________________
فف
વચનામૃત-વિવેચન છે અને અવિકલ્પ સમાધિ રહ્યા કરે છે. સંસારનું સ્વરૂપ જેણે જાણી લીધું અને આત્માનું આનંદસ્વરૂપ છે એમ જાણ્યું, તે પછી સંસારમાં સુખ માને ? એને ઈચ્છાય એની થતી નથી. અને એ જ સમાધિ છે. પરવસ્તુનું જે આકર્ષણ હતું તે છૂટી ગયું તે સમાધિ છે. એવી દશા થયા છતાં કૃપાળુદેવને વનવાસ સાંભરે છે કે ક્યારે વનમાં જઈએ? ક્યારે વનમાં જઈએ? જ્ઞાની પુરુષ હંમેશાં પુરુષાથી જ હોય છે. બેસી રહેતા નથી. ક્યારે નિવૃત્તિ આવે, એના પુરુષાર્થમાં જ રહે છે.
| ગમે તેટલી ઉપાધિ હોય પણ કૃપાળુદેવ આત્માને ભૂલતા નથી. પરમ જ્ઞાની સિવાય બીજું કઈ ઉપાધિમાં અસંગ રહી શકે નહીં. કૃપાળુદેવ કહે છે કે અમે રહીએ છીએ તેમાં અમને આશ્ચર્ય લાગે છે. આત્માનું ઓળખાણ થયું છે તેથી આત્મા એમને ભુલાત નથી. બીજાને (આત્મા) ભુલાઈ જાય. કૃપાળુદેવ ગમે તેટલી આધિ, વ્યાધિ, ઉપાધિ હોય પણ અંતરમાં શીતલીભૂત રહે છે. એટલે પુરુષાર્થ કરે છે. જેનું મન બીજે ભટકતું હોય તેનાથી શું થાય? આત્માની ઓળખાણ થઈ છે તે આત્માને ભૂલતા નથી. સહજ સમાધિ કહી છે એટલે કે બહારના નિમિત્તથી સમાધિ નથી, સહેજે રહે છે. આત્માનું ઓળખાણ થાય તે આત્મામાં જ એને સંતોષ થાય. નિષ્કાંક્ષિત ગુણ પ્રગટે છે. બીજી વસ્તુઓથી એને આનંદ થાય છે એમ નથી. આત્માથી જ એને આનંદ થાય છે. પાંચ ઈન્દ્રિયના વિષયેની ઈચ્છા નિરંતર રહેતી હતી, સમ્યક્ત્વ થતાં તે ઇચ્છાથી તેને છૂટવાનું થાય છે. આત્માથી બધી વસ્તુઓ હીન છે.
૮૭.
વિ. ૩રપ૩૨૮]
“ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય. ” એનું આ બધું વર્ણન કર્યું છે. એ કાવ્ય હિંદીમાં લખેલું હતું, છતાં સોભાગભાઈને સમજાયું અને કૃપાળુદેવને અર્થ લખીને મોકલ્યા હતા. અનુભવ હોય તો એવાં વાક્ય યથાર્થ પરિણમે છે.
[વ. ૩૨૯].
૮૮ શ્રીરાવ મં આહાર, ફાગણ સુદ ૫, ૨૦૦૮ દુઃખ ભોગવવા કોઈ ઈચ્છતું નથી, પણ પૂર્વ કર્મને લઈને ભેગવવું પડે છે. સભ્ય ગ્દર્શન થયા પછી સુખદુઃખ બન્ને સરખાં છે. ધ્યાન નિર્વિકલ્પ થવા માટે છે. આત્માનું સ્વરૂપ વિકલ્પરહિત છે.
આ સંસાર પ્રવૃત્તિરૂપ જ છે. મનવચનકાયા એ પ્રવૃત્તિ છે. સંસાર હોય ત્યાં ઉપાધિ જ હોય છે. જીવ જગતને ઈચ્છે છે, તે લૌકિકમાવ છે. - કૃપાળુદેવ પિતાની દશા જણાવે છે કે લેકને પરિચય ગમતું નથી. ઉપાધિયોગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org