. આ જીવ તે દેહને પિષવામાં આખી જિંદગી એઈદે છે. કૃપાળુદેવ લખે છે કે વિશેષ કાળ અસમાધિ રહે તે “ખચિત દેહત્યાગ કરીશ, પણ અસમાધિથી નહીં પ્રવતું, એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે.”(૧૧૩). બધાનું કારણ વૈરાગ્ય છે. એક આત્માને સંભારવાનું છે. કૃપાળુદેવ લખે છે કે અમને જગતના કોઈ પણ પદાર્થમાં મેહ રહ્યો નથી તેથી વૃત્તિ ત્યાં જતી નથી. નવાં કર્મ ન બંધાય એ સાચવીએ છીએ. સમભાવ રાખે એ લક્ષ રાખ્યો છે. - જ્ઞાનીને માર્ગે ચાલવું હોય તો જે થાય તે જોયા કરવું. જે થવાનું હશે તે થશે.
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” જડથી ઉદાસ થશે ત્યારે કામ થશે. જ્ઞાનીપુરુષે જે કર્યું છે, તે જ મારે કરવાનું છે, એટલી ભાવના તો રાખવી અને બને તેટલું કરવું. એ જ્ઞાનીની દશામાં પેસવાનું દ્વાર છે. કૃપાળુદેવ સંસારમાં રહ્યા છતાં ઉદાસીનભાવમાં વર્તતા હતા. જેણે આત્મા જાણે છે તેને બીજા વિકલ્પ ન આવે. “આત્માથી સૌ હિન” એમ લાગે. વિ. ૩૭૦]
ઘણું કાળના બધે જીવને સમ્યગ્દર્શન પ્રગટે છે. એ સમ્યગ્દર્શન કેવળજ્ઞાનનું બીજ છે. એ નિશ્ચયસમ્યક્ત્વ છે, તેમાં આત્માને અનુભવ હોય છે. ક્ષાયકસમ્યકત્વ તે અનુભવ રૂપે, લક્ષરૂપે કે પ્રતીતિરૂપે સદાય રહે છે. બીજા સમ્યક્ત્વમાં તો ફેરફાર થાય અને જતું પણ રહે. મિથ્યાત્વના ઉદયમાં સમ્યક્ત્વ કડવું ઝેર જેવું લાગે છે. મિથ્યાત્વના ઉદયમાં બ્રાંતિ થાય છે. ઘણા કાળના બધે મિથ્યા શ્રદ્ધા ફરી આત્માની સમ્યક શ્રદ્ધા પ્રગટે છે, તે નિશ્ચયસમ્યક્ત્વ છે. દર્શનપરિષહ ધીરજથી વેદાય તે સમ્યગ્દર્શન થાય છે. દર્શન પરિષહમાં સમ્યક્ત્વ ક્યારે થશે? એમ જીવને ઉતાવળ થાય છે. જ્યારે જીવને જ્ઞાનીપુરુષનું સ્વરૂપ સમજાય ત્યારે લાગે કે મારું માનવું ખોટું છે અને જ્ઞાનીનું માનવું સાચું છે. બેધબીજ અને મૂળજ્ઞાન શું? તે વારંવાર વિચારવાં.
જ્ઞાનીની આજ્ઞા આરાધવી. સત્સંગ વિશેષ આરાધવે. એથી જીવની સમજણ ફરે છે. રસ્તે ઊંધે લે તે ન થાય. સ્વચ્છેદે સમકિત થાય નહીં. “કે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ.” એટલું થાય તો કલ્યાણ થઈ જાય. ભગવાને સમ્યગ્દર્શન કેને કહ્યું? તે વિચારવાયોગ્ય છે. આત્માનું કલ્યાણ થાય તેમ કરવાનું છે. જ્ઞાની જાણે છે એમ માને તે કલ્યાણ થશે. જીવે ઘણું સાંભળ્યું છે, પણ સત્ મળ્યું નથી. જ્ઞાનીને બેધ સાંભળ અને શ્રદ્ધા કરવી. આત્મા નિત્ય છે, જગત અનિત્ય છે. આત્મા ત્રણે કાળ રહે એવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org