________________
બેધામૃત
ડરતા નથી. અમારું ચિત્ત આત્મા સિવાય ક્યાંય જતું નથી. જીવને બંધ કેમ થાય છે? બંધથી કેમ છુટાય છે? એ જેવું તીર્થંકરદેવે કહ્યું છે તેવું કઈ દર્શનમાં યથાર્થ કહ્યું નથી. તીર્થંકરનો આશય જાણનાર કોઈ આ ક્ષેત્રે હોય તો તે અમે છીએ. વીતરાગતા એ જ સુખ છે. ભગવાને શાસ્ત્રમાં જે કંઈ કહ્યું છે તે વીતરાગ થવા માટે કહ્યું છે. આત્મા ચિંતામણિરત્ન જે છે, મોક્ષની ભાવના કરે તે આ મનુષ્યભવમાં જ મોક્ષ મળે, પણ ભાવના કરતાં આવડતી નથી. આત્મા આત્મારૂપ જ છે. સુખદુઃખ એ બધાં કર્મના ફળ છે. એમાં સારું કે ખોટું માનવાનું નથી. જેને આત્માને વિચાર કરવો હોય તેણે સંસાર ભયરૂપ છે એમ વિચારવું. સંસારના ભય જે બીજો કોઈ ભય નથી. આત્માને નુકશાન કરવાવાળું અજ્ઞાન છે. સાપ કરતાં પણ અજ્ઞાનને વિશેષ ભય રાખવાને છે. પ્રવૃત્તિમાં રહેવું પડતું હોય તે જેલખાના જેવું જાણીને વર્તવું. સંસારમાં ગાઢ બંધન થાય એવું છે. આ સંસારમાં રહેવા જેવું નથી. વીતરાગતા છે તે જ સુખ છે.
“જીવ નવિ પુગલી, નૈવ પુગ્ગલ કદા.” બધા વિકલ્પ મૂકીને એક આત્માને વિચાર કરવાનું છે. વસ્તુ જેમ છે તેમ સમજવાની છે. પર વસ્તુ પિતાની થાય નહીં. પણ ટેવ પડી હોય તેથી તે વગર ચાલે નહીં, એવું થઈ જાય. સંસારી વસ્તુમાં ઝેર છે, તે એને મીઠું લાગે છે. જીવ પરાધીન થયો છે. જીવને ભય લાગે તે સંસારની વસ્તુઓ છેડે. આખી જિંદગી મારું મારું કરે તેય મારું થાય નહીં, કર્મ બંધાય. મારું મારું કર્યું તે સાથે આવે નહીં. ભાન નથી, તેથી મારું મારું કરે છે. પુદ્ગલ સાથે રહેવા છતાં જીવ પુદ્ગલ થઈ ગયો નથી. જ્ઞાન ન હોય તે આત્મા ન હોય. હું રૂપાળું છું, બળવાન છું એ બધું પુદ્ગલને લઈને માને છે, પણ આત્મામાં તે રૂ૫ રસ કંઈ નથી. પરને પિતાના ગુણ માને, પણ તે પિતાના થય નહીં. એ દુઃખી થવાને રસ્તે છે. જીવ પુદ્ગલની સાથે રહે છે, પણ પરિણમન બેયનાં જુદાં છે. આત્મા પુદ્ગલ સાથે રહેવા છતાં પુદ્ગલથી રંગાઈ જતું નથી. જડ જડરૂપે અને ચેતન ચેતનરૂપે પરિણમે છે.
આત્મામાં કલ્પના કરવાની શક્તિ છે. કલ્પના કરી સારું ખોટું એમ માને છે, પણ વસ્ત કંઈ સારી ખાટી ન થાય. આત્માનું કામ જાણવાનું છે, પણ વચ્ચે મેહ કરે છે. યથાર્થ જાણવામાં દોષ નથી. કેવલી બધાય પદાર્થોને જાણે છે, પણ મોહથી બંધાતા નથી. શાતા કે અશાતા એ બેયમાં એક દષ્ટા રહે છે. જીવને ભાન નથી, ઓળખાણ નથી.
[વ. ૩૨૪].
૮૬ શ્રીરા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૪, ૨૦૦૯ - ઉપાધિના પ્રસંગમાં પિતાને જેવું થઈ જાય તેવું જ્ઞાનીને પણ થતું હશે, એવી છવા કલ્પના કરી લે છે, પણ જ્ઞાનીને તે ચારે બાજુથી ઉપાધિની જવાળા સળગતી હોય તોય સહજ સમાધિ રહે છે. મુમુક્ષતા આવે તે પુરુષ એળખાય, કૃપાળુદેવને નિરંતર ઉપાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org